Book Title: Atmanand Prakash Pustak 047 Ank 06
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દેવગિરિ ૧૨. કન્યાનનીય મહાવીરપ્રતિમાકપમાં તેમણે જણાવ્યું કે “મહમ્મદ તઘલકે સાથે મેકલેલા ઘણું આડંબર સાથે દિલ્લીથી પ્રયાણ કરીને શાસનપ્રભાવના કરતા તેઓ મહારાષ્ટ્રના દેવગિરિ નગરમાં આવ્યા હતા અને ત્યાંથી સંઘપતિ જગસિંહ, સાહણ તથા મહૂદેવ વગેરે સંઘ સાથે પછઠ્ઠાણું (પૈઠણ) ગયા હતા અને ત્યાં શ્રી મુનિસુવ્રત ભગવાનની જીવંતસ્વામી પ્રતિમાનાં દર્શન કર્યા હતાં.” આ બનાવ સં. ૧૩૮૫ પછી છે. દેવગિરિ અને શાહ જગસિંહ. તપાગચ્છાધિપતિ શ્રી સેમસુંદરસૂરિના શિષ્ય શ્રી રત્નશેખરસૂરિજીએ સં. ૧૫૦૬ માં રચેલી શ્રાદ્ધવિધિની પજ્ઞવૃત્તિાવધિ કૌમુદીમાં (પૃ. ૧૦૩) તથા વંતિકાર આદિના કત સહસાવધાની શ્રી મુનિસુંદરસૂરિજીના શિષ્ય શ્રી શુભ શીલગણિએ રચેલી ભરતેશ્વર બાહુબલિવૃત્તિ ( ભરફેસર બાહુબલિની ટીકા) અપરામ કથાકોશની બાવીશમી કથામાં સાધર્મિક વાત્સલ્ય ઉપર દેવગિરિના શાહ જગસિંહનું દષ્ટાંત આપ્યું છે. દષ્ટાંતને સાર એ છે કે–સાધર્મિક વાત્સલ્ય મુક્તિને આપનારું છે એમ ગુરુમુખે સાંભળીને જગસિંહ શેઠે દેવગિરિમાં ૩૬૦ વણિકપુત્રોને પોતાના સમાન અદ્ધિવાળા કર્યા હતા. તે બધાને ત્યાં અનુક્રમે વર્ષમાં એક વાર પકવાન્ન આદિની ઉત્તમ રસોઈ કરવામાં આવતી હતી. અને બધા શ્રાવક કુટુંબ એકત્ર જમતા હતા. આ જમણમાં પ્રતિદિન ૭૨૦૦૦ ટંકનો ખર્ચ થતો હતો. આ પ્રમાણે જમાડવાને વારે દરેકને વર્ષે વર્ષે એક વાર આવતા હતા. - શ્રી શશીલગણિજીએ ૨૩ મી કથામાં જણાવ્યું છે કે જગસિંહ શેઠ તપાગચ્છનાયક શ્રી સોમતિલકસૂરિજીના ભક્ત હતા, અને તેમના ઉપદેશથી હજારો ઘોડા તથા બાવન દેવાલય સાથે લઈને સોમતિલકસૂરિજી સાથે શત્રુંજય-ગિરનારની યાત્રા કરી હતી. શ્રી શુભાશીલગણિએ ૨૧ મી કથામાં જણાવ્યું છે કે શ્રી જિનપ્રભસૂરિજી રામાનુગ્રામ ચિત્યપરિપાટી કરતા દેવગિરિ ગયા હતા. ત્યારે સર્વમંદિરમાં દર્શન કરતા અનુક્રમે જગસિહ શેઠને ગૃહમંદિરના દર્શનાથે પણ ગયા હતા, ત્યાં શ્રેષ્ઠ વૈર્યરત્નમય, સ્ફટિકમય તથા સુવર્ણરૂપમય પ્રતિમાઓવાળું તીર્થ તુલ્ય ગૃહત્ય જોઈને તેમણે મસ્તક ધૂણવ્યું હતું. જગસિંહ શેઠે મસ્તક ધુણાવવાનું કારણ પૂછતાં તેમણે જણાવ્યું કે હમણાં તમારા ગૃહચૈત્યનાં દર્શન કર્યા અને વિહારમાં આવતાં જ ઘાલપુરમાં તપાગચ્છીય શ્રી સોમતિલકસૂરિજીને વાંદ્યા. આ બંને તીથે મનમાં આવવાથી મેં મસ્તક ધૂણાવ્યું છે. આથી તેમને ગુણાનુરાગી જાણીને જગસિંહશેઠે વિશેષ પ્રકારે શ્રીજિનપ્રભસૂરિની ભક્તિ કરી હતી. - શ્રી રત્નશેખરસૂરિજીના શિષ્ય શ્રી મંદિરત્નના શિષ્ય શ્રી રત્નમદિગણિજીએ રચેલી ઉપદેશતરંગિણી (પૃ. ૧૫૯-૧૬૦) માં પણ શ્રી મતિલકસૂરિજી દેવગિરિમાં જગસિંહશાહને ઘેર દેવદર્શન કરવા ગયાને ઉલેખ છે. જગસિંહશેઠ અડગ સત્યવાદી હતા. એ સંબંધી હકીકત શ્રી સોમધર્મગણીએ સં. ૧૫૩ માં રચેલી ઉપદેશસસતિ વગેરેમાં વિસ્તારથી છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29