________________
૩૭૪
આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ)
હું, બાવો, મંગળદાસ
૩૭૫
જાણનાર કોણ ? પ્રજ્ઞાશક્તિ. એ ઠેઠ આત્માને પહોંચી ગઈ વાત. એટલે જોવાનું. અને બાવો જોવાનું એકલું કામ કરી શકે નહીં. બાવો જો આવું જોવાનું કરે તો એ બાવો નહીં. એટલે ત્યાં પ્રજ્ઞાશક્તિનું કામ. જોવામાં ને જાણવામાં પ્રજ્ઞાશક્તિ આવે. બાવો જાણે ખરો કે આ જુએ-જાણે (આત્મદ્રષ્ટિથી જ્ઞાતા-દ્રષ્ટા) એ મારો સ્વભાવ નહીં; હું (બાવો) તો મંગળદાસ શું કરે છે એને જાણું.
પ્રશ્નકર્તા : પ્રજ્ઞા જો જુએ ને જાણે તો આ બાવાનું એક્ઝીસ્ટન્સ તો રહે જ નહીં ?
દાદાશ્રી : પણ જ્યાં સુધી પ્રજ્ઞા જુએ છે, જાણે છે ત્યાં સુધી બાવો રહે છે હજુ. એ પ્રજ્ઞા બાવાને ય જુએ છે, જાણે છે.
પ્રશ્નકર્તા : આપે અકર્તાપદમાં મૂકી દીધાં. પછી બાવો મનની જોડે તન્મયાકાર થઈ જાય ખરો ? પછી કેવી રીતે થાય ?
એ કર્મ છે. નામકર્મ છે એ. ત્યારે કહે, તીર્થંકરનો અવતાર તે ચેતન છે ? ત્યારે કહે, “ના, ચેતન હોય નહીં.’ આ બધાને જાણે, એનું નામ “ચેતન'. એટલે વીધાઉટ ચેતન આ દુનિયા ચાલ્યા કરે છે. સર્કલ (સંસારી અવસ્થાઓ)ની બહાર ઊભું રહેલું છે ચેતન, પ્યૉર તેની હાજરીથી ચાલે છે. એ ‘પ્યોરીટી' આપણને ક્યારે માલમ પડે? ત્યારે કહે, બધા સર્કલને ઓળખે ત્યારે. સર્કલમાં મારાપણું ના કરે એટલે પ્યૉર થઈ જાય !
પ્રશ્નકર્તા : પુદ્ગલની બધી અવસ્થા ‘સર્કલ’ ગણાય ?
દાદાશ્રી : બધી અવસ્થા. પણ આપણા લોકોને એનું ભાન જ નહીંને ! ચેતન વગર ચાલે કેવી રીતે આ ? ખ્યાલ શી રીતે રહે કે ચેતન વગર ચાલે છે આ ? શાસ્ત્રો શી રીતે આવડે ? સમ્યક્ જ્ઞાન શી રીતે થાય ?! સમ્યક જ્ઞાન એટલે શું ? સમ્યક્ દર્શન એટલે શું કે આ બધા સર્કલની બહાર હું છું, એવી શ્રદ્ધા બેસે !
એટલે આપણા લોકો, સંતોને પૂછીએ, ‘આમાં ભગવાન શું કરે છે ?” “આ ભગવાન લોકોનું ભલું કરે છે. સમજણ પાડે છે બધાને.” એ સમજણ પાડે છે, તે ય ચેતન ન્હોય. એ તો સર્કલ છે. સમજણ પાડનારને ય જે જાણે છે. ‘હું તીર્થંકર છું' એવું ‘જે' જાણે છે તે “આત્મા” છે. તીર્થંકર છે તે આત્મા ન્હોય !
આ વાત કરી કોણે ? ચેતને નહીં, એ ય બાવાએ કરી અને સાંભળનારો ય બાવો. સર્કલવાળો બાવો, અમુક સર્કલમાં આવેને ત્યારે એને ખબર પડે કે અહીંથી દરિયો નજીક હોવો જોઈએ. હવે આપણે સર્કલની બહારના ‘લેક'માં આવ્યા છીએ. એવી એને ખબર પડે, એનું નામ સમકિત અને એ શ્રદ્ધા બેસી જાય. પછી જેમ જેમ નજીક જઈએ તેમ એનું ‘જ્ઞાન” થતું જાય કે ખરેખર આ જ છે. સર્કલની બહાર આ છે.
દાદાશ્રી : એવું છેને, પછી ‘બાવો છું’ એવી પોતાની માન્યતા ના રહી એટલે અકર્તા. એટલે હવે જે જે કંઈ મંગળદાસ કરે, તેની જવાબદારી આપણી રહી નહીં. કારણ કે એ બધું નિકાલ થઈ જાય. ફરી એનું રિએક્શન નહીં આવવાનું. અકર્તા થવાનો. કારણ કે “એ” જ કર્તા હતો તેથી રિએક્શન આવતું'તું !
પ્રશ્નકર્તા : મંગળદાસ કે ગમે તે ક્રિયા કરે તો કે મન એનું વિચાર કરે હવે બાવો તન્મયાકાર ના થાયને ?
દાદાશ્રી : એ તો વાત-વાતમાં એવું બોલીએ. વર્તનમાં રહેવું મુશ્કેલ છેને ! એ તો ધીમે ધીમે ધીમે ધીમે આવે. આ તો ઘણા દહાડે ઓળખોને, એકદમ તન્મયાકારપણું જાય નહીંને !
તીર્થંકર, એ છે કર્મ ! ત્યારે કહે, હવે ચેતનનો ભાગ ક્યો? કયા ભાગમાં ચેતન આવે ? ત્યારે કહે, તીર્થકર એ ચેતન ? ત્યારે કહે, “ના ! તીર્થકર એ ચેતન નથી.
એટલે જેને વિશેષણ ના હોય, ત્યાં મૂળ ‘હું આવ્યું ! ‘હું શુદ્ધાત્મા છું’ એ વિશેષણ વગરનું. અત્યારે શુદ્ધાત્મા તે ય વિશેષણ છે, આત્માનું શુદ્ધ સ્વરૂપ એની પણ આગળ જવાનું છે. પણ આ શુદ્ધાત્મા થાય તો ય બહુ થઈ