Book Title: Aptavani 13 U
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 203
________________ ૩૩૦ આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ) નિરાલંબ ૩૩૧ એને આમ વાર કેમ લાગે અનુભવમાં આવતા ? દાદાશ્રી : એ તો ઘણો ટાઈમ લે. એ બધાં ઘણાં કારણો, પડઘા પડેલાંને, તે પડઘા બધા શમી જાય ત્યારે થાય. અનંત અવતારનાં પડઘા પડેલા. એટલે એવું બહુ ઉતાવળ કરવા જેવું નહીં. આપણે જે આજ્ઞા છે ને એટલી જ રહે, બીજું બહુ ઊંડા ઉતરવા જેવું નહીં. એ એની મેળે જ સ્ટેશન આવીને ઊભું રહે. આપણે ગાડીમાં બેસી ગયાને, એટલે આપણે ગાડી છોડવાની નહીં. પછી એની મેળે જ સ્ટેશન આવીને ઊભું રહે. આ છે તે આજ્ઞા જ એવી છે, એ ચાલુ જ છે નિરાલંબ આવવું અને જ્યારે ત્યારે આવશે. આ શબ્દનું અવલંબન છે. પણ આ અવલંબનમાં પહોંચ્યો, ત્યાંથી જ એને મોક્ષમાં પહોંચી ગયેલો, ભગવાન પણ સ્વીકારે. એક વાર માણસનો મોક્ષ થઈ ગયો. પછી એ તો ભગવાન જ થઈ ગયો. સ્વતંત્ર થઈ ગયો. નિરાલંબ પાછું, આ કોઈ અવલંબનની જરૂર નહીં. નિરાલંબ સ્થિતિ હું ભોગવું છું ઘણાં વખતથી. મોક્ષ આવો ના હોય. ઉઠાડનાર ના હોય. આપણને ત્યાં કોઈ આપણો ઉપરી નહીં ને અન્ડરહેન્ડ નહીં, બસ. અને નિરાલંબ, આ અવલંબન નહીં કોઈ જાતનું. અવલંબન એ જ છે તે બંધન છે. અને નિરાલંબ. આ દેહ હોવા છતાં અમે નિરાલંબ સ્થિતિને જોઈ શકીએ ને અનુભવી શકીએ છીએ અને બંધન સ્થિતિને ય અનુભવી શકીએ છીએ. બંને સ્થિતિને અનુભવી શકીએ છીએ. છેલ્લી વાત, નિરાલંબ ! તો જ મોક્ષ કહેવાય. નિરાલંબ જ્ઞાન કેવું હોય કે કોઈ વસ્તુ એને સ્પર્શ જ ના કરે. ત્યાં સુધી તમારે શબ્દનો આધાર રહ્યો. પ્રશ્નકર્તા : શબ્દનો આધાર છોડવા માટે શું કરવું ? દાદાશ્રી : હમણે નહીં છોડવાનો. એ તો શબ્દોનો આધાર ક્યારે છૂટશે ? આ ફાઈલો પતતી જશેને, તેમ તેમ શબ્દ છૂટતો જશે, એની મેળે. આ ફાઈલો છે, ત્યાં સુધી એની જરૂર છે. નિકાલ તો કરવો પડશે ને ? કેટલી બધી ફાઈલો લાવ્યા છે ! એ ફાઈલોનો બધા નિકાલ કરી નાખવા પડશે ને ! નિકાલ થઈ ગયા પછી એ ફાઈલ ફરી પાછી આવવાનું કોઈ કારણ નથી. તમારે નિકાલ થાય છે બધી ફાઈલોનો ? પ્રશ્નકર્તા થાય ને, ક્યારેક ફાસ્ટ, ક્યારેક ધીમે ધીમે પણ થાય છે. દાદાશ્રી : હા. પણ એ તો બધો નિકાલ થઈ જવાનો. સમજણમાં જે દ્રષ્ટિ ભૌતિકમાં હતી, તે આત્મામાં દ્રષ્ટિ પડી, એટલે કામ થવા માંડ્યું, એની મેળે જ કામ થયા કરે. ફેર, શુદ્ધાત્મા તે પરમાત્માનો ! પ્રશ્નકર્તા: હવે જ્ઞાનીને સદેહે પરમાત્મા કહીએ છીએ, તો શુદ્ધાત્મા ને પરમાત્માની બેની ડેફિનેશનમાં ફરક કેટલો ? શુદ્ધાત્મા ને પરમાત્મામાં ફરક કેટલો ? દાદાશ્રી : પરમાત્મા નિરાલંબ છે, શુદ્ધાત્મા શબ્દનું અવલંબન છે. પ્રશ્નકર્તા : તો પછી સીધું પરમાત્માનું જ અવલંબન ના લઈએ ? દાદાશ્રી : પોતે પરમાત્મા જ છે પણ અત્યારે શુદ્ધાત્માના અવલંબન સાથે જીવે છે. શબ્દનાં અવલંબન સાથે ‘હું શુદ્ધાત્મા છું' એવું ભાન થયું છે એને. પ્રશ્નકર્તા: તો હું દાદા ભગવાન જેવો શુદ્ધાત્મા છું' બોલીએ, એનાં કરતાં ‘હું દાદા ભગવાન જેવો પરમાત્મા છું' કેમ ના બોલાય ? ભગવાન મહાવીર પૂર્ણ નિરાલંબ ! ભગવાન મહાવીર નિરાલંબ થયેલા હતાં. બારમા ગુંઠાણે અને બીજા શુક્લધ્યાને એ છે તે નિરાલંબ થાય. ત્યાં સુધી અવલંબન, અવલંબન અને અવલંબન. બારમાં ગુંઠાણામાં પહેલું શુક્લધ્યાન એ પણ અવલંબનવાળું. એટલે અવલંબન ઠેઠ સુધી છે.

Loading...

Page Navigation
1 ... 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258