Book Title: Aptavani 13 U
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 214
________________ ઉપર. આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ) નિરાલંબ ૩૫૩ વ્યવહાર-નિશ્ચયતા આલંબન ! પ્રશ્નકર્તા અમને બધામાં થોડી થોડી મૂર્છા રહી જાય છે. અવલંબનો બધા રહે છે ને હજુ તો. દાદાશ્રી : એમ કરતાં કરતાં ઓછાં થશે. પહેલાં જે અવલંબનો હતા, કે મહીં વરીઝ થઈ કે ચાલ, સિનેમા જોવા જઈએ. એટલે અવલંબન બીજું પકડ્યું. તે અવલંબન વધતાં જાય ઉલટાં. હવે અવલંબન ઘટતાં જાય. પ્રશ્નકર્તા સામેની વ્યકિતઓનાં અવલંબન હોય છેને ! આ સિનેમાનું ને એ બધું અવલંબન તો જલદી ફેંકી દેવાય. હવે પણ જે વ્યક્તિગત.... દાદાશ્રી : નહીં, એ ફેંકી દીધે નહીં છૂટે. એ તો એની મેળે જ ઘટી જાય, જતાં રહેશે, ક્યાંય ચાલ્યા જાય ! પ્રશ્નકર્તા: પણ વ્યકિતઓના અવલંબનો રહ્યા કરે. દાદાશ્રી : એ તો ધીમે ધીમે જતાં રહેને એ હિસાબ છે. એ વ્યક્તિનાં તો. અવલંબન એટલે એમના વગર મારું નહીં ચાલે. એવું નહીં પણ હિસાબ છે એ બધા. સામસામો હિસાબ છે બધા. કોપ્લેક્સ છે બધાં. પણ એ કંઈ વાંધો નહીં આવે. પ્રશ્નકર્તા : પણ એ કોપ્લેક્સ છૂટે કેવી રીતે ? એ ઓટોમેટિક જ બીજામાં ચોંટે આમાં નહીં ને આમાં મૂકે. માણસ નથી એવા વિચાર કરતાં લોકો ? ચિંતા થતી હોય ત્યારે બીજા વિચારો ઉપર ફરી વળે છે, સિનેમા જોવા જતો રહે ! પ્રશ્નકર્તા : પણ એનું શું કરવું ? એનો ઉપાય શો ? દાદાશ્રી : ના. એમ નહીં. એ અવલંબન બીજું લેવું પડે અત્યારે. જ્યાં સુધી આપણે પગ માંડીએ નહીં, દરિયામાં આપણે ઉતરીએ તો આટલું પાણી હોય, જ્યાં સુધી નીચે પગ અડે નહીં ત્યાં સુધી તો એ કરવું પડેને ! અને એ તો બધું થઈ રહ્યું છે. આનું હવે કશું ત્યારે કરવાનું નથી. આ તો વાત જ જાણવાની છે. એ જાણો એટલે ફીટ થયા જ કરે, એની મેળે. જાણીને સમજી લેવાની છે. હકીકતમાં જ્ઞાન એટલે શું તે જાણવું ને સમજવું. એની મેળે જ થયા કરે મહીં. પ્રશ્નકર્તા : જાણીએ છીએ, છતાં મૂછનું એક જબરજસ્ત મોજું આવે તો પાછું તે ફરી વળે. જાણવાં છતાં ય આવું થઈ જાય. દાદાશ્રી : એવું છે ને, અમારે તો આ પાછલાં કેટલાં ય અવતારનું આ મંડાણ. અને આ તમારે કેટલાં અવતારનું મંડાણ ? ત્યારે કહે, હમણે થોડાક જ વરસનું. થોડા વરસનાં મંડાણે જો આટલું બધું જોર કર્યું છે, તો પેલા ઝપાટાબંધ ઊડી જશે, એ વાતની ખાતરી થઈ ગઈ ને ? દાદા યાદ આવે કે અંતર શાંતિ થાય છે ને જલ્દી ? છૂટે ? પ્રશ્નકર્તા : તરત. દાદાશ્રી : ના, ના. અને વ્યવહાર અવલંબન તો આ અમારે નીરબહેનનાં છે. આ આમનાં બધાનાં અવલંબન જ છે ને ! ખરેખર નિશ્ચય અવલંબન એટલે શું કે જેના આધારે મહીં અડચણ થાય ત્યારે એ અવલંબન ઉપર જઈએ, પેલું સબસ્ટીટ્યુટ મૂકાય. પ્રશ્નકર્તા : કેવી રીતે ? દાદાશ્રી : પરમાં ચોંટે પાછો. પરમાંથી સ્વમાં જવા માટે તૈયાર થયો. પાછું અવલંબન પેલું બહારનું ને બહારનું. એટલે પાછું પરમાં ચોંટે. દાદાશ્રી : બસ ત્યારે. એ મોટામાં મોટો ઉપાય આ છે નહીં તો એક ફેરો ભય પેઠો પછી આખી રાત નીકળે કંઈ ? અને દાદાનું અવલંબન લીધું તો ? તમામ દુઃખો મટી જાય ! પ્રશ્નકર્તા ઃ એના માટે એક વખતે આપે બહુ સરસ વાક્ય કહ્યું કે વીતરાગનું અવલંબન એ અવલંબન નથી. દાદાશ્રી : હા, ખરી વાત છે. એ અવલંબન એ અવલંબન જ નથી.

Loading...

Page Navigation
1 ... 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258