Book Title: Aptavani 13 U
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 151
________________ જ્ઞાન - અજ્ઞાન ૨ ૨૭ ૨૨૮ આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ) પ્રશ્નકર્તા : એ કેવી રીતે ? દાદાશ્રી : આ અમને બધી છે તે કોઝ વગરની ઈફેક્ટ છે ને ? ત્યાં સુધી ફોટો પડે. એટલે ત્યાં સુધી પેરેલલ પેરેલલ ચાલે છે આ, રિલેટિવ ને રિયલ બેઉ. ફોટો પડે એટલે એ રિલેટિવનો ફોટાનો લાભ મલે ને આ એકઝેક્ટનો લાભ મલે, રિયલનો. એટલું જ્ઞાન પેરેલલ ચાલ્યા કરે છે. એટલે બધું મળતું આવે. એમને જે જાણવું છે તે બધું મળતું આવે નવ્વાણું ડીગ્રી, નવાણું પોઇન્ટ સુધી. છેલ્લે ના સમજાય એમને. જેનો ફોટો ના પડે. દાદાશ્રી : જ્ઞાને ય પુદ્ગલનું જ. આત્મા સર્વસ્વ જ્ઞાની છે. પણ જેટલું પુદ્ગલ આવરણ ખસ્યું. અહીં આટલી ડિગ્રી સુધી એટલું પુદ્ગલનું જ્ઞાને પ્રગટ થાય. પ્રશ્નકર્તા : આવરણ હટ્યાં એટલે ચેતનનું જ્ઞાન પ્રગટ થયું ને ? દાદાશ્રી : હા, પ્રગટ થયું. તો પણ જ્ઞાન તો આત્મામાં છે જ પૂરેપૂરું. પ્રગટ જેને થયું તેનું જ્ઞાન. જ્ઞાન તો આત્માનું ખરું પણ આ પ્રગટ કોને થયું કે આટલી ડીગ્રી પ્રગટ થઈ. જ્ઞાન એ પુદ્ગલનું જ્ઞાન. પ્રશ્નકર્તા : એ પુદ્ગલનું કહેવાય ? દાદાશ્રી : એ પુદ્ગલનું. આત્માનું તો છે જ પૂર્ણ જ્ઞાન, પણ છેવટે પુદ્ગલનું જ્ઞાન પૂર્ણ થશે ત્યારે મોક્ષે જશે. કારણ કે એને સરખે સરખું કરી નાખવાનું. ભાવના કરી કરીને તે રૂપ જ કરવાનું. પુદ્ગલને ભગવાન બનાવવાનું છે. જ્યારે ‘એનાં’ જેવું ‘પોતે’ થઈ જશે, એટલે છૂટું થઈ ગયું. પછી પૂર્ણાહુતિ થઈ. ધીમે ધીમે ભાવના કરી કરીને આ પુદ્ગલને ભગવાન બનાવવાનું છે. જ્ઞાની થયા એટલે હજુ તો થોડુંક બાકી રહ્યું, કાચું રહ્યું. હવે જ્ઞાની એ આત્મા ના કહેવાય, પુદ્ગલ કહેવાય. દરઅસલ આત્મા તો સંપૂર્ણ સર્વજ્ઞ છે. એટલે આ પુદ્ગલ જે છે તે, વ્યવહાર આત્મા કહેવાય પ્રશ્નકર્તા : આ બરોબર સમજાયું નહીં. ફરી સમજાવો કે રિયલ અને રિલેટિવ, બેઉ ૯૯.૯૯ સુધી સરખાં લાગે. - દાદાશ્રી : આ રિલેટિવ જ્ઞાન છેને, પણ જોડે જોડે ચાલે છે પેરેલલ. જેમ બે પાટાં બધાય જોડે જોડે હોય ને ! પણ પેલું ફોટોગ્રાફી રૂપે હોય ને આ એકઝેક્ટરૂપે હોય. છેલ્લા ૧૦Cમાં અંશમાં છે તે ફોટો નથી પડતો, એટલું ત્યાં ફોટોગ્રાફીરૂપે ના હોય. પ્રશ્નકર્તા : રિલેટિવ ને રિયલ જ્ઞાન તો જુદું જ છે ને ? દાદાશ્રી : હા, જ્ઞાન જુદું. આ એકઝેક્ટરૂપે, રિયલ અને પેલું રિલેટિવ ફોટારૂપે. ફેરફાર તો બધો બહુ જ. પણ એકઝેક્ટ એના જેવું જ હોય બધું, ડિઝાઈન, બિઝાઈન બધી મળતી આવે. એ ક્રિયાકારી ના હોય ને આ ક્રિયાકારી હોય.. આવરણ ખચ્ચે પ્રગટે આતમજ્ઞાત ! આત્માનું જ્ઞાન તો સંપૂર્ણ જ છે. પણ આત્મા તો જ્ઞાની જ છે ને ?! જેટલું પુદ્ગલનું આવરણ ખસે છે એટલું જ્ઞાન પ્રગટ થાય છે, બસ. એટલે પુદ્ગલનું જ્ઞાન ત્યાં આવીને ઊભું રહે છે. તે આટલી ડીગ્રીએ આવ્યું આ. પ્રશ્નકર્તા : તો જ્ઞાન પુદ્ગલનું છે કે આત્માનું છે ? પ્રશ્નકર્તા : તો આ વ્યવહાર આત્માને જ્ઞાન થયું કહેવાય છે ? દાદાશ્રી : જે પુદ્ગલ છે, તેને વ્યવહાર આત્મા કહીએ છીએ. એટલે વ્યવહાર આત્માનું પોતાનું જ્ઞાન કેટલું ? કે આટલું થયું છે. પણ જ્યારે પૂર્ણાહુતિ થશે ત્યારે બેઉનો છૂટકારો. જ્યાં સુધી બેઉ પૂરું થાય નહીં, ત્યાં સુધી છૂટકારો થાય નહીં. પ્રશ્નકર્તા : વ્યવહાર આત્મા જે છે તેની ઉત્પત્તિ કેવી રીતે થઈ ? દાદાશ્રી : એની ઉત્પત્તિ જ ના હોય ને, છે જ એ તો પહેલેથી. અનાદિકાળથી છે જ. એનો અંત આવશે. અને જ્ઞાની પુરુષ મળે ત્યારે

Loading...

Page Navigation
1 ... 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258