SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ ચોવીશ તીર્થંકર ગોવાળ ક્રોધિત થઈ ગયો. અને પ્રભુના બન્ને કાનમાં કાશડાની શળીઓ નાંખી. પછી તે શળીઓને તાડન કરવાથી તે શળીઓ પરસ્પર એવી રીતે મળી ગઈ કે જાણે તે અખંડ એક જ શળી હોય તેમ દેખાવા લાગી. ગોવાળ ચાલ્યો ગયો. ૨૦૦ આ તરફ પ્રભુએ સમભાવે તે વેદના સહન કરીને મધ્યમ અપાપા નગરીમાં પારણા અર્થે સિદ્ધાર્થ વણિકને ત્યાં ગયા. તેણે પ્રભુને ભક્તિથી પ્રતિલાભિત ફર્યાં. ત્યાં સિદ્ધાર્થનો ખરક નામનો વૈદ્યમિત્ર આવેલો હતો. એણે પ્રભુના દેહનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું તો પ્રભુના કર્ણમાં ખીલા જોયા. વૈધે તે ખીલા સિદ્ધાર્થને બતાવ્યા. સિદ્ધાર્થે કહ્યું : ‘કોઈ મહાપાપીએ આવું અકાર્ય કર્યું હોવું જોઈએ. મિત્ર, હવે તે કાઢવાનો ઉપાય શોધો...' વૈઘે કહ્યું : પ્રભુ શરીરની દરકાર કરતા નથી તો ચિકિત્સા કેમ થાય’ પ્રભુ બહાર ઉદ્યાનમાં કાઉસગ્ગ ધ્યાને રહ્યા. સિદ્ધાર્થ તથા ખરક વૈઘ ખીલા કાઢવા માટેની સામગ્રી લઈને પ્રભુ પાસે આવીને તેલની કુંડીમાં બેસાડીને તેમના શરીરને તેલનું અત્યંગન કર્યું. બળવાન ચંપી કરનારા માણસો પાસે મર્દન કરાવ્યું. પ્રભુના શરીરના તમામ સાંધા શિથિલ કરી નાખ્યાં. પછી બે સાણસી લઈ પ્રભુના બન્ને કાનમાંથી બન્ને ખીલા એકી સાથે ખેંચ્યા. તે ખેંચતા પ્રભુએ ભયંકર ચીસ પાડી, સંરોહિણી ઔષધિથી પ્રભુના કાનને રૂઝવી, ખમાવી, વંદન કરીને સિદ્ધાર્થ તથા ખરક વૈદ્ય પોતાના ઘેર ગયા. તેઓએ પ્રભુને વેદના કરવા છતાં પણ શુભાશયથી દેવનો બંધ કર્યો. જ્યારે ગોવાળ મૃત્યુ પામીને સાતમી નરકે ગયો. પ્રભુના નાદથી તે ઉદ્યાન મહાભૈરવના નામથી પ્રખ્યાત થયું. ત્યાં લોકોએ એક દેવાલય કરાવ્યું, પ્રભુને ઉપસર્ગોનો પ્રારંભ તથા પૂર્ણતા બન્ને ગોવાળોથી થયા. પ્રભુને તપસ્યામાં એક છમાસિક, નવ ચતુર્માસક્ષપણ, છદ્રિ માસિક, બાર માસિક, બોંતેર અર્ધમાસિક, એક ષણ્માસિક, બે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005243
Book TitleChovish Tirthankar
Original Sutra AuthorN/A
AuthorVimalkumar Mohanlal Dhami
PublisherNavyug Pustak Bhandar Rajkot
Publication Year
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy