Book Title: Bhagwati Sutra Part 07
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 14
________________ વિવિ બેલ્યા તે શ્રી લાલચંદજી મહારાજે સાંભળ્યું અને તેઓશ્રીએ પૂછયું કે “વિનોદકુમાર ! તમે આ શું કરે છે, તેને જવાબ આપવાને બદલે “કપાળે વોસિરામિ” બેલી પાઠ પૂરે કર્યો અને પછી વિનયપૂર્વક બે હાથ જોડીને બોલ્યા કે “સાહેબ ! એ તે બની ચૂકયું અને મેં સ્વયમેવ દીક્ષા લઈ લીધી બરાબર જ છે અને તેમાં કોઈ ફેરફાર થઈ શકે તેમ નથી. આ સિવાય આપશ્રીની બીજી કઈ પણ પ્રકારની આજ્ઞા હોય તે ફરમાવે.” તે જ દિવસે બપોરના શાસ્ત્રજ્ઞ પૂ મુનિશ્રી સમર્થમલજી મહારાજ સાહેબે શ્રી વિનોદકુમાર મુનિને પિતાની પાસે બોલાવ્યા અને સમજાવ્યા કે “તમે એક સારા ખાનદાન કુટુંબના વ્યક્તિ છે. તમારી આ દીક્ષા અંગીકાર કરવાની રીત બરાબર નથી, કારણ કે તમારા માતા-પિતાને આ હકીકતથી દુઃખ થાય અને તેથી મારી સંમતિ છે કે રજોહરણની ડાંડી ઉપરથી કપડું કાઢી નાખો, જેથી તમે શ્રાવક ગણાવ અને જરૂર પડે તે શ્રાવકને સાથે લઈ શકે, એમ ત્રણવાર પૂ. મહારાજશ્રીએ સમજાવેલા પરંતુ તેમણે ત્રણેય વખત એક જ ઉત્તર આપેલો કે “જે થયું તે થયું, હવે મારે આગળ શું કરવું તે ફરમા ” શ્રી વિનોદમુનિના શ્રી સમર્થમલજી જેવા મહામુનિના પ્રશ્નના જવાબ પછી ખીચનનો ચતુર્વિધ સંઘ વિચારમાં પડી ગયા અને મુનિશ્રીઓ ઉપર સંસારીઓને કઈ પણ પ્રકારને આ નિષ્કારણ હુમલે ન આવે તે માટે શ્રી વિનોદમુનિને જણાવવામાં આવ્યું કે “અમારી સલામતી માટે તમારે જાહેર નિવેદન બહાર પાડવાની જરૂર છે ” ત્યારે શ્રી વિનોદમુનિએ પોતાના હસ્તાક્ષરે નિવેદન શ્રી સંઘ સમક્ષ પ્રકટ કર્યું, તેને સારું નીચે મુજબ છે – મારા માતા-પિતા મહને વશ થઈને દીક્ષાની આજ્ઞા આપે તેમ ન હતું અને “સર્વ નીવિયં મા ઉમrg” ને આધારે એક ક્ષણ પણ દીક્ષાથી વંચિત રહી શકું તેમ નથી, એમ મને લાગ્યું. શ્રી લાલચંદજી મહારાજ સાહેબ વગેરેએ મને મારી દીક્ષા માટે વિચારી પછી કરવાનું કહેલ પરંતુ મને સમય માત્રને પ્રમાદ કર ઠીક ન લાગે, તેથી શ્રી અરિહંત ભગવંતો તથા શ્રી સિદ્ધ ભગવંતની સાક્ષીએ મારા ગુરુ મહારાજ સમક્ષ પ્રવ્રયાને પાઠ ભણને મારા આત્માના કલ્યાણ માટે મેં દીક્ષા અંગીકાર કરી છે. સમાજીને ખે ખ્યાલ ન આવે કે મારી દીક્ષા ક્ષણિક જુસ્સાથી અગર ગેરસમજથી થઈ છે તેથી તથા સમાજમાં જૈનશાસનની પ્રભાવના થાય તે હેતુથી મારે મારે વૃત્તાંત પ્રગટ કરે ઉચિત છે. ઉત્તરાધ્યયન' સૂત્રના ૧૯ માં અધ્યયન પરથી મને લાગ્યું કે મનુષ્ય જીવનનું ખરું કર્તવ્ય મેક્ષફળ આપનારી દીક્ષા જ છે.

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 784