Book Title: Arjun Mali Chandan Malayagiri
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 29
________________ ચંદન મલયાગિરિ - - - - ચંદન રાજા પ્રજાને સારી રીતે પાળે છે અને તેમના સુખનો વિચાર કરે છે. તેમને સુખની બધી સામગ્રી મળી છે, પણ સુખ લાગતું નથી. તેમને તો વહાલી રાણી મલયાગિરિ તથા પ્રિય પુત્રો સાયર અને નીરનો વિજોગ સાલ્યા જ કરે છે. સાયર ને નીર વણજારાને ત્યાં જુવાનજોધ થયા છે. તેમણે હવે વિચાર કર્યો. ચાલો આપણે અહીંથી છૂટા પડીએ અને આપણું નસીબ અજમાવીએ. તેઓ વણજારાની રજા લઈ ચાલી નીકળ્યા. ચાલતાં ચાલતાં તેઓ ચંપાપુરી ગયા. ત્યાં રાજદરબારે જઈ રાજાને પ્રણામ કર્યા. - રાજા તેમને ઓળખતો નથી. તેઓ રાજાને ઓળખતા નથી. તેઓને છૂટા પડ્યા આજે બાર બાર વર્ષનાં વહાણાં વહી ગયાં છે. રાજાએ આ બે જુવાનોને પૂછયું: અરે જુવાનો ! તમારું અહીં આવવું કેમ થયું છે ? સાયર ને નીર બંનેએ જણાવ્યું : અમે દૂર દેશથી આવીએ છીએ અને રાજ્યમાં નોકરી લેવાની અમારી ઇચ્છા છે. રાજાએ લાયકાત જોઈ તેમને નગરના કોટવાળ નીમ્યા. હવે રાણી મલયાગિરિને લઈને ફરતો ફરતો પેલો સોદાગર ચંપાપુરી આવ્યો. તેણે રાજાને કીમતી વસ્તુઓ ભેટ આપીને વિનંતી કરીઃ મહારાજ ! મારી સાથે લાખો રૂપિયાનો માલ છે, માટે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36