Book Title: Arjun Mali Chandan Malayagiri
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 32
________________ ૩૦ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી : ૧ - ૯ વિદેશી મહાનુભાવોની નજરે જૈન ધર્મના સિદ્ધાંતો મને ખૂબ જ ગમે છે. જો પુનર્જન્મ હોય તો મૃત્યુ પછી મારો જન્મ જૈન કુટુંબમાં થાય એમ ઇચ્છું છું. જ્યાંર્જ બર્નાડ શૉ જિજ્ઞાસુઓની દૃષ્ટિથી હિન્દુસ્તાનના ધર્મોના અભ્યાસમાં મેં ઊંડો રસ લેવો શરૂ કર્યો. હિન્દુસ્તાનના બધા ધર્મોમાં શ્રી મહાવીરસ્વામીએ પ્રરૂપેલો ધર્મ સર્વોત્કૃષ્ટ હોય એવો મારા અંતરના ઊંડાણમાંથી સતત અવાજ આવ્યા કરે છે. જૈન ધર્મ એક એવો ધર્મ છે કે જે પ્રાણીમાત્રને આ સંસારના દુ:ખમાંથી મુક્ત કરવાનું સામર્થ્ય ધરાવે છે એમ મેં સાંભળ્યું હતું. મારા એ સંસ્કાર દિન-પ્રતિદિન વધુ સબળ બનતા ગયા અને એ દર્શનનો અભ્યાસ ક૨વા હું ભારતવર્ષમાં આવી. અહીં આવ્યા પછી મને ખાતરી થઈ છે કે મહાવીરસ્વામીનો ધર્મ માત્ર નિયમોમાં કે ગ્રંથોમાં જ નહીં, પણ આચાર, વિચાર અને વિધિ વગેરેમાં પણ તેનો મહિમા પ્રત્યક્ષપણે પ્રગટેલો જોઈ શકાય છે. આત્મશાંતિ અને આત્મસંતોષ મેળવવા મથનારાઓ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 30 31 32 33 34 35 36