Book Title: Chovish Tirthankar
Author(s): Vimalkumar Mohanlal Dhami
Publisher: Navyug Pustak Bhandar Rajkot

View full book text
Previous | Next

Page 276
________________ શ્રી મહાવીર સ્વામી ૨૬૭ ખેદ થાય છે કે પ્રભુ અભિગ્રહધારી હોવાથી આપણા ત્યાંથી પાછા ગયા. તેમનો અભિગ્રહ ન જાણી શકો તો તમારી બુદ્ધિને વૃથા છે. આ વાત નંદાની દાસી સાંભળી ગઈ. એ દાસીએ મૃગાવતી રાણી પાસે જઈને કરી. રાણી મૃગાવતીએ રાજા શતાનિકે ખેદપૂર્વક અભિગ્રહ જાણીને પારણું કરવાની વાત કરી. રાજા શતાનિકે તરત જ મંત્રીને બોલાવીને જિનેશ્વરોના જે જે અભિગ્રહો હોય તે મેળવવા ઉપાધ્યાયોને બોલાવીને પૂછતાં તેઓએ જણાવ્યું કે વિશિષ્ટ જ્ઞાની સિવાય તે જાણી શકાય તેમ નથી. તેથી રાજ્યમાં સર્વ સ્થળે ઢંઢેરો પિટાવવામાં આવ્યો કે વીર પ્રભુને અનેક પ્રકારે ભિક્ષા આપવા તૈયારી રાખવી. એ પ્રમાણે કરવા છતાં પ્રભુનો. અભિગ્રહ પૂરો થયો નહિ. તે અરસામાં શતાનિક રાજાએ ચંપાનગરીને ઘેરી લીધી. દધિવાહન રાજા તેનાથી ભય પામીને નાસી ગયો. એટલે ચંપાનગરી લૂંટાઈ. એક ઊંટવાળો અંતઃપુરમાંથી ધારિણી રાણી તથા તેની પુત્રી વસુમતિને લઈને ચાલ્યો. રસ્તામાં તેણે કહ્યું : “આ સ્ત્રીને હું મારી પત્ની બનાવીશ અને છોકરીને વેચી દઈશ. આ સાંભળીને ધારિણી રાણી મૃત્યુ પામ્યાં. એટલે વસુમતીને મીઠાં વચનો સંભળાવીને કૌશાંબી લાવીને બજારમાં વેચવા મૂકી. દયાળુ અને ધર્મિષ્ઠ ધનાવહ શેઠે વસુમતીને બજારમાંથી ખરીદી લીધી. શેઠે તેનું નામઠામ પૂછ્યું ત્યારે વસુમતીએ પોતાના કુળની મહત્તાથી કંઈ જવાબ આપ્યો નહિ. શેઠે ચંદના નામ આપીને મૂળા નામની પોતાની સ્ત્રીને સોંપી અને દીકરીની જેમ રાખવા જણાવ્યું. એક વાર ધનાવહ શેઠ પેઢીએથી ઘેર આવ્યા ત્યારે ચરણ ધોનાર કોઈ સેવક હાજર નહોતો. તત્કાળ ચંદના ત્યાં આવી અને ધનાવહ શેઠના ચરણ ધોવા લાગી. તે વખતે તેનો અતિ દીર્ઘ કેશ પાશ છૂટો થઈને ભૂમિ પર પડ્યો. તે કાદવથી મલીન ન થાય તે માટે ધનાવહ શેઠે હસ્તથી તેને ઊંચો કયો. ગોખ ઉપર રહેલી મૂળા શેઠાણીએ તે જોયું એટલે તેને વિચાર આવ્યો કે વખત જતાં શેઠ તેને પત્ની બનાવશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314