________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાલેશ્યા, અને શુકલેશ્યા છે વેશ્યા તરીકે શ્રી સવંશ તીર્થકર ભગવાન્ કથે છે, અને તે વિચારથીજ પુણ્યપાપ બંધાયું છે, અને બંધાય છે. પ્રિય સાધકે, સમજે કે,–પ્રસંજચંદ્રરાજર્ષિ કે જે દીક્ષા અંગીકાર કરી વીરપ્રભુના સમયમાં કાઉસગ ધ્યાને રહ્યા હતા. પ્રસંગવશાત અન્યજનના શબ્દ શ્રવણુથી તેમના મનમાં ખરાબ વિચાર આવ્યો. અને જેમ જેમ તે અન્ય પ્રાણીઓને નાશ કરવાના પાપી વિચાર કરવા માંડયા કે, તુરતજ તેઓ પ્રથમ નરક આદિ સાતે નરકનાં દળીયાં ઉપાર્જન કરવા લાગ્યા. આ પ્રસંગે વિરપ્રભુને શ્રેણિક રાજાએ પુછયું કે–પ્રસન્નચંદ્ર મરે તે ક્યાં જાય? ત્યારે શ્રી વીરપ્રભુએ પહલી નરક, બીજી નરક, યાવત સાતમી નરક બતાવી, પ્રસન્નચંદ્ર રાજઋષિ લડાઈના વિચારમાંથી સારા વિચારાની ભાવનામાં ચડ્યા એટલે તેમને નરકગતિ એગ્ય બાંધેલાં કર્મનાં દળીયાં વિખેરી નાંખ્યા, અને અંતે ઉત્તમશુકલ ધ્યાનમાં ચડી ઘાતકર્મ ક્ષય કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કરી મોક્ષપદ પામ્યા. સજજનો હવે વિચારે કે, વિચારમાં કેટલું બળ છે ? અચિંત્ય શક્તિ વિચારમાં રહી છે. માટે તમે ખરાબ વિચાર કરશે નહીં. આ ભવમાં અનિવાર્ય દુ:ખ રોગ તમે
www.kobatirth.org
For Private And Personal Use Only