Book Title: Aptavani 13 U
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 233
________________ 30 આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ) હું, બાવો, મંગળદાસ ૩૯૧ ધેર ઈઝ પ્યૉર શુદ્ધાત્મા ઈન ધીસ બોડી, પ્યૉર તે ઈમ્યૉર થતો જ નથી કોઈ દહાડો. ઈૉર સૉલને શ્વાસ જોઈએ છીએ. પ્રશ્નકર્તા : શુદ્ધાત્મા અને બોડી, એ બન્નેની વચ્ચે કશી વસ્તુ છે ? ઇન્ટરમીડિયેટ કંઈ વસ્તુ છે ? દાદાશ્રી : વોટ ઇઝ ધ બાઉન્ડ્રી ઑફ ચંદુભાઈ ? વન ચંદુભાઈ, વન શુદ્ધાત્મા, ધેર ઇઝ મિડલ એટલે પ્યૉર સેલ્ફ એટલે પ્યૉર સૉલ(ટુ સેલ્ફ), ઇચ્યૉર સૉલ (રિલેટિવ સેલ્ફ) એન્ડ ફિઝીકલ. તો પ્યૉર સૉલ ઇઝ પરમેનન્ટ. ઇચ્યોર, ઈટ ઇઝ ધ ઑન્સી બિલિફ. એ રોંગ બિલિફ ફ્રેક્ટર કરી દેવામાં આવે તો ચલે (ચાલ્યો જાય, ઇચ્યૉર ખલાસ થઈ જાય અને ફિઝીકલ જવાબદાર છે જ નહીં. નો રિસ્પોન્સિબીલીટી ફિઝીકલ કી(ની), રિસ્પોન્સિબીલીટી બધી ઇચ્યોર સૉલની છે. ઇચ્યૉર સૉલ, ધેટ ઇઝ આઈ વીથ માય, ક્રોધ-માન-માયા-લોભ, એ ઇચ્યૉર સૉલ. ધેટ ઇઝ ઓન્લી રોંગ બિલિફ, નથીંગ એલ્સ, પ્યૉર સૉલ ઇઝ કરેક્ટ, ફિઝીકલ ઇઝ કરેક્ટ એન્ડ ધ ઇચ્યોર સોલ, ધેર ઇઝ રોંગ બિલિફ ખાલી, નથીંગ એલ્સ ! રોંગ બિલિફથી ફિઝીકલને ‘ચંદુભાઈ' કહ્યો, ફિઝીકલને ‘ચંદુભાઈ' નામ આપ્યું. ઓળખવાનું સાધન લોકો આપે છે. દુનિયા વ્યવહાર ચલાવવા માટે નામ આપે. એ ફિઝીકલનું નામ આપે. તે એનું છે તે ચંદુભાઈ નામ છે તે ઇચ્યોર સૉલે પકડી લીધું કે ‘હું જ ચંદુભાઈ છું.” ધેટ ઇઝ અ ફર્સ્ટ રોંગ બિલિફ. એટલે ધેટ ઈઝ ધ ઇગોઇઝમ. નામ છે તે આનું (દેહનું) છે, ચંદુભાઈનું અને ‘આ’ (પોતે) કહે છે, “હું ચંદુભાઈ છું” એ ઇગોઇઝમ છે. એ ગયું એટલે ઇગોઇઝમ ગોન. અને ‘હું શુદ્ધાત્મા છું” એવી રાઈટ બિલિફ બેસી જાય એટલે થઈ ગયું. એટલે અમે જ્ઞાન આપીએ એટલે બધું જતું રહે. રોંગ બિલિફો બધી ફ્રેક્ટર થઈ જાય અને ફિઝીકલ રહ્યું. ફિઝીકલ એને છે તે માફી આપવામાં આવે છે. તારા બધા ગુના માફ પણ આજ્ઞામાં રહીને કરું તો ! ‘તમે” શુદ્ધાત્મા (હું) અને બીજો જે મિશ્ર આત્મા (બાવો), તેનો ‘તમારે’ નિકાલ કરવાનો. તમારો ધંધો શું ? મિશ્ર આત્માનો નિકાલ કરવાનો અને નિચેતન ચેતન (મંગળદાસ) છે, એ તો એની મેળે સહજ ભાવે ચાલ્યા કરે. ‘તમારા’ હાથમાં સત્તા જ નથી ! એટલે હું, બાવો, મંગળદાસ સમજાયું ને ? કેવળજ્ઞાત પછી અભેદ સ્વરૂપે ! વ્યવહારમાં લઘુત્તમ અને નિશ્ચયમાં ગુત્તમ પાછાં. હમ સે બડા કોઈ નહીં. હં ! ભગવાન બડા હતા, તે તો અમને વશ થઈ ગયેલા. ભગવાન અમને વશ થયેલા હોય, કારણ કે અમારી ભક્તિ જોઈને ! અમે ને ભગવાન એકાકાર જ છીએ અને જુદા ય છીએ, આમ બેઉ રીતે છીએ. કેવળજ્ઞાન થાય ત્યારે પોતે એકાકાર થઈ જાય. થોડી વખત ભગવાન તરીકે રહીએ અમે, થોડીવાર આ દર્શન કરાવીએ, ‘દાદા ભગવાનના અસીમ જય જયકાર’ તે ઘડીએ ભગવાન તરીકે રહેવાનું. તેથી બધા ઉલ્લાસમાં આવીને આમ આમ કર્યા કરે ને ! અત્યારે તમારી સાથે બોલતી વખતે જુદા. જો કે આ બોલે છે ટેપરેકર્ડ, હું બોલતો નથી. પણ હું એનો જ્ઞાતા-દ્રષ્ટા છું. પ્રશ્નકર્તા : આપે કહ્યું ને કે ‘અમે’ એમને જોઈએ છીએ, ભગવાન જોડે ‘અમે' જુદા અને ભગવાન જુદા ! તો એ ‘અમે” કહેનારો કોણ છે? દાદાશ્રી : ‘અમે” કહેનાર આ ભાગ, જે ત્રણસો છપ્પનવાળો છે તે. પ્રશ્નકર્તા : અંબાલાલભઈ, જ્ઞાનીપુરુષ. દાદાશ્રી : જ્ઞાની પુરુષ, એ અંબાલાલભઈ જ્ઞાની થયા. એના એ જ, હું બાવો ને મંગળદાસ. ‘અમે', ‘તમે' બેઉ બાવા ! પ્રશ્નકર્તા : અત્યાર સુધી તો મને ખબર જ ન હતી કે હું બાવો ને મંગળદાસ, લોકો કેમ કહે છે ? દાદાશ્રી : આ એટલા માટે સમજણ પાડું છું. જ્ઞાનીની દ્રષ્ટિએથી સમજીએને તો કલ્યાણ થઈ જાય.

Loading...

Page Navigation
1 ... 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258