Book Title: Aptavani 13 U
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 232
________________ ૩૮૮ આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ) હું, બાવો, મંગળદાસ ૩૮૯ જ હું, બાવો અને મંગળદાસ ! એનો એ જ બ્રહ્મ, એનો એ જ બ્રહ્મ ને એનો એ જ પછી ભ્રમિત થઈ જાય છે ! પર્સનલ, ઈમ્પસર્નલ અને ઍબ્સોલ્યુટ ! પ્રશ્નકર્તા : મહાન તત્વચિંતકો જે બધા છે, એમણે જે મૂક્યું કે પર્સનલ, ઈમ્પર્સનલ અને ઍબ્સોલ્યુટ, ત્રણ શબ્દો એ સમજાવો. દાદાશ્રી : એમાં શું સમજાવવાનું ? હું, બાવો ને મંગળદાસ. મંગળદાસ પર્સનલ, બાવો ઇમ્પર્સનલ અને હું છે તે ઍબ્સોલ્યુટ. પ્રશ્નકર્તા કહેવું પડે, હોં ! બસ સમજાઈ ગયું, બરોબર. હું, બાવો ને મંગળદાસ. દાદાશ્રી : જે મંગળદાસ છે એ બધો પર્સનલ કહેવાય. બાવો છે એ ઇમ્પર્સનલ કહેવાય, એ ઇગોઇઝમ કહેવાય. અને ‘હું' છું એ ઍબ્સોલ્યુટ છે. ઍબ્સોલ્યુટમાં હું એકલું જ હોય, એનું નામ ઍબ્સોલ્યુટ. આ આઈ વીધાઉટ માય ઇઝ ઍબ્સોલ્યુટ. ‘આઈ વીથ માય’ એ છે કે મંગળદાસ, તે પર્સનલ હોય. ને આગળ ગયેલાં હોય “આઈ વીથ નોટ માઈન’ તો ઈમ્પર્સનલ ય થાય. એટલે “આઈ વીથ માય, આઈ વીથ નોટ માઈન’ (વ્યવહારમાં મારું છે પણ નિશ્ચયમાં મારાપણું નથી) અને “આઈ વધાઉટ માય” બસ આટલું જ સોલ્યુશન છે ઈગ્લીશમાં બે જ હતા. દાદાશ્રી : હા. પણ તે પૂછયું તે નીકળ્યું. પૂછે તો નીકળે કંઈ. પ્રશ્નકર્તા : હવે વધાઉટ એટલે કે મારું નથી’ એવું સાબિત કયા આધારે થાય છે ? “મારું નથી' એવું ડિસીઝન આવે છે, એ સાબિત થઈ જાય છે, એ ક્યારે ? દાદાશ્રી : સાબિતીને આમાં કશું લાગતું-વળગતું નથી. આ તો ત્રણની દશાઓ. પછી સાબિતી ક્યાંથી લાવીએ ત્યારે ? અલ્લા પાસેથી લાવે કે મિયાં પાસેથી લાવે, એની આપણે કંઈ જરૂર નથી. પણ “આઈ વીથ નોટ માઈન’ એ છે તે પેલી અંતરાત્મા દશા. પ્રશ્નકર્તા: આઈનું રિયલાઈઝ થાયને, સેલ્ફનું રિયલાઈઝ થાય ત્યારે શરૂ થાયને ‘નોટ માઈન'ની દશા ? દાદાશ્રી : એ તો આમ બોલાય. પણ જ્યાં સુધી આવું રિયલાઈઝ ના થાય ત્યાં સુધી કામ લાગે નહીંને ! રિયલાઈઝ કરવા માટે પાછું ફર્યા કરે. પછી આ બીજામાંથી રસ ઊડી જાય એને. રસ ઊડી જાય ત્યારે જે હેતુ માટે જે માણસ ફરે છે, તેને તે હેતુ પ્રાપ્ત થાય જ, એમાં ભેળસેળ ના હોય તો. ભેળસેળ હોય તો ના થાય. ભેળસેળ ના હોય હેતુમાં, તો થાય જ પ્રાપ્તિ. ત્યાં સુધી “આઈ વીથ માય’. સેલ્ફની પ્રાપ્તિ પછી “આઈ વીથ નોટ માઈન'. એટલે ‘આઈ વીધાઉટ માય’ ઈઝ ગોડ, પરમાત્મા, “આઈ વીથ માય એ જીવાત્મા,” “આઈ વીથ નોટ માઈન’ એ અંતરાત્મા, બાવો. રોંગ બિલિફથી ઈપ્યૉર સૉલ ! પ્રશ્નકર્તા : આપણે આપણું જે અસ્તિત્વ છે એ આપણી અંદર શુદ્ધાત્મા છે એટલે. એ જો એનું અસ્તિત્વ, શ્વાસ લેવાનું બંધ કરે તો અહીંથી જતા રહે એ વાત બરાબર ? દાદાશ્રી : શુદ્ધાત્મા તો શુદ્ધાત્મા જ રહે છે ને એને કશું થતું નથીને ! એનું. બાવાની મહત્વતા છે. બીજા સામાન્ય માણસ અને પોતે બેમાં મહત્ત્વતા હોય છે એવી આને મહત્વના છે. વચલાની, ઈમ્પર્સનલની અને હંમેશા પર્સનલથી મહત્વતા ઘટે. પર્સનલનો અર્થ જ એ કે પોતાની મહત્વતા ઘટાડવી ! પોતાની કિંમત વધારવા ફરે, તે ઊલટી કિંમત ઘટે. પ્રશ્નકર્તા : જીવાત્મા, અંતરાત્મા અને પરમાત્મા, ગુજરાતીમાં વારંવાર એવા ફોડ નીકળેલા છે. ઈગ્લીશમાં બે જ શબ્દ નીકળેલા, આઈ વીથ માય અને આઈ વીધાઉટ માય. તે આ ત્રીજો શબ્દ આજે નીકળ્યો.

Loading...

Page Navigation
1 ... 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258