Book Title: Gyansara Gyanmanjarivrutti
Author(s): Yashovijay Upadhyay, Devvachak, Ramyarenu
Publisher: Kailashnagar Jain Sangh Surat
View full book text
________________
શ્રીમદ્ દેવચંદ્રજીના સ્વર્ગવાસ પછી ૧૪મા વર્ષે જ “કવિયણે દેવવિલાસ' નામની કૃતિમાં દેવચન્દ્રજીનું જીવન ચરિત્ર આપ્યું છે. આ કૃતિ દેવચન્દ્રજીના શિષ્ય રાયચંદની પ્રેરણાથી રચાઈ હોવાથી પ્રમાણભૂત મનાય છે.
દેવવિલાસ' ની પ્રસ્તાવનામાં મોહનલાલ દ. દેસાઈએ આપેલી વિગતના આધારે પં. ભગવાનદાસે જ્ઞાનમંજરીના ગુજરાતી અનુવાદના પ્રારંભમાં આપેલ જીવન-ચરિત્ર અહીં ઉદ્ધત કરીએ છીએ.
“સંસ્કૃત, પ્રાકૃત અને ગુજરાતી ભાષામાં અનેક ગ્રન્થોની રચના કરનાર શ્રીદેવચંદ્રજી ખરતરગચ્છની શાખામાં થયેલા રાજસાગર ઉપાધ્યાયના શિષ્ય જ્ઞાનધર્મ પાઠકના શિષ્ય દીપચંદ્ર પાઠકના શિષ્ય હતા. તેમણે પોતાના ગુરુની પરંપરા જ્ઞાનમંજરીની પ્રશસ્તિમાં આપી છે. તેમણે સંસ્કૃત અને પ્રાકૃતભાષા કરતા ગુજરાતી ભાષામાં ઘણા ગ્રથો રચ્યા છે. તેઓ આધ્યાત્મિક પુરુષ હતા, તેથી તેમના ગ્રંથો વૈરાગ્ય અને આધ્યાત્મિકભાવથી પૂર્ણ છે. તેમની બધી કૃતિઓનો સંગ્રહ અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળે' “શ્રીમદ્ દેવચંદ્ર' ભાગ પહેલા અને બીજામાં છપાવી પ્રગટ કર્યો છે.
તેમનું જીવનવૃત્તાન્ત અનુપલબ્ધ હતું, પરંતુ તેમના શિષ્ય તેમના મૃત્યુબાદ તેર વરસે સં. ૧૮૨૫ માં દેવવિલાસની રચના કરી છે, તે પ્રાપ્ત થતાં તેમના જન્મ આદિ સંબધે ચોક્કસ હકીકત મળે છે તેના ઉપરથી તેમના જીવન સંબંધી સંક્ષિપ્ત વૃત્તાન્ત અહીં આપવામાં આવેલ છે.
મારવાડના બીકાનેર પાસેના ચંગ નામના ગામમાં લુણીયા ગોત્રના ઓસવાળ તુલસીદાસજી રહેતા હતા. તેને ધનબાઈ નામની પત્ની હતી. એક વખતે ત્યાં રાજસાગર ઉપાધ્યાય આવ્યા. તેમને વંદન કરવા માટે દંપતી ગયાં. ગુરુને વંદન કરીને ધનબાઈએ કહ્યું કે જો મારે પુત્ર થશે તો હું આપને ભાવપૂર્વક અર્પણ કરીશ. વિ.સં. ૧૭૪૬માં ધનબાઈએ
(૨૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org