________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી આત્માનંદ પ્રકાશ
" Early to bed and carly lo risc, Makes a man healthy, wealthy and wise. ( રાતે હેલા જે સુઈ, વહેલા ઉઠે વીર, બલ, બુદ્ધિ, બહુ ધન વધે, સુખમાં રહે શરીર. )
માનસિક સ્વાધ્ય. સ્મરણમાં રાખો કે શરીરની સુસ્થિતિનું સૂક્ષ્મરૂપથી મન જ મૂળ કારણ છે. આપણું શરીરમાં જેટલા રોગ ઉત્પન્ન થાય છે તેમાંના પ્રાય: સવે રેગેનું સૂક્રમ બીજ પ્રથમ આપણા મનની અંદરજ ઉત્પન્ન થાય છે, સુપ્રસિદ્ધ વિદ્વાન લેંડ એવ olg 541941 “Many bodily lucts have their origin in the
mind.” કંધ, ઈષ્યો, ષ, દુ:ખ, ભય, ઉદાસીનતા, સંતાપ, ચિતા આદિ માનસિક વિકારોથી આપણું આયુષ્ય તથા બળને ક્ષય થાય છે. જે આપણે ઉક્ત માનસિક વિકારોને આપણે આધીન રાખવા પ્રયત્ન કરીએ તો પછી સ્વાસ્થ રક્ષાના અન્ય નિયમનું પાલન કરવાથી પણ કાંઈ વિશેષ લાભ થશે નહિ. એ તો જાણીતી વાત છે કે સેન્ડેની વ્યાયામ પદ્ધતિમાં મનની ઈચ્છા-શક્તિને જ પ્રાધાન્ય અને મહત્વ આપવામાં આવ્યું છે. તાત્પર્ય એટલું જ છે કે શારીરિક સ્વાથ્ય માટે કોઈ ઉપાયનું અવલંબન કરતી વખતે આપણે આપણાં ચિત્તની પ્રસન્નતા ઉપર ખાસ ધ્યાન આપવું જોઈએ. જે આપણું મન પ્રસન્ન, આનંદિત, શાંત અને આપણા સ્વીકૃત કાર્યમાં એકાગ્ર રહેશે તે વ્યાયામ આદિ ઉપરોક્ત ઉપાયોથી આપણે શારીરિક સ્વાથ્ય સારું રહેશે એમાં લેશ પણ સંદેહ નથી.
સારાંશ એ છે કે આરેગ્યતાથી આ સંસારમાં સકળ સુખની પ્રાપ્તિ થઈ શકે છે. જીવન-સંગ્રામમાં વિજય પ્રાપ્ત કરવાને એજ સોથી મહાન અને પ્રથમ ઉપાય છે, તેની સિદ્ધિ અર્થે બ્રહ્મચર્ય, સ્નાન, ભજન, સ્વચ્છતા, વાયુસેવન, વ્યાયામ, નિદ્રા, માનસિક સ્વાચ્ય આદિ જે ઉપાયેનું સંક્ષિપ્ત વર્ણન અત્ર કવામાં આવ્યું છે તેના ઉપર અનેક સમર્થ વિદ્વાને મહત્વપૂર્ણ ગ્રંથ લખ્યા છે. જે આપણે શારીરિક આરોગ્ય ઉપર ગ્ય ધ્યાન નહિ આપીએ તો આપણે હમેશાં અમજ કહેવું પડશે કે “શરીર રોગોની ખાણ છે” “આ સંસાર અસાર છે. રોગગ્રસ્ત મનુષ્ય પોતાના કુટુંબને ભારરૂપ થઈ પડે છે, એટલું જ નહિ પણ તે પિતે પિતાના જીવનને પણ ભારરૂપ અને કંટાળા ભરેલું ગણવા લાગે છે. આ સંસારમાં વ્યાધિથી અધિક ભયાનક શત્રુ કેઈ નથી. તેનાથી આપણા શરીરને હમેશાં બચાવી રાખવા ઉદ્યમશીલ રહેવું તે પ્રત્યેક મનુષ્યનું પ્રથમ પવિત્ર કર્તવ્ય છે,
For Private And Personal Use Only