Book Title: Chovish Tirthankar
Author(s): Vimalkumar Mohanlal Dhami
Publisher: Navyug Pustak Bhandar Rajkot

View full book text
Previous | Next

Page 277
________________ ૨૬૮ ચોવીશ તીર્થંકર ધનાવહ શેઠ થોડી વાર રહીને બહાર ગયા કે તરત જ મૂળા શેઠાણીએ એક નાયિતને બોલાવીને ચંદનાનું મસ્તક મુંડાવી નાખ્યું. પગમાં બેડીઓ પહેરાવી તેને મારીને ઓરડામાં પૂરી દીધી. પછી મૂળા શેઠાણી તેના પિયર જતી રહી. શેઠે ચંદના ક્યાં ગઈ તેમ પૂછતાં શેઠાણીના ભયથી કોઈએ સાચો ઉત્તર આપ્યો નહિ. ચોથે દિવસે એક વૃદ્ધ દાસીએ શેઠને બધી વાત કરી. પછી ધનાવહ શેઠે ચંદનાને બહાર કાઢી. ઘરમાં ભોજનની સામગ્રી તૈયાર ન હોવાથી સુપડામાં બાંકુળા અડદના હતા તે આપી લુહારને બેડી તોડવા માટે બોલાવવા ગયા. તે વખતે ચંદના એક પગ ઉંમરમાં અને બીજો પગ બહાર રાખી કોઈ અતિથિ આવે તો વહોરાવી પછી જમું એમ વિચારતી બેઠી હતી. તેવામાં શ્રી મહાવીર સ્વામી ગોચરી અર્થે ફરતાં ફરતાં ત્યાં આવ્યા. એટલે બહાર જવા અશક્ત અશ્રુથી આદ્ર હૃદયવાળી ભક્તિથી ભગવંત સામે જોઈને ચંદના બોલીઃ “પ્રભુ આ ભોજન આપના માટે અનુચિત છે. આપ પરોપકારમાં તત્પર છો. તેથી તે ગ્રહણ કરીને મારા પર અનુગ્રહ કરો.' દ્રવ્યાદિ ચારે પ્રકારથી શુદ્ધ રીતે અભિગ્રહ પૂર્ણ થયેલો જાણીને કર પસાય. ચંદનાએ ભાવથી વહોરાવ્યું. ત્યાં વસુધારાદિ પંચ દિવ્ય પ્રગટ થયા. બેડીઓ તૂટી ગઈ. અને સુવર્ણના નુપૂર થઈ ગયા. માથે સુશોભિત કેશપાશ થઈ ગયો. દેવોએ ચંદનાને વસ્ત્રાલંકારથી શોભાવી. ઇંદુભીના નાદથી રાજપરિવાર, મંત્રી વર્ગ ત્યાં આવી પહોંચ્યો. પ્રભુનો અભિગ્રહ પૂરો થયો જાણી શક્રઈન્દ્ર પણ ત્યાં આવ્યો. દધિવાહન રાજાનો સંપુલ નામનો એક કંચુકી જેને શતાનિક રાજા ચંપાનગરીથી પકડીને લાવેલા તે પણ ત્યાં આવ્યો હતો. એણે ચંદનાને ઓળખી, એણે કહ્યું કે આ દધિવાહન રાજાની ધારિણી રાણીની પુત્રી વસુમતી છે. મૃગાવતી બોલી : “ધારિણી, મારી બહેન હોવાથી આ મારી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314