Book Title: Buddhiprabha 1914 10 SrNo 07
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 12
________________ નના પ્રભાવથી જાણેલું સ્વરૂપ તે પણ શ્રુતજ્ઞાનથી જ કળી શકાય છે. માટે અત્યાદિક ચાર જ્ઞાન સ્થાપવા પેગ છે પરંતુ તેનાથી અન્ય જીવોને ઉપદેશ આપી ઉપકાર કરી શકાતો નથી. ઉપદેશ આપવાના માટે તો શ્રુતજ્ઞાન જે છે તે જ મહાન ઉપકારી છે એવા શ્રુતજ્ઞાનના શ્રવણ કરવાથી શુદ્ધાત્મિક પરમપદની પ્રાપ્તિ થાય છે જેથી કરીને શ્રુતજ્ઞાન ખાસ મેટું નિમિત્ત કારણ છે. શ્રુતજ્ઞાનનું નિરંતર શ્રવણ કરવાથી છવામાને શુદ્ધ સ્વરૂપ, વિશુદ્ધ, શ્રદ્ધાન ઉદભવે છે. જેનાથી શુદ્ધાત્માનું આચરણ, આસેવન તથા અનુભવ ઉત્પન્ન થાય છે તે જ પરમપદની પ્રાપ્તિ અવબોધવી. શ્રુતજ્ઞાન શ્રવણના પ્રભાવ થકી જીવાત્મા ધર્મ વિશે અવબોધી શકે છે અને ધર્મના અવબોધ થકી વિવેક પગટે છે તે જ્ઞાનબળથી અંતે મક્ષ મેળવી શકાય છે માટે સર્વ આત્મહિતેચ્છુ જનેએ નિરંતર શ્રુતજ્ઞાનને શુદ્ધ ભાવથી આદર કર. ચતુતિમાં પરિભ્રમણ કરતા જીવાત્માઓને શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ ઘણીજ કઠીણું છે. શ્રુતજ્ઞાનની પ્રાપ્તિથી પૂર્વે શ્રીગૌતમ સ્વામી, સુધર્મા સ્વામી, જંબુ સ્વામી, વિગેરે ઘણું મહાત્માએ સંસાર સાગરને તરી ગયા છે. વર્તમાનકાલે મહાવિદેહ ક્ષેત્રને વિષે વિચરતા શ્રી મધરાદિક ઇનવરોના સદુપદેશને શ્રવણ કરીને ઘણું તરે છે. ભવિષ્યકાળે શ્રી પદ્મનાભ વિગેરે તિર્થકરોની વાણને શ્રવણ કરીને શ્રીધની વિગેરે ઘણું જીવાત્માએ તરસે તેમજ આ ભરતક્ષેત્રમાં હાલ પણ જે જીવાત્માએ શુદ્ધભાવથી અતજ્ઞાનને સાંભળશે, ભણશે, અન્તઃકરણુથી તેના ઉપર શ્રદ્ધા કરશે તે સુલભબધી થશે, અને હલુ (લઘુ) કમ થઈ પરંપરાએ મુક્તિ મેળવવા ભાગ્યશાળી બની શકશે. એવા શ્રુતજ્ઞાનનું મૂલ દ્વાદશાંગી છે તેમજ તે શ્રુતજ્ઞાનના, વાંચના, પૂછના, પરાવર્તના, અનુપ્રેક્ષા અને ધર્મકથા આદિ ઘણા ભેદો છે તેમાં પણ ધર્મસ્થાના ચાર ભેદે શ્રી ઉવાઈ સૂત્રમાં કથન કર્યા છે તે આ પ્રમાણે છે:–આક્ષેપિણું, વિક્ષેપિણી, નિદિની અને વેદિની. હવે જે થકી એક તત્વમાર્ગમાં પ્રવૃત્તિ થાય તેને આક્ષેપણ કહીએ, જેનાવડે મિથ્યાત્વની નિવૃત્તિ થાય તેને વિક્ષેપિણી કહીએ, જેના શ્રવણથી મોક્ષની અબિલાવા ઉત્પન્ન થાય તેને નિયંદિની કહીએ; અને જે થકી વૈરાગ્ય ભાવની ઉત્પત્તિ થાય તેને સંવેદિની કહીએ. એવું પરમ પરોપકારી શ્રુતજ્ઞાન ચાર પ્રકારની ધર્મકથા સંયુક્ત ત્રણ ગઢના મજયભાગમાં દેવોએ રચેલા સિંહાસન ઉપર તથા અશોક વૃક્ષની હેઠળ બિરાજમાન થઈ એક એજનના પ્રમાણવાળા સમવસરણુની ભવ્ય બાર જાતની ખદાના સન્મુખ દેવાધિદેવ શ્રી તિર્થંકર પ્રભુ સંસારી જીવાત્માઓના હિતના માટે કથન કરે છે અને તેના શ્રવણ માત્રથી શ્રીગણધર મહારાજાએ દ્વાદશાંગીની રચના કરે છે તે ખાસ સુત્ર તરીકે ગણાય છે. ઉપરોક્ત રીતે દરેક જીનેશ્વર પ્રભુના સાસનમાં જાણવું. તેમજ વળી શ્રીજીનરાજ પ્રભુના શાસનમાં પ્રત્યેક બુધ, ચાદ પૂર્વધર અને દશ પૂર્વધર સુધીના મહાન જ્ઞાનવાન પુરૂ જે જે નિબંધની રચના કરે છે તેને પણ સૂત્ર સંજ્ઞા હોવાથી દ્વાદશાંગીના બામા દ્રષ્ટિવાદમાં તેને અન્તરભાવ થાય છે. વર્તમાન, પરમકૃપાળુ, દિનબંધુ, દિનાનાથ શ્રીમાન મહાવીર પ્રભુના ચાલતા સાસનમાં જે પીસ્તાલીશ છનામે છે તે સર્વે શ્રીક્રુતજ્ઞા નનાજ ભેદ છે એમ અવધવું. અન્ય પણું અક્ષર-અનક્ષરાદિક ચાદ અને પર્યાય-પર્યાય - માસાદિક વીસભેદ પણ તેનાજ છે. વર્તમાન દુઃખમ પંચમ કાળમાં ફક્ત શ્રુતજ્ઞાન જ પ્રકટપણે છે. કારણ મતીન છે પરંતુ તે તો શ્રુતજ્ઞાનરૂપ છે કેમકે શ્રુતજ્ઞાનનું જે સમવાયી કારણ તે માને છે, અને કારણથી કાર્યની તે અભિન્નતા છે, કિન્તુ ! ભિન્નપણું નથી. અન્ય અવધિ, મનમેવ અને કેવળ એ ત્રણ જ્ઞાન તો વર્તમાન સમયમાં ક્ષેત્ર કાલાદિક ભેદને અનુ

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32