Book Title: Atmashakti Prakasha Granth
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 134
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૩ સશુરૂ સંગતિ તથા સશાસ્ત્ર શ્રવણુ મનન, વાચન, એ મનને વશ કરવાનો રાજમાર્ગ છે. પણ તે બાહ્ય ઉપાય છે. આત્માના સ્વરૂપમાં મનને પ્રવર્તાવવું, તે મનને વશ કરવાનો અંતર ઉપાય છે. હવે તે એક જ આત્મસ્વરૂપમાં સ્થાપન કરેલું મન કેવું થાય છે તે જણાવે છે. आलंब्यैकपदार्थ यदा न किंचिद्विचिंतयेदन्यम् । अनुपनतेधनवन्हिवदुपशांतं स्यात्तदाचेत: ॥१॥ शोकमदमदनमत्सरकलहकदाग्रहविषादवैराणि । क्षीयंते शांतहदामनुभत्र एवात्र साक्षात्तः ॥२॥ ભાવાર્થ –આત્માના ગુણ પર્યાયનું અવલંબન કરીને આત્મા રૂપ એક પદાર્થમાં સ્થિર થએલું મન જ્યારે અન્ય પદાર્થોનું ચિંતવન નથી કરતું, ત્યારે તે પિતાની મેળે શાંત થઈ જાય છે. જેમ કાઈ વિનાની અગ્નિ પોતાની મેળેજ ઓલવાઈ જાય છે તેમ અત્ર સમજવું. વળી એવી રીતે શાંત મન થતાં શોક, અહંકાર, કામ, મત્સર, કલેશ, કદાગ્રહ, વિષાદ અને વૈર તે પોતાની મેળે ક્ષય પામે છે. જે મહાત્માઓએ આત્મામાંજ મનને લગાવી ઘણી મહેનતે મનને શાંત કર્યું છે, તેમને સાક્ષાત તેને અનુભવ વર્તે છે, એમ નક્કી જાણવું. વળી તે મન શાંત થઈ જતાં આત્માની કેવી સ્થિતિ થાય છે તે બતાવે છે. www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150