SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૮ ચોવીશ તીર્થંકર ધનાવહ શેઠ થોડી વાર રહીને બહાર ગયા કે તરત જ મૂળા શેઠાણીએ એક નાયિતને બોલાવીને ચંદનાનું મસ્તક મુંડાવી નાખ્યું. પગમાં બેડીઓ પહેરાવી તેને મારીને ઓરડામાં પૂરી દીધી. પછી મૂળા શેઠાણી તેના પિયર જતી રહી. શેઠે ચંદના ક્યાં ગઈ તેમ પૂછતાં શેઠાણીના ભયથી કોઈએ સાચો ઉત્તર આપ્યો નહિ. ચોથે દિવસે એક વૃદ્ધ દાસીએ શેઠને બધી વાત કરી. પછી ધનાવહ શેઠે ચંદનાને બહાર કાઢી. ઘરમાં ભોજનની સામગ્રી તૈયાર ન હોવાથી સુપડામાં બાંકુળા અડદના હતા તે આપી લુહારને બેડી તોડવા માટે બોલાવવા ગયા. તે વખતે ચંદના એક પગ ઉંમરમાં અને બીજો પગ બહાર રાખી કોઈ અતિથિ આવે તો વહોરાવી પછી જમું એમ વિચારતી બેઠી હતી. તેવામાં શ્રી મહાવીર સ્વામી ગોચરી અર્થે ફરતાં ફરતાં ત્યાં આવ્યા. એટલે બહાર જવા અશક્ત અશ્રુથી આદ્ર હૃદયવાળી ભક્તિથી ભગવંત સામે જોઈને ચંદના બોલીઃ “પ્રભુ આ ભોજન આપના માટે અનુચિત છે. આપ પરોપકારમાં તત્પર છો. તેથી તે ગ્રહણ કરીને મારા પર અનુગ્રહ કરો.' દ્રવ્યાદિ ચારે પ્રકારથી શુદ્ધ રીતે અભિગ્રહ પૂર્ણ થયેલો જાણીને કર પસાય. ચંદનાએ ભાવથી વહોરાવ્યું. ત્યાં વસુધારાદિ પંચ દિવ્ય પ્રગટ થયા. બેડીઓ તૂટી ગઈ. અને સુવર્ણના નુપૂર થઈ ગયા. માથે સુશોભિત કેશપાશ થઈ ગયો. દેવોએ ચંદનાને વસ્ત્રાલંકારથી શોભાવી. ઇંદુભીના નાદથી રાજપરિવાર, મંત્રી વર્ગ ત્યાં આવી પહોંચ્યો. પ્રભુનો અભિગ્રહ પૂરો થયો જાણી શક્રઈન્દ્ર પણ ત્યાં આવ્યો. દધિવાહન રાજાનો સંપુલ નામનો એક કંચુકી જેને શતાનિક રાજા ચંપાનગરીથી પકડીને લાવેલા તે પણ ત્યાં આવ્યો હતો. એણે ચંદનાને ઓળખી, એણે કહ્યું કે આ દધિવાહન રાજાની ધારિણી રાણીની પુત્રી વસુમતી છે. મૃગાવતી બોલી : “ધારિણી, મારી બહેન હોવાથી આ મારી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005243
Book TitleChovish Tirthankar
Original Sutra AuthorN/A
AuthorVimalkumar Mohanlal Dhami
PublisherNavyug Pustak Bhandar Rajkot
Publication Year
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy