Book Title: Chovish Tirthankar
Author(s): Vimalkumar Mohanlal Dhami
Publisher: Navyug Pustak Bhandar Rajkot

View full book text
Previous | Next

Page 270
________________ શ્રી મહાવીર સ્વામી ૨૬૧ પ્રભુનું વચન અન્યથા કરવા ગોશાળે તે છોડ ઉખાડી નાખ્યો. તે વખતે પ્રભુની વાણી અસત્ય ન થાઓ એમ ધારીને નજીકમાં રહેલા દેવોએ ત્યાં મેઘ વરસાવી જમીન તથા તલનું ભાથું ભીનું કરી દીધું. ગાયની ખરીથી ભોથું દબાઈ ભીની જમીનમાં પેસી ગયું. તેનાં મૂળ ઊંડાં ગયાં ને નવા અંકુર ફૂટ્યાં પ્રભુના કથન મુજબ પુષ્પના સાત જીવો અવીને તિલપણે ઉત્પન્ન થયા. અને વધવા લાગ્યા. ત્યાંથી પ્રભુ કૂર્મગ્રામે ગયા. ત્યાં વૈશિકાયન નામનો તાપસ ગામની બહાર રહીને મધ્યાહ્ન સમયે ઊંચા હાથ કરી, સૂર્યમંડળ સામે દષ્ટિ રાખી આતાપના લેતો હતો. સૂર્યના તાપથી ખરી પડતી જૂઓને વીણી વીણીને પાછી પોતાના મસ્તક પર નાંખતો હતો. ગોશાળ તે તાપસ પાસે આવ્યો અને નિંદા કરતો બોલ્યો તું તાપસ છે કે જૂનો શય્યાતર છે કે સ્ત્રી છે? ત્યારે તાપસને ક્રોધ ચડવાથી તેના પર તેઓલેશ્યા મૂકી. તેથી ગોશાળ બળતો પ્રભુની પાસે આવ્યો. પ્રભુએ તેને શીતલેશ્યા દ્વારા બચાવ્યો. પ્રભુની તેવી સમૃદ્ધિ જોઈને વૈશિકાયન વિસ્મય પામ્યો. તે પ્રભુચરણે નમી પડ્યો. ગોશાળે પ્રભુને પૂછ્યું, “ભગવંત, આ તેજલેશ્યાની લબ્ધિ શી રીતે પ્રાપ્ત થતી હશે? પ્રભુએ કહ્યું : “જે મનુષ્ય નિયમધારી થઈ સર્વદા છઠ્ઠ કરે અને એક મુષ્ટિ કુલ્માષ તથા અંજલી માત્ર જળથી પારણું કરે તેને છ માસના અંતે અસ્મલિત અને પ્રતિપક્ષીને ભયંકર એવી મહાતેજોલેશ્યા ઊપજે ગોશાળે પ્રભુની વાત મનમાં ધારણ કરી લીધી. કૂર્મ ગ્રામથી વિહાર કરીને શ્રી મહાવીર સ્વામી સિદ્ધાર્થપુર તરફ ચાલ્યા. માર્ગમાં પેલું તિલના વૃક્ષનું ભોથું જ્યાં પડેલું હતું તે પ્રદેશ આવ્યો એટલે ગોશાળે કહ્યું: “ભગવંત, આપે જે તિલનો છોડ ઊગવાનો કહ્યો હતો તે ઊગ્યો નથી.” પ્રભુએ કહ્યું : “ઊગ્યો છે અને તે અહીં જ છે.” ગોશાળે પ્રભુની વાત માની નહિ. તેણે તે તિલનો છોડ લઈને તેની શીંગ ચીરી તો તેમાંથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314