Book Title: Bharatiya Sanskrutima Guru Mahima Author(s): Gunvant Barvalia Publisher: Arham Spiritual Centre View full book textPage 3
________________ ૫) ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા સંપાદકીય અર્હમ સ્પિરીચ્યુઅલ સેંટર સંચાલિત સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગુરુ જૈન ફિલોસોફિકલ ઍન્ડ લિટરરી રિસર્ચ સેંટર દ્વારા ૧૪-૧૫ ફેબ્રુઆરીના પારસધામ, ઘાટકોપર મુકામે યોજાનાર જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧૨ માટે ‘ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા' એ વિષય માટે વિદ્વાનોના પ્રાપ્ત શોધપત્રો-નિબંધોને ગ્રંથસ્થ કરી ‘‘જ્ઞાનધારા’” રૂપે પ્રગટ કરતાં આનંદની લાગણી અનુભવે છે. અખિલ ભારતીય શ્વેતાંબર સ્થાનકવાસી જૈન કૉન્ફરન્સ - મુંબઈના મુખત્ર ‘“જન પ્રકાશ”ના શતાબ્દી પ્રસંગે શ્રી બૃહદ્અંબઈ સ્થાનકવાસી જૈન મહાસંગ પ્રેરિત આ જ્ઞાનસત્રને સફળ બનાવવા બન્ને સંસ્થાના પ્રમુખ શ્રી મગનલાલ હરિલાલ દોશી અને શ્રી પ્રાણલાલ રામજીભાઈ શેઠ વેકરીવાળાનું સતત માર્ગદર્શન મળ્યું છે. સમગ્ર આયોજન માટે ખીમજીભાઈ છાડવા, બકુલભાઈ ગાંધી, રજનીભાઈ ગાંધીનો આભાર માનું છું. પારસધામ-ઘાટકોપરના ટ્રષ્ટીઓનો ઋણસ્વીકાર કરીએ છીએ. વિદ્વત્તાપૂર્ણ શોધપત્રો અને નિબંધો પાઠવનાર વિદ્વાનોનો આભાર. ગ્રંથના સમયસર પ્રકાશન કાર્ય માટે પ્રવીણભાઈ પ્રકાશન પ્રા. લિ. - રાજકોટના શ્રી ગોપાલભાઈનો આભાર. ૬૦૧, સ્મિત એપાર્ટમેન્ટ, ઉપાશ્રય લેન, ઘાટકોપર (ઈ). શ્રી ગુણવંત બરવાળિયા તા. ૧૫-૦૧-૨૦૧૫ ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા પં એવું વ્યક્તિત્વ જેમનું અસ્તિત્વ સદાય અનુભવાય, પારસધામ, પાવનધામ, પવિત્રધામ અને પરમધામના પ્રેરક, ‘લુકએન-લર્ન જૈન જ્ઞાનધામ’ અને ‘અર્હમ યુવા ગ્રુપ દ્વારા શાસનમાં નવ્ય ચેતના જગાવનાર, મહાપ્રભાવક ઉવસગ્ગહર સ્તોત્રના આરાધક, યુગ દિવાકર રાષ્ટ્રસંત પૂ. ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ.સા.ને વંદન સહ.Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 121