Book Title: Atmashakti Prakasha Granth
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 137
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૬ વૈદ્ય, ઉંટ વૈદુ કરી લેકેને ઠગે છે. તેમ તમે પણ તે બાબતની સાવચેતી રાખજે. માથે એક જ્ઞાની ગુરૂની આજ્ઞા ધારજો. તમને જેમ જેમ યોગ્યતા પ્રાપ્ત થશે તેમ તેમ તમને અધ્યાત્મમાર્ગની કુંચીઓ અર્ચા કરશે. યોગ્યતાની ઘણી જરૂર છે. તમે સદગુરૂને દેખી તુરત બેઠા હોત ઉભા થઈ વંદન કરજે. ખાતાં પણ જે સગુરૂ મહારાજ પધારે તે ઉભા થઈ હાથ જોડી યથાયોગ્ય વિનય સાચવજે, પિતાનાજ ગામમાંજ સદ્ગર પધાર્યા હોય તે તેમનાં દર્શન કરી, તેમને શાસ્ત્રની આજ્ઞા પ્રમાણે ત્રણ પ્રદક્ષિણા દેઈ ખમાસમણાં તથા અમુઠ્ઠિઓ અભિતર પૂર્વક વંદન કરજે. જ્યારે ગુરૂ મહારાજ પાસે જાઓ ત્યારે વંદનની વિધિ સાચવજો. (ધર્મસ્ય મૂલંવિનય) ધર્મનું મૂળ વિનય છે, જેમ તમારામાં વિશેષ વિનય તેમ તમે યોગ્યતાના વિશેષ અધિકારી થશે, તમે સરૂ મહારાજ પાસે આવી અકડને અક્કડ રહી ઉભા ઉભા બે હાથ જોડી પરાણે લટક સલામીયા જેવું વંદન કરે છે, તે શું ગુમહારાજ નથી સમજી શકતા ? તમારી ગ્યતાને શું તે વિચાર નથી જાણતા ? તમે ગુરૂને વંદન કરવામાં જેટલું મનમાં ઓછું લાવે છે તેટલું જ તમારું કમનસીબપણું સમજવું. જેવી દેવમાં બુદ્ધિ છે. તેવી બુદ્ધિ તમેએ ગુરૂમાં સ્થાપન નથી www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150