________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માયા-દભ ત્યાગ.
અન્યથા વેચ્છાચારીપણે વિષયાંધ બની ચાલતાં તેના માઠા વિપાક જોગવવાના કડ: પ્રસંગે અનેક વાર અનુભવવા પડશે.
અપૂર્ણ.
माया--दंभ त्याग. લેખક તીચંદ ગિરધર કાપડીઆ,સોલીસીટર,
(અનુસંધાન પુ. ૨૫ ના રૂટ ૩૭૬ થી) - ઉપાધ્યાયજી આઠમા પાપસ્થાનકની સ્વાધ્યાયમાં કહે છે કે કુસુમપુર નામનું એક નગર હતું. તે નગરના એક શેઠને ઘેર બે સાધુ ઉતર્યા. એક નીચે ને બીજા ઉપર. નીચે રહેલ સાધુ બહુ વિદ્વાન છે, પણ દંભી અને બીજાની નિંદા કરનાર છે; ઉપર રહેલ સાધુ સાધારણ જ્ઞાનવાળા , પણ ગુણગ્રાહી છે. તે બે વિજ્ઞાની મહારાજને પૂછતાં જણાવ્યું કે પહેલા સાધુમાં ગમે તેટલું જ્ઞાન છે, છતાં પણ આ ભવસમુદ્ર તટે તેને બહુ મુશ્કેલ છે, જ્યારે બીજા સાધુ થડા વખતમાં મુક્ત થઈ જાય તેમ છે. આ સ્થિતિ બહુ વિચારવા લાયક છે.વર્તન વગરનું જ્ઞાન લંગડું છે, એ શાસ્ત્ર પ્રસિદ્ધ દષ્ટાંતનો અત્ર ખુલાસો થાય છે. એક પ્રાણીમાં ગમે તેટલું જ્ઞાન હેય પણ જ્યાં સુધી તદનુસાર શુદ્ધ વ્યવહાર ન હોય ત્યાં સુધી એકલા જ્ઞાનથી બહુ લાભ થતું નથી. તેટલા માટે અધ્યાત્મસારના ત્રીજા અધિકારના પ્રથમ કલેકમાં કહે છે કે
दंभो मुक्तिलतावहि, दमो राहुः क्रियाविधौ ॥
दीर्भाग्यकारणं दभो, दभो यात्ममुखार्गला ॥
મુક્તિલતાને દહન કરવામાં દંભ અગ્નિ સમાન છે.” જ્યાં શુદ્ધ વર્તન ન હોય ત્યાં સમ્યકત્વ ગુણ પ્રાપ્ત થતું નથી, અને કદાચ પ્રાપ્ત થયે હેય તે વિકસ્વર થઈ શકતું નથી. આવી સ્થિતિમાં જીવ સંસારચકમાં અટવાયા કરે છે, અને કદિ પણ તેને આરે આવતું નથી, એ વાસ્તવિક હકીકતને ખ્યાલ તેજ લેકથી થાય છે. આગળ કહે છે કે-“દંભ એ અધ્યાત્મ સુખને અર્ગલા સમાન છે. આથી જાય છે કે દંભી પ્રાણી અધ્યાત્મ સુખને તે ઢાંકણુંજ દઈ દે છે. જે અધ્યાત્મ સુખ અપૂર્વ છે, જેની સરખામણ દુનિયાના કોઈ પણ સુખ સાથે કરી શકાય તેમ નથી અને જે અનુભવથી જ ગમ્ય છે તે સુખ દંભને હમેશાને માટે હેતું નથી. આવું મહાન સુખ જે પરંપરાએ મોક્ષનું કારણ છે તે કપટી પ્રાણને હિમેશને માટે જ્યાં સુધી તેની દાંભિક સ્થિતિ રહે છે ત્યાં સુધી પ્રાપ્ત થઈ શકતું નથી, ત્યારે મોક્ષ પ્રાપ્ત થવાને તે સંભવ પણ કયાંથી હોય? અધ્યાત્મ સુખને
For Private And Personal Use Only