________________
૩૨૦
આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ)
નિરાલંબ
૩ર ૧
લાગે એવું. વાતો હઉ કરતાં દેખાય. તે કાયમ ટકે. આ સ્થળ ટકે નહીં, આ તો શ્વાસોશ્વાસવાળા. પેલામાં શ્વાસોશ્વાસ ના હોય.
પ્રશ્નકર્તા વાણીનું નિદિધ્યાસન રહે તે ? જ્ઞાનવાણીનું ચિંતવન હોય
તે?
પ્રશ્નકર્તા : એટલે અત્યારે દેહધારીરૂપે જ દાદા મનાય છે એવું થયું ?
દાદાશ્રી : હા, આ દેખાતા, આંખે દેખાતા ને જ દાદા માને છે. બાકી મૂળ દાદા ભગવાન જુદા. આ દેખાય એ દાદા જુદાં અને પાછો વચ્ચેનો ભાગ, સૂક્ષ્મ દાદા.
પ્રશ્નકર્તા ઃ વચ્ચેનો ભાગ એ જ જ્ઞાની ? એ સૂક્ષ્મ દાદા વચ્ચેના એટલે એ જ્ઞાની પુરુષનું પદ ?
દાદાશ્રી : હા. જેનું આપણે નિદિધ્યાસન કરીએ છીએ.
પ્રશ્નકર્તા: ભાવના જે કહી, ભાવના કઈ હોવી ઘટે, જે આપે કહ્યું સૂક્ષ્મ દાદાની ?
દાદાશ્રી : જ્યાં સુધી નિદિધ્યાસન રહે, તો કોઈ જાતનો વાંધો નહીં આવે. આ સ્થળ હાજરી ખોળે તો વાંધો આવશે.
પ્રશ્નકર્તા અને આ જ મૂર્તિનું નિદિધ્યાસન હશે, તો વાંધો નહીં આવે ?
દાદાશ્રી : ફર્સ્ટક્લાસ રહેશે. હાઈક્લાસ રહેશે. હાલતું-ચાલતું, બોલતું બધું રહેશે. અત્યારે કેટલાંય લોકો રહેતા હશે ! અમેરિકામાં ય રોજ મળ્યા કરે, કહે છે ને બધા. દર્શન થાય છે ને અમારો દહાડો વળે છે. એવું અમે ના હોય તોય સૂક્ષ્મ દાદા હજારો વર્ષો સુધી ચાલશે.
પ્રશ્નકર્તા: મૂર્તિનું નિદિધ્યાસન સૂક્ષ્મ દાદામાં ગણાય ? દાદાશ્રી : નિદિધ્યાસન બેસે છે તે ? હા તે સૂક્ષ્મ દાદા ગણાય. પ્રશ્નકર્તા : બીજું શું શું આવે એમાં ? દાદાશ્રી : હરતાં-ફરતાં, વાંચતા-બોલતાં.... પ્રશ્નકર્તા : એ તો આ સ્થળ દૈહિક ક્રિયાઓ બધી દેખાય. દાદાશ્રી : નહીં, એ જોડે દેખાય એટલું જ નહીં, પોતાની જોડે જ
દાદાશ્રી : એ ય નિદિધ્યાસનમાં જ ખપે. ગમે તે દાદાનું હોયને ચિંતવન હોય, એ નિદિધ્યાસનમાં ખપે. એ સ્થૂળ રૂપે હાજર ના હોય તો ય હજારો વર્ષો થઈ શકે.
પ્રશ્નકર્તા : આપે કહ્યું કે, આ સ્થળ પછી સૂક્ષ્મ દાદા અને ત્રીજું કહ્યુંને ?
દાદાશ્રી : ભગવાન. પ્રશ્નકર્તા તેનું કનેક્શન કઈ રીતે રાખી શકાય ?
દાદાશ્રી : ભગવાન શી રીતે ચિતવન થાય ? એ તો નિરંજનનિરાકાર, કષ્ટ કરીને શી રીતે થાય ?
પ્રશ્નકર્તા : એનું કનેક્શન કેવી રીતે ગોઠવી શકીએ ?
દાદાશ્રી : એ તો મહીં બધો કચરો માલ નીકળી જાય, પછી દર્શનમાં આવે. અમે નથી કહેતા કે અમને દેખાય છે, નિરાલંબ. જેને અવલંબન કશું લેવું ના પડે. મૂળ સ્વરૂપ દેખાવું, મૂળ સ્વરૂપની તાદ્રશ્યતા. જેને કેવળજ્ઞાન કહ્યું છે. સમજપૂર્વકનું દેખાયા કરેને, બીજું જ્ઞાનપૂર્વકનું દેખાય.
પ્રશ્નકર્તા : નિરાલંબ સ્વરૂપ આપને દેખાય છે, એવુંને ! દાદાશ્રી : હા. નિરંતર છેલ્લામાં છેલ્લું સ્વરૂપ, નિરાલંબ. પ્રશ્નકર્તા : અમને પોતાને દેખાય, એવું બનવું જોઈએ ?
દાદાશ્રી : હં, તમને આ અવલંબન આપેલું છે શબ્દનું, ‘હું શુદ્ધાત્મા છું’ શબ્દનાં અવલંબનથી શુદ્ધાત્મા થયું અને તે અનુભૂતિ થઈ, એ મોક્ષના