Book Title: Arjun Mali Chandan Malayagiri
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 15
________________ અર્જુનમાળી થઈ ગયો. સુનંદા તો ચેલ્લણાની સખી હતી. એણે પણ સાથ પૂર્યો. ૧૩ મહારાજા શ્રેણિક અભયકુમારને મહામંત્રીપદે સ્થાપી હાલમાં રાજકાજમાંથી ઘણીખરી નિવૃત્તિ સેવતા હતા. બૌદ્ધધર્મના સંસ્કારો પામેલા મગધરાજ રાણી ચેલ્લણાની અને તેના ધર્મની અનેક રીતે પરીક્ષા લેતા હતા, પણ રાણી ચેલ્લણા બધામાં સફળ નીવડતી જતી હતી. આજે મહારાણી ચેલ્લણાને વહેલી સવા૨થી જ ધમાલમાં પડેલાં જોઈ, મગધરાજને કુતૂહલ થઈ આવ્યું. તેઓ તરત જ મહારાણીના મહેલે આવ્યા. ક્યાં પધારો છો, રાણીજી !' વૈભારગિરિ પર પ્રભુ મહાવીર પધાર્યા છે.’ ‘શું દર્શનાર્થે જાઓ છો ?” ‘હા દર્શનાર્થે. નગરશેઠ શાલિભદ્ર અને ધન્નાશેઠે દીક્ષા અંગીકાર કરી; તે માટે તેમને વંદન કરવા જઈએ છીએ!’ શું બંને શેઠે દીક્ષા અંગીકાર કરી ?” મગધરાજ આશ્ચર્ય પામ્યા. ‘હા. ચાલો ને નજરે જોઈ લો ! મહારાજાને કુતૂહલ પેદા થયું. ભગવાન મહાવીર વિશે છેલ્લા દિવસોમાં તેમના કાન ૫૨ ઘણું આવ્યું હતું અને આજે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36