Book Title: Aptavani 13 U
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 197
________________ ૩૧૮ આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ) નિરાલંબ ૩૧૯ અમારું કરે. એટલે જ્ઞાની જ પોતાનો આત્મા છે એટલે એને તો જુદો ગણાય નહીં. પછી ભય નહીં રાખવાનો કે જ્ઞાની માંદા થાય તો એ ના હોય તો આપણે શું કરીશું ? એવો કશો ભય રાખવાનો નહીં. જ્ઞાની મરતા જ નથી. એ તો દેહ મરે. એ અવલંબન અમારું હોય જ નહીં ને ! અમે નિરાલંબ હોઈએ ! સહેજે ય અવલંબન ના હોય આ દેહનું કે પૈસાનું કોઈ એવું. પ્રશ્નકર્તા : અમને તો જ્ઞાનીનું, જ્ઞાનનું અને જ્ઞાનીના દેહનું સરખું જ અવલંબન લાગે. દાદાશ્રી : દેહનું અવલંબન તો, દેહ તો કાલે જતો રહે. પ્રશ્નકર્તા : એ સહન ના થાય. દાદાશ્રી : નીરુબેને તરત કામે ય કરવા માંડ્યું અને જે અત્યારે બધા નિયમો પાળે છે મારી આજ્ઞા પ્રમાણે, તે બધી પ્રકૃતિ તોડી નાખશે. મને સંતોષ થઈ ગયો ! પ્રશ્નકર્તા : દાદા બોલ્યાને, હું, આત્મા ને બેઠક.... દાદાશ્રી: ‘હું'ને બેઠકનો આધાર ! જગતમાં એકલાં જ્ઞાનીને કોઈ વસ્તુનો આધાર હોય. આત્માનો જ આધાર, જે નિરાલંબ છે ! પ્રશ્નકર્તા : કોને આત્માનો આધાર, હુંને હોય કે બેઠકને હોય ? દાદાશ્રી : હું જ આત્મા અને આત્મા તે હું. આધાર જ આત્માનો. એટલે અવલંબન ના હોય. કોઈ અવલંબન ના હોય, તો નિરાલંબ થાય છે, નિરાલંબ ! એ જાણે છે, દાદા નિરાલંબ છે. પ્રશ્નકર્તા : એટલે હું ને આત્મા એક થઈ જાય ? દાદાશ્રી : છે એક જ. પણ બેઠકને લઈને જુદા. પ્રશ્નકર્તા : બેઠક ખસેડી લે તો હું ને આત્મા એક થઈ જાય ? દાદાશ્રી : એક થઈ જાય, બસ. પ્રશ્નકર્તા અથવા તો બેઠક હોયને હું ને આત્મા બે એક થઈ જાય એવું બને ? દાદાશ્રી : ના. ના. બેઠકનો ગુરખો રાખવો પડે. એ વિચાર આવે કે આ શું કરશે ? બેઠકે ય એ સાચી નીકળી તો નીકળી, નહીં તો દગો નીકળે છે. તમને નહીં લાગતું ? પ્રશ્નકર્તા : હા, દગો જ નીકળે છે. દાદાશ્રી : એના કરતાં આપણું શું ખોટું ? પ્રશ્નકર્તા : બેઠકમાં જ્ઞાની જ એકલા રાખવાના, બીજું કંઈ જ નહીં. દાદાશ્રી : જ્ઞાનીને માથે પડવાનું, તમે જે કરો એ. તમારું જે કરે એ દાદાશ્રી : એ સહન નીરુબેનને ના થાય. ‘આપણને’ ! તો થાય ને ! તમારે આવું સ્ત્રીપણું કાઢવાનુંને ! ‘તમે... તમારે બહુ ઊંડા ના ઉતરશો. ‘એમને’ આ કાઢવું પડશે. નીરુબહેનને સહન ના થાય એ બરોબર છે. પણ એમનો આ ગૂંચવાડો નીકળી જાય તો બહુ થઈ ગયું. સૂક્ષ્મ દાદા, નિદિધ્યાસત સ્વરૂપે ! પ્રશ્નકર્તા : દાદા ભગવાન તો ચૌદ લોકનો નાથ છે, એના સિવાય બીજું શું જોઈએ ?! દાદાશ્રી : ચૌદ લોકનો નાથ છે. પણ એ આપણા હાથમાં પકડાય શી રીતે ? આ દેહ મંદિર છે ત્યાં સુધી પકડાય. પછી મંદિર જ ઊડી ગયું તો ? પ્રશ્નકર્તા : ભાવના તો રાખી છે ! આપના સિવાય કંઈ જ ખપતું નથી. દાદાશ્રી : એ બરોબર છે. મહીં ચાલે મારા ભઈ, ચાલે. ભાવના ચાલે. ભાવનાઓનો લાભ મળે. પ્રશ્નકર્તા : એટલે એક્ઝક્ટ ભાવના શું હોવી જોઈએ તો ? દાદાશ્રી : સૂક્ષ્મ દાદાની.

Loading...

Page Navigation
1 ... 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258