________________
૩૧૮
આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ)
નિરાલંબ
૩૧૯
અમારું કરે. એટલે જ્ઞાની જ પોતાનો આત્મા છે એટલે એને તો જુદો ગણાય નહીં. પછી ભય નહીં રાખવાનો કે જ્ઞાની માંદા થાય તો એ ના હોય તો આપણે શું કરીશું ? એવો કશો ભય રાખવાનો નહીં. જ્ઞાની મરતા જ નથી. એ તો દેહ મરે. એ અવલંબન અમારું હોય જ નહીં ને ! અમે નિરાલંબ હોઈએ ! સહેજે ય અવલંબન ના હોય આ દેહનું કે પૈસાનું કોઈ એવું.
પ્રશ્નકર્તા : અમને તો જ્ઞાનીનું, જ્ઞાનનું અને જ્ઞાનીના દેહનું સરખું જ અવલંબન લાગે.
દાદાશ્રી : દેહનું અવલંબન તો, દેહ તો કાલે જતો રહે.
પ્રશ્નકર્તા : એ સહન ના થાય.
દાદાશ્રી : નીરુબેને તરત કામે ય કરવા માંડ્યું અને જે અત્યારે બધા નિયમો પાળે છે મારી આજ્ઞા પ્રમાણે, તે બધી પ્રકૃતિ તોડી નાખશે. મને સંતોષ થઈ ગયો !
પ્રશ્નકર્તા : દાદા બોલ્યાને, હું, આત્મા ને બેઠક....
દાદાશ્રી: ‘હું'ને બેઠકનો આધાર ! જગતમાં એકલાં જ્ઞાનીને કોઈ વસ્તુનો આધાર હોય. આત્માનો જ આધાર, જે નિરાલંબ છે !
પ્રશ્નકર્તા : કોને આત્માનો આધાર, હુંને હોય કે બેઠકને હોય ?
દાદાશ્રી : હું જ આત્મા અને આત્મા તે હું. આધાર જ આત્માનો. એટલે અવલંબન ના હોય. કોઈ અવલંબન ના હોય, તો નિરાલંબ થાય છે, નિરાલંબ ! એ જાણે છે, દાદા નિરાલંબ છે.
પ્રશ્નકર્તા : એટલે હું ને આત્મા એક થઈ જાય ? દાદાશ્રી : છે એક જ. પણ બેઠકને લઈને જુદા. પ્રશ્નકર્તા : બેઠક ખસેડી લે તો હું ને આત્મા એક થઈ જાય ? દાદાશ્રી : એક થઈ જાય, બસ.
પ્રશ્નકર્તા અથવા તો બેઠક હોયને હું ને આત્મા બે એક થઈ જાય એવું બને ?
દાદાશ્રી : ના. ના. બેઠકનો ગુરખો રાખવો પડે. એ વિચાર આવે કે આ શું કરશે ? બેઠકે ય એ સાચી નીકળી તો નીકળી, નહીં તો દગો નીકળે છે. તમને નહીં લાગતું ?
પ્રશ્નકર્તા : હા, દગો જ નીકળે છે. દાદાશ્રી : એના કરતાં આપણું શું ખોટું ? પ્રશ્નકર્તા : બેઠકમાં જ્ઞાની જ એકલા રાખવાના, બીજું કંઈ જ નહીં. દાદાશ્રી : જ્ઞાનીને માથે પડવાનું, તમે જે કરો એ. તમારું જે કરે એ
દાદાશ્રી : એ સહન નીરુબેનને ના થાય. ‘આપણને’ ! તો થાય ને ! તમારે આવું સ્ત્રીપણું કાઢવાનુંને ! ‘તમે... તમારે બહુ ઊંડા ના ઉતરશો. ‘એમને’ આ કાઢવું પડશે. નીરુબહેનને સહન ના થાય એ બરોબર છે. પણ એમનો આ ગૂંચવાડો નીકળી જાય તો બહુ થઈ ગયું.
સૂક્ષ્મ દાદા, નિદિધ્યાસત સ્વરૂપે ! પ્રશ્નકર્તા : દાદા ભગવાન તો ચૌદ લોકનો નાથ છે, એના સિવાય બીજું શું જોઈએ ?!
દાદાશ્રી : ચૌદ લોકનો નાથ છે. પણ એ આપણા હાથમાં પકડાય શી રીતે ? આ દેહ મંદિર છે ત્યાં સુધી પકડાય. પછી મંદિર જ ઊડી ગયું તો ?
પ્રશ્નકર્તા : ભાવના તો રાખી છે ! આપના સિવાય કંઈ જ ખપતું
નથી.
દાદાશ્રી : એ બરોબર છે. મહીં ચાલે મારા ભઈ, ચાલે. ભાવના ચાલે. ભાવનાઓનો લાભ મળે.
પ્રશ્નકર્તા : એટલે એક્ઝક્ટ ભાવના શું હોવી જોઈએ તો ? દાદાશ્રી : સૂક્ષ્મ દાદાની.