SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મહાવીર સ્વામી ૨૬૯ પુત્રી તુલ્ય છે.' પાંચ માસ અને પચ્ચીશ દિવસે પ્રભુનો અભિગ્રહ પૂરો થવાથી પારણું કરીને પ્રભુ ગયા પછી શતાનિક રાજાએ લોભવશ થઈને વસુધારાનું દ્રવ્ય લેવા માંડ્યું ત્યારે શક્રઇન્દ્ર કહ્યું કે આ દ્રવ્ય ચંદનાનું છે. તે જેને આપે તે લઈ શકે. ચંદનાને પૂછતાં મારું પાલન કરનાર ધનાવહ શેઠ આ દ્રવ્ય રાખે તેમ જણાવ્યું. પછી ધનાવહ શેઠે તે વસુધારાનું દ્રવ્ય ગ્રહણ કર્યું. ઇન્દ્ર શતાનિક રાજાને કહ્યું : “રાજન, આ બાળા ચરમદેહી છે. ભોગતૃષ્ણાથી વિમુખ છે. તેથી જ્યારે વીરપ્રભુને કેવળજ્ઞાન થશે ત્યારે તે તેમની પ્રથમ શિષ્યા થશે. માટે ત્યાં સુધી તમારે આ બાળાનું રક્ષણ કરવું... ઈન્દ્ર આટલું કહીને તેના સ્થાને ગયો. રાજારાણી ચંદનાને લઈને રાજભવનમાં આવ્યાં. મૂળા શેઠાણીને ધનાવહ શેઠે કાઢી મૂકી. ને દુષ્યનથી મૃત્યુ પામીને નરકે ગઈ. શ્રી વીર પ્રભુ ત્યાંથી વિહાર કરીને સુમંગળ ગામે આવ્યા. ત્યાંથી પાલક થઈને ચંપાનગરીમાં આવ્યા. સ્વાદિદત નામના બ્રાહ્મણની અગ્નિહોત્રની શાળામાં તપ કરીને બારમું ચાતુમસ રહ્યાં. ત્યાં પૂર્ણભદ્ર અને માણિભદ્ર નામના બે યક્ષો દરરોજ રાત્રે . પ્રભુની પૂજા કરતા હતા તે જોઈને સ્વાદિતે જીવ સંબંધી પ્રશ્નો પૂછડ્યા. પ્રભુએ તેને ભવ્ય જાણીને પ્રતિબોધ કર્યો. શ્રી વીરપ્રભુ ત્યાંથી જંત્મક ગામે થઈને મેઢક ગામે આવ્યા. ત્યાંથી પગમાનિ ગામની બહાર શ્રી વિર પ્રભુ કાઉગ્ન ધ્યાને ઊભા રહ્યા. આ સમયે વાસુદેવના ભવમાં શય્યાપાલકના કાનમાં તપાવેલું શીશું રેડીને ઉપાર્જન કરેલું કં” પ્રભુને ઉદયમાં આવ્યું. ને શવ્યાપાલકનો જીવ મૃત્યુ પામીને ભવોભવ ભમીને ગોવાળ થયેલો. એણે પ્રભુ પાસે બળદો મૂકીને ગાયો દોહવા ગયો. બળદો સ્વેચ્છાએ ચરતા ચરતા દૂર અટવીમાં ગયા. ગોવાળે ત્યાં આવીને બળદોને જોયા નહિ તેથી પ્રભુને પૂછવા લાગ્યો. પરંતુ પ્રભુ તો કાઉસગ્ગ દશામાં ધ્યાનમગ્ન હતા. આથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005243
Book TitleChovish Tirthankar
Original Sutra AuthorN/A
AuthorVimalkumar Mohanlal Dhami
PublisherNavyug Pustak Bhandar Rajkot
Publication Year
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy