________________
ગમો-અણગમો
૧૦૭
૧૦૮
આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ)
ઉદાસીનતા આવી જાય. એટલે રાગ ને દ્વેષ બન્નેનાં તરફ, ઉદાસીનતા એટલે શું કે પક્ષપાત નહીં, કોઈનો પક્ષપાત નહીં. જ્યાં દ્વેષ કરવાનો હોય તે ય પક્ષપાત નહીં, રાગ કરવાનો હોય તોય પક્ષપાત નહીં. અને પછી આગળ જાય તો વીતરાગતા ઉત્પન્ન થાય. પણ ઉદાસીનતા હોય ત્યાં સુધી દયા હોય. અને જ્યાં સુધી દયા ત્યાં પૂર્ણ દશા નહીં. એટલે કરુણા એ મોટામાં મોટી વસ્તુ. કાર્યતા ઉત્પન્ન થઈ જાય એટલે થઈ રહ્યું !
પ્રશ્નકર્તા: હવે આ પસંદગી કરે ત્યારે રાગ-દ્વેષ કહેવાય ને? આ પસંદગી કરી કરી કરીને બધું યાદ રાખેને ?
દાદાશ્રી : પસંદગી વસ્તુ તો ઠીક છે. જેમાં રાગ, રાગ એટલે પસંદગી. એમાં બધું બહુ આવી ગયું. એક જ શબ્દમાં કહીએ તો પસંદગી એકલું નહીં, જેમાં રાગ એ બધું યાદ રહે અને દ્વેષ હોય તે યાદ રહે.
પ્રશ્નકર્તા : પહેલેથી છેલ્લે સુધી બધી ચીજમાં પસંદગી કરીને જ રાગ ભેગા થયા છે.
જ્ઞાનીના કહ્યા પ્રમાણે ચાલે ને, તો ફૂલસ્ટોપ આવી જાય. ડખલ કશી નહીં !
પ્રશ્નકર્તા : આત્મા ઉદાસીનભાવે રહેલો છે અને બીજું આત્માનો સ્વભાવ તો જ્ઞાતા-દ્રષ્ય ને પરમાનંદી છે, તો ઉદાસીનભાવે એ કેવી રીતે રહે ?
દાદાશ્રી : ઉદાસીન એટલે, એ કહેવાનો ભાવાર્થ એવો છે કે સંસારમાં એને કોઈ અપેક્ષા નથી. જે મૂળ આત્મા છે ને, એને સંસારમાં કોઈ અપેક્ષા નથી એટલે ઉદાસીનભાવે રહ્યો છે. આ લોકોને વીતરાગભાવે કહીએ તો સમજણ ના પડે. પણ ઉદાસીન કહીએ ત્યારે સમજણ પડે. સંસારની એને પડેલી જ નથી, એને લેવા-દેવા જ નથી. એનો પોતાનો સ્વભાવ જુદો, સંસારનો સ્વભાવ જુદો. સંસારનો પુદ્ગલ સ્વભાવ છે, પોતાનો સ્વસ્વભાવ છે.
શુદ્ધ ચેતન તો ઉદાસીનભાવે રહેલું છે. ખાલી પ્રકાશ જ આપે છે. તારે જેમાં વાપરવું હોય એમાં વાપર. કારણ કે પ્રકાશ જે આપવા આવતો ય નથી. જેમ આ સૂર્ય કંઈ પ્રકાશ આપવા આવતો નથી, એનો સ્વભાવ છે. અને આપણે અમથા વગર કામના ઉપકાર માનીએ, તો એને રીસ ચઢે ઉલટી, કહેશે કે આ લોકો કેવા છે વગર કામનાં ! એ તો એનો સ્વભાવ છે એનો.
દાદાશ્રી : એવું છે ને, રાગમાં તો પસંદગી સમાય. પસંદગીમાં રાગ ના સમાય.
એટલે જેમાં રાગ અને જેમાં દ્વેષ એ એને યાદ આવ્યા જ કરે. એટલે વીતરાગને યાદ ના આવે. પણ એ તો શબ્દ એના આધીન લખેલો આ વાક્ય પૂરતું. પણ તેનો વીતરાગનો અર્થ યાદ ના આવે એવું કહીએ તો બધા બાવાઓને યાદ નહીં આવતું ને ત્યાં બધા પડી રહ્યા છે હિમાલયમાં. એનો અર્થ અવળો થયો. વીતરાગ એટલે એનો અર્થ જ કેવો ? જેમ છે એમ, રાગદ્વેષ રહિત વીતરાગ ! વીતરાગને તો ભૂલવાનું-બુલવાનું હોય જ નહીં ને ! એમને તો જ્યાં આગળ રાગ જ નથી તો પછી યાદ જ નથી આવતું. રાગ ભૂલવાનું ક્યાંથી હોય ? રાગ-દ્વેષવાળો ભૂલે નહીં કોઈ દહાડોય.
પ્રશ્નકર્તા યાદ આવે તો વીતરાગ નહીં.
દાદાશ્રી : હા. યાદગીરી રાગ-દ્વેષને આધીન છે. એક શબ્દ એકલો નહીં, ભૂલી જવું એકલો શબ્દ નહીં, આખી ડિક્ષનરી જ ના હોય એ.
ફેર, સ્નેહ અને રણમાં ! પ્રશ્નકર્તા : સ્નેહ એટલે રાગ ?
દાદાશ્રી : સ્નેહ એટલે ચીકાશ. કેરી માટે સ્નેહ ઉત્પન્ન થયો એટલે ચોંટ્યું. ભઈબંધ માટે સ્નેહ ઉત્પન્ન થયો કે ચોંટ્યું. સ્નેહ એટલે ચીકાશ. સ્નેહ ને રાગમાં બહુ ફેર.
રાગ-દ્વેષ ત્યાં ચાગીરી
પસંદગી એ ભ્રાંત અભિપ્રાય છે. યાદ પસંદગીને આધીન રહે છે. પણ જેમાં રાગ-દ્વેષ હોય ને એમાં યાદ રહે.