Book Title: Gyanthi Gyannu Bhedgyan
Author(s): Lalchandra Pandit
Publisher: Digambar Jain Kundamrut Kahan

View full book text
Previous | Next

Page 302
________________ Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates પ્રવચન નં. ૨૨ ૨૭૯ આદિક વિગેરે વિગેરે અથવા રાગ-મોહ-આદિક-રાગ-દ્વેષ-ક્રોધ-માન-મોહ-માયા-લોભ બધા...એ ભાવો કહ્યા. આચાર્ય ભગવાને કહ્યા, કે આવા ભાવો પર્યાયમાં છે. પર્યાયોમાં આવા ભાવો છે. તે બધાય-સઘળાય આ પુરુષથી-આત્માથી ભિન્ન છે. ગુણસ્થાન ને માર્ગણાસ્થાન બધા કહ્યા, એ ભિન્ન છે. ભિન્ન છે એનો ન્યાય આપશે હમણાં. એકલું ભિન્ન કહીને છોડશે નહીં. ભિન્ન છે એનું કા૨ણ આપશે હમણાં. = ભિન્ન છે. તેથી તે કારણે અંતર્દષ્ટ વડે જોનારને-આત્માની અભિમુખ થઇને જ્યારે અતીન્દ્રિયજ્ઞાન વડે પોતાના શુદ્ધાત્માને અનુભવે છે. આત્મા ! ત્યારે અંતરષ્ટિ વડે જોનારને... બહિર્દષ્ટિ વડે જોનારને તો એ બધા વર્ણાદિકભાવો દેખાય છે, આત્માપણે દેખાય છે એમ. પણ અંતર્દિષ્ટ વડે જોનારને...એ બધા દેખાતા નથી. આહા...! એ બધા ભેદો ‘નો દષ્ટાઃ’ ભિન્ના ભાવાઃ નો દષ્ટાઃ ' મારાથી ભિન્ન છે એટલે મને દેખાતા નથી. . કેમ દેખાતા નથી કે અંતરષ્ટિ વડે જોતાં, એકલો ચિદાનંદ ભગવાન આત્મા ઝળહળ જ્યોત ચૈતન્ય પ્રભુના જ્યારે દર્શન કરે છે ત્યારે આ ઉત્પાદવ્યયના સાપેક્ષ પરિણામો બધા, ભિન્ન છે આત્માથી, આત્માથી ભિન્ન છે એટલે અંતર્દિષ્ટ વડે જોનારને એ કોઇ દેખાતા નથી. દેખાતા નથી એટલે આત્મામાં તો છે નહીં એટલે દેખાતા નથી. એક વાર પણ અંતર્દિષ્ટ વડે જોનારને એ પર્યાયમાં ભાવ છે એ પણ દેખાતો નથી. પર્યાય જ દેખાતી નથી. એકલું દ્રવ્યસામાન્યમાં લવલીન ! થાય છે આત્મા. આહા...હા ! અંતરષ્ટિ વડે જોનારને એ બધા દેખાતા નથી. ત્યારે શું દેખાય છે અંદરમાં ? માત્ર એક સર્વોપરી તત્ત્વ જ દેખાય છે. માત્ર, ઓન્લી, ફકત! સર્વોપરી તત્ત્વ ચૈતન્ય ૫૨માત્મા આહા...! એકલો ચૈતન્યનો પિંડ ! જ્ઞાન ને આનંદનો સમુદ્ર ! માત્ર એક સર્વોપરી તત્ત્વજ દેખાય છે. તત્ત્વો નહીં, તત્ત્વ એકવચન કહ્યું! બહુવચનનું તો બહારનું કાઢી નાખ્યું. એ તો છે જ નહીં આત્મામાં. કેવળ એક ચૈતન્યભાવરૂપ અભેદરૂપ આત્મા જ દેખાય છે, એને અંતર્દિષ્ટ વડે આ બધા ગુણસ્થાન, માર્ગણાસ્થાનના ભેદો બધા દેખાતા નથી. કેમકે એમાં છે નહીં. ‘ભિન્ના ભાવાઃ' કહ્યા ને! આત્માથી જે ભિન્ન છે એ અંતર્દષ્ટિ વડે જોનારને-આત્માને જોનારને એ ભાવો, ભિન્ન હોવાથી દેખાતા નથી. એકલો ચૈતન્ય ૫રમાત્મા દેખાય છે. ભાવાર્થ:- ૫૨માર્થ નયે અભેદ જ છે. તેથી તે દૃષ્ટિથી જોતાં ભેદ નથી દેખાતો. અભેદ એકલોજ દેખાય છે. તે નયની દૃષ્ટિમાં પુરુષચૈતન્ય માત્ર જ દેખાય છે. માટે તે બધા વર્ણાદિક તથા રાગાદિક ભાવો પુરુષથી એટલે આત્માથી ભિન્ન છે. અનાદિઅનંત ભિન્ન છે. અભિન્ન માને તોય ભિન્ન છે. અભિન્ન માને તો એનું જ્ઞાન બગડે પણ અભિન્ન થાય નહીં. રાગથી આત્મા અભિન્ન છે સંસાર અવસ્થામાં તો...તો કે ના. એમ નથી. અભિન્ન માને... તો ય જડ ને ચેતન એક ન થાય. જડભાવે જડ પરિણામે ચેતન ચેતનભાવ, કોઇ કોઇ પલટે નહીં, છોડી આપ સ્વભાવ' આહા...હા ! Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 300 301 302 303 304 305 306 307 308 309