Book Title: Atmanand Prakash Pustak 052 Ank 04 05 Author(s): Jain Atmanand Sabha Bhavnagar Publisher: Jain Atmanand Sabha Bhavnagar View full book textPage 3
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નવા થયેલ માનવંતા પેટ્રન સાહેબ રા શ્રેષ્ઠીવર્ય શ્રીયુત છોટાલાલ ભાઈચંદભાઈ મુંબઈ - લઘુ શત્રુંજય તીર્થની ઉપમા જેને અપાય છે તેવા અને અન્ય સુશોભિત કળાયુક્ત રમણીય જૈન મંદિરોથી વિભૂષિત, તીર્થધામ જેવું, અનેક આચાર્ય દેવે, વિદ્વાન મુનિ & પુગના પવિત્ર ચરણ અને સ્થિરતાવડે વ્યાખ્યાન, ઉપદેશવડે પરંપરાથી જૈન સંસ્કારી છે કુટુંબ, લક્ષમી, વ્યાપાર વૈભવથી જેમાં વસેલા છે, તેવા સૌરાષ્ટ્રના મુખ્ય શહેર પૈકીના જ એક જામનગર શહેરના મૂળ વતની ધર્મવીર પુરુષ શ્રેષ્ઠીવર્ય શેઠ ભાઈચંદભાઈ અમુલખ ? અને પૂજ્ય માતુશ્રી મણિબેનની કક્ષામાં શ્રીયુત છોટાલાલભાઈનો જન્મ થયો હતો. ગુજરાતી છે તથા અંગ્રેજી ભાષાનું ધંધાની જરૂરીયાતવાળું જ્ઞાન તેમણે મેળવ્યું હતું. વ્યાપારના વિકાસ અર્થે પિતા ભાઈચંદભાઈને પૂર્વ સુકૃત મુંબઈ લઈ ગયું, અને ત્યાં દેવ, ગુરુ, ધર્મની ? શ્રદ્ધાપૂર્વક સેવા અને વિમાની લાઈનમાં પ્રમાણિકપણે કાર્ય કરતાં, સારા સારા વ્યાપારી, ઉદ્યોગપતિને ચાહ, પ્રતિષ્ઠા વગેરે મેળવતાં લહમીદેવીની પસંદગી ઉતરી, છતાં નિરંતરની તે આવશ્યક ક્રિયાઓ, દેવપૂજા, ગુરુ ઉપાસનાવડે ધાર્મિક જીવન જીવવા સાથે સુકૃતની લક્ષ્મીને સદ્વ્યય ઉદારતા વડે કરવા લાગ્યા, ત્યાં પૂજ્ય પિતાની પાસેથી છેટાલાલભાઈ $ આ ધંધાદારીનું શિક્ષણ મેળવીને કુશળ થયા, જો કે શ્રી છોટાલાલભાઈ તે સુસંસ્કાર સાથે એ લઈ જનમ્યા હતા, પૂજ્ય પિતાશ્રીની નિવૃત થઈ ધર્મ સાધન કરવા ઈચ્છા થતાં છે સુપુત્ર છોટાલાલભાઈને શ્રીયુત ભાઈચંદભાઈએ ધર્મ શ્રદ્ધા, લક્ષ્મી અને વ્યાપાર સુપ્રત કરી પિતે ધર્મસાધના કરવા લાગ્યા અને છેવટે પૂજ્ય પિતાના સ્વર્ગવાસ પછી ઉપરોક્ત વારસો પ્રવૃત્તિ શરૂ રાખતાં વ્યાપારી આલમમાં શ્રી છોટાલાલભાઈએ ચાહ પણ સારે મેળવ્યું, પિતાની જેમ અને પ્રમાણિકપણે જ બીઝનેશ કરતા પિતાની પ્રતિષ્ઠા પણ વધારી અને પિતાના બીઝનેસની પણ વૃદ્ધિ કરી. ઘણું વર્ષ પહેલાં તેઓશ્રી આ સભાની કાર્યવાહીથી સંતેષ પામી પ્રથમ પહેલા વર્ગના લાઈફ મેમ્બર થયા હતા, અને ત્યારબાદ વિનંતિ કરતાં હાલ તેવાજ હર્ષ સાથે આ સભાનું પેટ્રનપદ સ્વીકાર્યું છે, માટે આભાર માનવામાં આવે છે. આ સભા તરફથી શ્રીયુત છોટાલાલભાઈની પાસે તેઓનો ફેટે અને સંક્ષિપ્ત જીવન ચરિત્રને માટે લખતાં તેઓ સરલ, માયાળુ, નિરભિમાની અને સાદુ જીવન છે જીવનાર હોવાથી, ઘણે આગ્રહ કર્યો છતાં, આપવાની ઈચ્છા જણાવી નહીં, ખરેખર હર્ષ થવા જેવું છે કે, પોતે પુણ્યશાળી, લક્ષ્મીવંત હોવા છતાં પિતાની નામના કાઢવાની છે ઈરછા ધરાવતા નથી જેથી ખરેખર ધન્યવાદને પાત્ર છે. શ્રીયુત છોટાલાલભાઈ દીઘાયુષ્ય થઈ શારીરિક, આર્થિક અને આધ્યાત્મિક લક્ષમીને દિવાસાનું દિવસ વિશેષ પ્રાપ્ત કરે છે તેમ પરમાત્માની પ્રાર્થના કરીએ છીએ. % % % % A % % - %ન્ન ર છે છે ક્વઝ For Private And Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 37