________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭મી જેન વતાંબર કોન્ફરન્સ
૧૪૧
કરેલા દીક્ષા સંબંધી કરાવને વધાવી લે છે અને વડોદરા રાજયના દીક્ષા સંબંધીના અને તેના લગતા બીજા ઠરાવો આથી રદ થાય છે અને જૈનશાસ્ત્ર સિદ્ધાંત અને પ્રચલિત અનુણને જે પ્રમાણે માન્ય રખાયા છે તે માન્ય રાખશે જેથી તેને કોઈ કાળે તે હેત લગાડે તેવું બેલશે કે લખશે નહિં. તે ઠરાવ શા મગનલાલ મૂળચંદના ટેકા સાથે સર્વાનુમતે પસાર થયું હતું.
તે પછી જેને આચાર્ય મહારાજે સંપ અને એકય અને સ્વામીવાત્સલ્યના સ્વરૂપ ઉપર હૃદયદ્રાવક અમૃતમય વાણી વડે ઉપદેશ આપ્યો હતો અને જૈનકે મને દંભરી અપીલ કરી હતી, ઉ પસંહાર કરતાં જૈન સમાજમાં એકતા થતી હોય તે એ ખાતર હું મારી આયાર્ય પદવી બાજુ ઉપર મૂકી દેવા તૈયાર છું, એ દીન જોવા હું ભાગ્યશાળી થાઉં તેમ ઈચ્છું છું. સંધને જયારે મારી જરૂર પડે ત્યારે હું તૈયાર છું વગેરે માટે કરેલું વિવેચન સર્વના હદયમાં કોતરાઈ રહ્યું હતું. ધન્ય છે આચાર્ય મહારાજ !!! તરણતારણ મહાત્મા !
તેના ઉપર શ્રી મેહનલાલ ચેકસીએ સ્પષ્ટીકરણ કરતાં જણાવ્યું કે-વડેદરા સરકારે અઢાર વર્ષની વયે દીક્ષા આપવાનો ઠરાવ અને તે કાયદાનો ભંગ કરનારને છ માસની શિક્ષા તે કાયદો શ્રદ્ધાસંપન્ન જેને સ્વીકારી શકે તેમ નથી, કારણ કે આ મોમાં આઠ વર્ષની દીક્ષાનું ફરમાન છે, આ વડેદરાનો કાયદે કરાવવાથી અખિલ હિંદની આ કોન્ફરન્સ હોવાથી સામુદાયિક દષ્ટ રાખવી જોઈએ. તે પ્રમાણે નહિં રાખવાથી કોન્ફરન્સમાં ભંગાણ પડયુ છે અને સાધુ સમાજની નજરમાં તે ઉતરી પડી છે વગેરે. અહિં જે વાત છે તે વડોદરા રાજે કરેલા ઠરાવને રદ કરાવવાની છે, મધ્યમવર્ગને ટટ્ટાર કરે હોય તે એકતાની જરૂર છે ને આ ઠરાવધારા જ તે સિદ્ધ થશે. આ વિવેચન થઈ રહ્યા બાદ ચમકારી અસર થવા સાથે ઠરાવ (વિરોધ પક્ષને વિરોધ ઓગળી જવા સાથે સર્વાનુમતે ઠરાવ પસાર થયો હતે.
જૈન ધમ સંબંધી આલેખન, આગામી વસ્તી ગણત્રી, તીર્થો, જિનમંદિર અને સરકારી કાનૂન ને સાહિત્ય ઉડ અને દતિહાસના અભ્યાસ વિના વિવેચન અને રેડીયેઠારા વક વહેતું મૂકવામાં આવે છે, તે માટે આ કેન્ફરન્સ ભારપૂર્વક જણાવે છે કે-તેવું બોલતાં, લખતા પૂર્વ જરૂરી જ્ઞાન મેળવાય તે પરંપરા મન દુખવવાને પ્રસંગ ન આવે વગેરે હકીકત જણાવતાં અને જૈનતીર્થો વગેરે અંગે કાયદા કરતાં પહેલાં જૈન પ્રતિનિધિ સંસ્થાઓનો અભિપ્રાય મેળવવા વગેરે માટે આ કોન્ફરન્સ સરકારનું ધ્યાન ખેંચે છે. તે પછી કનફરન્સની સ્થાયી સમિતિ નવી નીમવામી ચૂંટણી થઈ હતી. વગેરે કરો પછી કેલ્ફરસની પૂર્ણાહુતી થઈ હતી. આ કોન્ફરન્સની સફળતા થવામાં આચાર્ય મહારાજની પ્રેરણું, આશીર્વાદ, વિવેચન, પ્રભાવશાળી વકતવ્યું, શેઠ કરતુરભાઈના મુબારક હાથે ઉદ્દઘાટન, રાવસાહેબ અને કાતિલાલ શેઠની ધગશ, કુનેહ વગેરેવડે પ્રમુખસ્થાન અને કાળની પરિપકવતા થવાથી આ શુભ નિમિત્તો સાંપડ્યા છે. પરમાત્માને પ્રાર્થના છે કે-જૈન કોન્ફરન્સ ભાવિમાં પ્રગતિશીલ થઈ જેને ધર્મને ઉત્કર્ષ-પ્રગતિ કરવા ભાગ્યશાળી થાય.
For Private And Personal Use Only