Book Title: Aptavani 13 U
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 225
________________ ૩૭૪ આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ) હું, બાવો, મંગળદાસ ૩૭૫ જાણનાર કોણ ? પ્રજ્ઞાશક્તિ. એ ઠેઠ આત્માને પહોંચી ગઈ વાત. એટલે જોવાનું. અને બાવો જોવાનું એકલું કામ કરી શકે નહીં. બાવો જો આવું જોવાનું કરે તો એ બાવો નહીં. એટલે ત્યાં પ્રજ્ઞાશક્તિનું કામ. જોવામાં ને જાણવામાં પ્રજ્ઞાશક્તિ આવે. બાવો જાણે ખરો કે આ જુએ-જાણે (આત્મદ્રષ્ટિથી જ્ઞાતા-દ્રષ્ટા) એ મારો સ્વભાવ નહીં; હું (બાવો) તો મંગળદાસ શું કરે છે એને જાણું. પ્રશ્નકર્તા : પ્રજ્ઞા જો જુએ ને જાણે તો આ બાવાનું એક્ઝીસ્ટન્સ તો રહે જ નહીં ? દાદાશ્રી : પણ જ્યાં સુધી પ્રજ્ઞા જુએ છે, જાણે છે ત્યાં સુધી બાવો રહે છે હજુ. એ પ્રજ્ઞા બાવાને ય જુએ છે, જાણે છે. પ્રશ્નકર્તા : આપે અકર્તાપદમાં મૂકી દીધાં. પછી બાવો મનની જોડે તન્મયાકાર થઈ જાય ખરો ? પછી કેવી રીતે થાય ? એ કર્મ છે. નામકર્મ છે એ. ત્યારે કહે, તીર્થંકરનો અવતાર તે ચેતન છે ? ત્યારે કહે, “ના, ચેતન હોય નહીં.’ આ બધાને જાણે, એનું નામ “ચેતન'. એટલે વીધાઉટ ચેતન આ દુનિયા ચાલ્યા કરે છે. સર્કલ (સંસારી અવસ્થાઓ)ની બહાર ઊભું રહેલું છે ચેતન, પ્યૉર તેની હાજરીથી ચાલે છે. એ ‘પ્યોરીટી' આપણને ક્યારે માલમ પડે? ત્યારે કહે, બધા સર્કલને ઓળખે ત્યારે. સર્કલમાં મારાપણું ના કરે એટલે પ્યૉર થઈ જાય ! પ્રશ્નકર્તા : પુદ્ગલની બધી અવસ્થા ‘સર્કલ’ ગણાય ? દાદાશ્રી : બધી અવસ્થા. પણ આપણા લોકોને એનું ભાન જ નહીંને ! ચેતન વગર ચાલે કેવી રીતે આ ? ખ્યાલ શી રીતે રહે કે ચેતન વગર ચાલે છે આ ? શાસ્ત્રો શી રીતે આવડે ? સમ્યક્ જ્ઞાન શી રીતે થાય ?! સમ્યક જ્ઞાન એટલે શું ? સમ્યક્ દર્શન એટલે શું કે આ બધા સર્કલની બહાર હું છું, એવી શ્રદ્ધા બેસે ! એટલે આપણા લોકો, સંતોને પૂછીએ, ‘આમાં ભગવાન શું કરે છે ?” “આ ભગવાન લોકોનું ભલું કરે છે. સમજણ પાડે છે બધાને.” એ સમજણ પાડે છે, તે ય ચેતન ન્હોય. એ તો સર્કલ છે. સમજણ પાડનારને ય જે જાણે છે. ‘હું તીર્થંકર છું' એવું ‘જે' જાણે છે તે “આત્મા” છે. તીર્થંકર છે તે આત્મા ન્હોય ! આ વાત કરી કોણે ? ચેતને નહીં, એ ય બાવાએ કરી અને સાંભળનારો ય બાવો. સર્કલવાળો બાવો, અમુક સર્કલમાં આવેને ત્યારે એને ખબર પડે કે અહીંથી દરિયો નજીક હોવો જોઈએ. હવે આપણે સર્કલની બહારના ‘લેક'માં આવ્યા છીએ. એવી એને ખબર પડે, એનું નામ સમકિત અને એ શ્રદ્ધા બેસી જાય. પછી જેમ જેમ નજીક જઈએ તેમ એનું ‘જ્ઞાન” થતું જાય કે ખરેખર આ જ છે. સર્કલની બહાર આ છે. દાદાશ્રી : એવું છેને, પછી ‘બાવો છું’ એવી પોતાની માન્યતા ના રહી એટલે અકર્તા. એટલે હવે જે જે કંઈ મંગળદાસ કરે, તેની જવાબદારી આપણી રહી નહીં. કારણ કે એ બધું નિકાલ થઈ જાય. ફરી એનું રિએક્શન નહીં આવવાનું. અકર્તા થવાનો. કારણ કે “એ” જ કર્તા હતો તેથી રિએક્શન આવતું'તું ! પ્રશ્નકર્તા : મંગળદાસ કે ગમે તે ક્રિયા કરે તો કે મન એનું વિચાર કરે હવે બાવો તન્મયાકાર ના થાયને ? દાદાશ્રી : એ તો વાત-વાતમાં એવું બોલીએ. વર્તનમાં રહેવું મુશ્કેલ છેને ! એ તો ધીમે ધીમે ધીમે ધીમે આવે. આ તો ઘણા દહાડે ઓળખોને, એકદમ તન્મયાકારપણું જાય નહીંને ! તીર્થંકર, એ છે કર્મ ! ત્યારે કહે, હવે ચેતનનો ભાગ ક્યો? કયા ભાગમાં ચેતન આવે ? ત્યારે કહે, તીર્થકર એ ચેતન ? ત્યારે કહે, “ના ! તીર્થકર એ ચેતન નથી. એટલે જેને વિશેષણ ના હોય, ત્યાં મૂળ ‘હું આવ્યું ! ‘હું શુદ્ધાત્મા છું’ એ વિશેષણ વગરનું. અત્યારે શુદ્ધાત્મા તે ય વિશેષણ છે, આત્માનું શુદ્ધ સ્વરૂપ એની પણ આગળ જવાનું છે. પણ આ શુદ્ધાત્મા થાય તો ય બહુ થઈ

Loading...

Page Navigation
1 ... 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258