Book Title: Atmanand Prakash Pustak 018 Ank 10
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 27
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૭૨ સ્વઓળખાણ સંબંધી સ્થળ વિચાર. નથી કે હું ભવ્ય છું કે અભવ્ય ? જ્યારે ભવ્ય જીવનને જ એ વિચાર આવે છે. કેવળી ભગવંતે પ્રરૂપેલા તત્વેની રૂચી દહણા–ભવ્ય જનને જ થાય છે. અભવ્યને એ બધુ થતું નથી. આવી સ્કુલ બાબતોથી આપણે સ્વ ઓળખાણ સંબંધી વિચાર કરો નિશ્ચય કર જોઈએ કે આપણે ભવ્ય કે અભવ્ય ? ૧૨ અનંત કાળથી આપણે જીવ મિથ્યાત્વ ને અજ્ઞાનના સહવાસને લીધે પોતાનું સ્વરૂપ ભૂલી ગયા છે અને કર્મરૂપ જડની સબતથી તે જડરૂપ એટલે પુદ્ગલાનંદી થઈ ગયા છે. હવે જ્યારે અહીં તેનું શુદ્ધ સ્વરૂપ ઓળખવાને વખત અને સાધન સામગ્રી પ્રાપ્ત થયા છે, તેવા વખતે કેવળ અફળ અને મિથ્યાત્વના પ્રબળ ઉદયને લીધે આપણે આપણા પોતાના સ્વરૂપને ઓળખવાની દરકાર નહિ કરીએ તેમાં આપણને પોતાને જ નુકશાન છે. તેમાં બીજા કેઈને નુકશાન નથી. આપણે પિતાના અંગત સ્વાર્થ–આત્મ લાભ–સેવા છે એનો વિવેક કરી શકતા નથી એજ અજ્ઞાન અને મિથ્યાત્વ છે. આપણને કેઈ એ બાબતની સુચના કરે છે, ત્યારે આપણે તેમની ઉલટા મજા કરી તેમને હસી કાઢીએ છીએ એ ખરેખર મેહની તીવ્રતાનું લક્ષણ છે, મેહ મુઝાવી નાખે છે. જેમ માદક પદાર્થને ઉપયોગ કરેલ પ્રાણ પિતાનું સ્વરૂપ ભૂલી જઈ ચઢા તઢા ગમે તેમ બોલે છે, તેમ મહના પ્રબળ ઉદયના લીધે આપણે પણ વસ્તુસ્વરૂ૫ની યથાર્થ ઓળખાણ કરવાની સુચના કરનારને ઉલટા હસીએ છીએ એ માદક પદાર્થના ઉપયોગને કરનારની જેવા આપણે છીએ, માટે હમેશાં શેડો સમય બચાવી આપણે આપણું આત્માની ઓળખાણ કરવાને માટે પ્રયત્ન કરે એ આપણું પિતાની ફરજ છે. આપણે અનર્ગલ દ્રવ્ય અને મોટું કુટુંબ મેળવવાને પુણ્યના ભેગે શકિતવાન થયા હઈશું પણ આખરે એ સર્વ આપણા આત્માને હિતદાયક નથી. આપણે આપણું શુદ્ધ સ્વરૂપ ઓળખી મિથ્યાત્વાદિને ત્યાગ કરી આપણું આત્માના સહજ સ્વાભાવિક ગુણે જેટલે અંશે પ્રગટ કરવાને શકિતમાન થઈશુ. એજ આપણા પિતાના હકમાં ફાયદાકારક છે આ ધ્યેય હમેશાં લક્ષમાં રહેવાની જરૂર છે. લેખક–વકીલ નંદલાલ લલુભાઈ વડેદરા. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32