________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
૫૯
પ્રવચન નં. - ૪
છે !! અને (જ્ઞાયકદેવ ) પ્રત્યક્ષ પણ એમાં થાય છે, અભેદ થાય તો પ્રત્યક્ષ થઈ જાય ! ભેદ રહે તો પરોક્ષ થાય-૫૨ોક્ષપણે જાણે છે અને જણાય છે, આવી ક્રિયા ચાલુ છે, પણ જાણનાર જણાય છે ’ ને અભેદ થઈ જાય તો પ્રત્યક્ષ થઈ જાય, જણાય છે માટે જાણી લ્યે છે જ્ઞાન ? આ બાળ-ગોપાળ સૌને જ્ઞાયક જણાય છે ને ! માટે કો · ક આત્મા એને જાણી લ્યે છે, કો ’ક-કો ’ક ! છે તો સહેલું, અઘરું છે નહીં.
6
"
એક ગાથા છે બાકી. અશુભ અથવા શુભ સ્પર્શ-ટાઢી-ઊની અવસ્થા પુદ્ગલની તને એમ નથી કહેતી કે ‘તું મને સ્પર્શ’–ટાઢી-ઊની અવસ્થા બોલાવતી નથી કાંઈ! અને આત્મા પણ પોતાને જાણવાનું છોડીને કાયાના વિષયમાં આવેલા-કાયા એટલે સ્પર્શેન્દ્રિય (શીરાકારે ) અખંડ છે. સ્પર્શેન્દ્રિય છે ને! ઇ અખંડ છે. સ્પર્શ ઇન્દ્રિયના વિષયમાં આવેલા સ્પર્શને જાણવા જતો નથી, ગ્રહવા એટલે પકડવા (એમ) નહીં, ગ્રહવા એટલે જાણવા જતો નથી.
આત્મા, આત્માને જાણવાનું છોડીને પ૨ને જાણવા જાય? અહા...હા ! જ્ઞાયકથી જ્ઞાન છૂટું પડી જાય તો શાયકનું અસ્તિત્વ રહેતું નથી! હું ૫૨ને જાણું છું જે એમ માને છે (એણે ) એના આત્માનો નાશ કર્યો, એમ ‘સેટિકા' ની ગાથાઓમાં કહ્યું છે. અને આત્મા પણ કાયામાં આવેલા વિષયને–સ્પર્શને જાણવા જતો નથી' આ પાંચ ઇન્દ્રિયનો વિષય પૂરો થયો.
-
અશુભ અથવા શુભ ગુણ લ્યો! હવે, મનના બે વિષય છે. પાંચ ઇન્દ્રિય જ્ઞાનના પાંચ વિષય-શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ-ટાઢી-ઊની અવસ્થા એ પાંચ થયા ને! પાંચ વિષયની વાત કરી, હવે અહીં છઠ્ઠું (એક) મન છે, મનના બે વિષય છે મનના બે વિષય છે, જે આ (પંચેન્દ્રિયની ) પાંચ વાત આવીને, તેના કરતાં જરા સૂક્ષ્મ છે. અહીં (છાતીમાં હ્રદય પાસે ) એક દ્રવ્યમન છે, જેમ આ દ્રવ્યઇન્દ્રિય (આ આંખ, કાન આદિ શરીરનો અવયવ ) દ્રવ્યઇન્દ્રિય કહેવાય, એનો ઉઘાડ એને ભાવેન્દ્રિય કહેવાય, (એમ ) અહીંયાં આઠ પાંખડીના ફૂલના આકારે એક દ્રવ્યમન છે ‘મનોવર્ગણા ' થી બનેલું છે. ( પુદ્દગલની ) એકવીસ કે બાવીસ જાતની વર્ગણા છે, જેમ કે) આહારવર્ગણા, ભાષાવર્ગણા, મનોવર્ગણા વગેરે કાર્માણવર્ગણા, તેજસવર્ગણા એમ (દ્રવ્યમનમાં ) મનોવર્ગણા નામના રજકણ છે. (વર્ગણા ઘણી સૂક્ષ્મ હોય છે) એનું આ બનેલું છે જડ-મન અહીંયાં, એ ઓપરેશન કરે તો પણ દેખાય નહીં, મન (મગજમાં ) અહીં નથી, મન (છાતીમાં હ્રદય પાસે) અહીં છે.
આહા ! મારા મનમાં એમ આવ્યું અહીં મન (મગજમાં) ક્યાં છે? મન તો (હ્રદય ) અહીં છે, ભાવમન પણ અહીંથી ઊઠે છે, એનો ઉત્પાદ અહીંથી થાય છે આહા....હા! હ્રદયમાં છે, અત્યાર સુધીમાં ઓપરેશન કર્યું કોઈને દેખાણું નહીં ને દેખાશે જ નહીં લે! તારા સ્થૂળ જ્ઞાનનો (એ મનોવર્ગણા પણ) વિષય નથી.
‘અશુભ અથવા શુભ ગુણ '–પહેલાં બહારના છ દ્રવ્યને લઈ લઈએ પછી અંદરમાં ગુણ અને દ્રવ્ય પછી લેશું. ‘અશુભ અથવા શુભ ગુણ તને એમ નથી કહેતું કે ‘તું મને જાણ ’–જેમ કે પુદ્દગલનો ગુણ એમ નથી કહેતો કે ‘તું મને જાણ' ઈ તો પાંચ ઇન્દ્રિયના (વિષયમાં ) સ્થૂળમાં ગયું કેમકે રૂપી પદાર્થને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com