Book Title: Atmanand Prakash Pustak 052 Ank 04 05
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 28
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (ગ) સંસ્થાનું ગત વર્ષનું સરવૈયું તથા આવકખર્ચના હિસાબ મંજૂર કરવા. (ઘ) વાર્ષિક કામકાજનો અહેવાલ મંજૂર કરે તથા તે હેવાલને પ્રસિદ્ધિ માટે બહાલી આપવી. () નવા વર્ષ માટે ખર્ચના અંદાજપત્રની બહાલી આપવી. (ચ) સંસ્થા તરફથી કોઈ પણ નવી પ્રવૃત્તિ હાથ ધરવાની તથા ચાલતી કઈ પણ પ્રવૃત્તિ બંધ કરવાની બહાલી આપવી. (છ) સંસ્થાની પ્રવૃત્તિઓ ઉપર દેખરેખ રાખવી અને વ્યવસ્થાપક સમિતિને સલાહ, સૂચના અને દોરવણી આપવી. (જ) વર્ષ માટે અન્વેષક(એડીટર)ની નિમણુંક કરવી તથા તેનું મહેનતાણું નક્કી કરવું. (૪) સંસ્થાની સામીલનની (મેમોરેન્ડમ) યાદીમાં કે બંધારણમાં ફેરફાર કરે. નોંધ –સંસ્થાની સામીલનની યાદીમાં કે બંધારણમાં ફેરફાર કરવાનો અધિકાર ખાસ તે જ હેતુ માટે બેલાવવામાં આવેલી સામાન્ય સભાની અસાધારણ બેઠકને રહેશે. સામીલનની યાદીમાં કે બંધારણમાં સૂચવાયેલા ફેરફારની નકલ પંદર દિવસ પહેલાં સભ્યોને મોકલવાની રહેશે. કાર્યસાધક સંખ્યા કેરમ)ના અભાવે મુલતવી રહેલી બેઠકમાં આ ફેરફાર મંજૂર કરાવી શકાશે નહીં. બેઠકમાં હાજર રહેલા સભ્યોની ૨/૩ બહુમતિથી જ ફેરફાર મંજૂર કરી શકાશે. ૧૦. બહુમતિ. કલમ ૯(૪)ની નેધને આધીન રહીને સામાન્ય સભાનું કામકાજ બહુમતિથી ચાલશે. બંને બાજુ સરખા મતે પડતાં પ્રમુખ વધારાને એક બીજો મત આપી શકશે. ૧૧. કાર્યસાધક સંખ્યા (કેરમ) બેઠકની કાર્યસાધક સંખ્યા (કરમ) બાર સભ્યની રહેશે. કલમ ૯(૪)ની નેંધને આધીન રહીને કાર્યસાધક સંખ્યાના અભાવે મુલતવી રહેલી અને તે જ કામ માટે ફરીથી મળેલી બેઠકને કાર્યસાધક સંખ્યાને બાધ રહેશે નહીં. આવી બેઠક પ્રથમથી ખબર આપીને અર્ધા કલાક પછી પણ બોલાવી શકાશે. નોંધ –આ સભાની કોઈ પણ બેઠકમાં હોદ્દેદાર ન હોય તેવા ચાર સભ્યોની હાજરી આવશ્યક ગણાશે. ૧૨. અસાધારણ બેઠક, અસાધારણ સંગમાં બેઠક પાંચ દિવસની નેટીસથી પણ મંત્રીઓ પ્રમુખની મંજૂરી મેળવીને બેલાવી શકશે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37