Book Title: Gyansara Gyanmanjarivrutti
Author(s): Yashovijay Upadhyay, Devvachak, Ramyarenu
Publisher: Kailashnagar Jain Sangh Surat
View full book text
________________
તેમની સમક્ષ ઉપસ્થિત હસ્તપ્રતો પૈકી એક કે બે જ પ્રતમાં અપૂર્ણ પાઠ મળ્યો હોઈ તેમણે બહુમત પ્રતોનો-તે પરંપરામાન્ય હોવાને કારણે - પાઠ જ રાખ્યો છે. પરંતુ આમ કરવા જતાં મુસીબત એ આવી પડેલ છે કે શ્રીમદ્ભુએ ટીકામાં અપૂન પાઠ સ્વીકારીને જ વિવરણ કર્યું છે; તેમણે વૈકલ્પિક રૂપે, પહેલાં પૂર્વી પાઠનું વિવરણ કર્યું હોય અને પછી, અથવા કહીને અપૂર્ણ પાઠ દર્શાવી, તેનું વિવરણ કર્યું હોય તેવું તો ટીકાગ્રંથમાં જોવા નથી મળતું ! ફલતઃ મૂળ ગ્રંથનો આ સંપાદનમાં સ્વીકૃત પાઠ અને તે પરનો ટીકાગ્રંથ બન્ને સાવ નોખાં પડી જાય છે; જે ગ્રંથથી અજાણ
જિજ્ઞાસુ માટે સંદિગ્ધતા સર્જી શકે. અસ્તુ.
બીજું ઉદાહ૨ણ જોઈએ ઃ પ્રથમ અષ્ટકના પાંચમા શ્લોકમાં પૂર્વાર્ધનો પાઠ આ પ્રમાણે છે : “પૂર્વને યેન પળાસ્તÒશૈવ પૂર્ણતા ।'' આનો ટબાર્થ : " पूराई जेणई धनधान्यादिक परिग्रहें हीनसत्त्व लोभीओ पुरुष, [ते] धनધાન્યાવિ પરિગ્રહની ઉપેક્ષા ન પૂર્ણતા હીરૂં'' - આવો છે. અહીં શ્રી દેવચન્દ્રજી મહારાજ જરા જુદા પડે છે, અને આ શ્લોક ગત ‘તદ્રુપેશૈવ' - એ પદના બે અલગ અલગ અર્થ આપે છે. જુઓ : (૧) “પૂર્વન્ત’ ‘યેન’ પ્રવુરા મન્તિ ‘મા’-પૂર્ણતા ૩પાધિના ‘વેશ્યા વ’-અનફીાયોગ્યા વ્ । (૨) અથવા तदुपेक्षा एव, न हि एषा पूर्णता, किन्तु पूर्णतात्वेन उपेक्षते- आरोप्यते इत्यर्थः॥" (અહીં રપેક્ષ્યતે-આરોતે હોઈ શકે.)
આ બન્ને વિકલ્પોમાં ‘તલુપેક્ષા પદનો ‘તસ્ય પેક્ષા-તદ્રુપેક્ષા' એમ માનીને વિવરણકાર ચાલતા નથી. પહેલા અર્થમાં સા વેશ્યા એવો તદ્દુપેક્ષાનો અર્થ દર્શાવે છે, અને બીજામાં સ રપેક્ષ્યતે એવો અર્થ તેમના મનમાં છે. પ્રતિભાનો આ ઉન્મેષ, ઉપાધ્યાયજીના શબ્દોમાં અને તેનાં અગાધ રહસ્યોમાં શ્રીમદ્ કેવા તો ગરકાવ થઈ જતા હશે, તેની ગવાહી આપી જાય છે.
હજી એક ઉદાહરણ જોઈ લઈએ ઃ ૨૪મા શાસ્રાષ્ટકના ત્રીજા શ્લોકમાં ગ્રંથકારે શાસ્ત્ર શબ્દની નિરુક્તિ આપી છે : “શાસનાત્ ત્રાળશવતેશ વુધૈ: શાસ્ત્ર નિરુજ્યંતે ।" અર્થાત્ હિત શીખવે અને રક્ષણ કરવાની શક્તિ ધરાવે તે શાસ્ત્ર. હવે આ શ્લોક ઉપરની ટીકા જોઈશું તો શ્રીમદ્જીની વિલક્ષણ
(૧૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org