________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૪
છૂટકે થવાનો નથી, રાજા હે રંક હે કીટક હો ઈદ હે, નર હો વા નારી હે પણ જેને અશુભકર્મ જેવા પ્રકારનું બાંધ્યું છે તેને તેવા પ્રકારનો ઉદય દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ યોગે થતાં તે ભોગવવું જ પડે છે, કઈ જીવે એવું કમ ઉપાર્જન કર્યું હોય છે કે તે માતાના પેટમાંને પેટમાંજ મરી જાય છે, વળી કઈ જીવે એવું કર્મ કર્યું હોય છે કે તે માતાના પેટમાંથી બહાર નીકળતાં આડો આવે છે. ત્યારે માતા મરી જાય એવી થાય છે અને વળી ઘણા ઉપાય કરતાં તે નહિ નીકળી શકે તે તેને કાપીને પણ બહાર કાઢવામાં આવે છે, કોઈ જીવ અંધ જન્મે છે, કોઈ જીવ બહેરા જન્મે છે, તે સર્વ કર્મનો વિપાક છે, કરેલા કર્મનો ક્ષય થતો નથી, અશુભ કર્મનો ઉદય થતાં રામચંદ્રજીને વનવાસ જવું પડ્યું, અને વળી સીતાને માથે કલંકનું આળ ચડ્યું તે પણ અશુભ કર્મના ઉદયથી જાણવું. મુંજરાજાને અશુભ કર્મનો ઉદય થતાં ઘેર ઘેર ભીક્ષા માગવી પડી, વળી શુભ કર્મને ઉદય થતાં રંક તે પણ રાજા બની જાય છે, વળી શુભ કર્મને ઉદય થતાં નિર્ધન હોય છતાં તેને એવી બુદ્ધિ થાય કે ચાલો આપણે પત્થરની ખાણ ખેદીએ, અને તે પત્થરની
www.kobatirth.org
For Private And Personal Use Only