________________
૩૭૨
આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ)
પ્રશ્નકર્તા : બધું જ કરે.
દાદાશ્રી : બાવાને ખબર નથી કે આ શું કરી રહ્યો છે ! આને શું આવશે રીએકશન, એનું ભાન નથી !
સ્ત્રી તો ય બાવો, પુરુષ તો ય બાવો. ઘરડો તો ય બાવો, જુવાન તો ય બાવો, નાગો છોકરો ફરતો હોય તો ય બાવો. પેટમાં હોય તે ય બાવો. દાખલો એપ્રોપ્રીએટ છે કે નહીં ?
પ્રશ્નકર્તા : બરાબર છે, દાદા.
દાદાશ્રી : કયા પુસ્તકમાં હશે ? આ બુદ્ધિકળાનું નથી, આ જ્ઞાનકળાનું છે. બુદ્ધિકળામાં આત્માની કળા આવે નહીં. હવે ‘બાવાને ઓળખે કે ના ઓળખે ?
પ્રશ્નકર્તા ઓળખાય. દાદાશ્રી : ‘હું' જાણે કે ના જાણે ? પ્રશ્નકર્તા : બધું જાણે.
દાદાશ્રી : ‘બાવો’ કેવો છે, કેવો નહીં ? પછી હું ‘બાવો” થઈ જાય કે થઈ રહ્યું ! અત્યાર સુધી તમે એવા હતા.
હવે મંગળદાસ કોણ ? જે નામધારી હતુંને આ નામ-રૂપ, બધું આ ફિઝિકલ ! અને આ ફિઝિકલ સિવાય બીજું સૂક્ષ્મથી માંડીને ઠેઠ સુધી બાવો.
પ્રશ્નકર્તા : પછી ક્રોધ-માન-માયા-લોભ કરે એ બાવો ?
દાદાશ્રી : બધું બાવો. ક્રોધ-માન-માયા-લોભ હોય તો ય બાવો અને ક્રોધ-માન-માયા-લોભ જીતઈ જાય તો ય બાવો. જીતઈ જાય તો સંયમી કહેવાય.
પ્રશ્નકર્તા : બાવો જ સંયમી કહેવાય છે ? દાદાશ્રી : હા. સંયમી એટલે અસંયમ કરતો નથી એ, એટલે વિશેષણ
હું, બાવો, મંગળદાસ
૩૭૩ થઈ ગયું. જેને વિશેષણ બદલાય એ બાવો !
બે મત : ‘બાવા'તું તે “મંગળદાસ'નું ! એક મન બાવાનું છે અને એક મન મંગળદાસનું છે. ધેર આર ટ માઈન્ડસ. મંગળદાસને શું વિચાર આવે છે એ બાવો જોઈ શકે. એટલે જે વિચારો બાવો જોઈ શકે એ મન બાવાનું નહીં. અને જે મનને જાણી ના શકે, એ બાવાનું. પછી એને પોતાનું મન છે એને એ પોતે જાણી ના શકે, એ કોઈ સમજણ પાડે ત્યારે.
પ્રશ્નકર્તા : એટલે મનની જોડે જ્યારે બાવો તન્મયાકાર થઈ જાય ત્યારે એ જાણી ના શકે એવું ?
દાદાશ્રી : મનમાં જે વિચાર આવે તેની મહીં બાવો તન્મયાકાર થઈ જાય, એટલે પછી એ મંગળદાસ થઈ ગયો અને આવતો ભવ ઊભો થાય. એટલે મન ચોખ્ખું ના થાય. અને બાવો છેટો રહીને જુએ ને જાણે તો મન ચોખ્ખું થતું જાય. એટલે મનની એટલી ખોટ ઓછી થઈ ગઈ. આપણા લોક કહે કે આત્મા ભળે, પણ એ આત્મા તો વાત કરવાની એટલી, એ બોલે એટલું જ, બાવો જ ભળે. બાવાનું મન, ભાવ મન. ભાવ એ બધો બાવો અને દ્રવ્ય એનું નામ મંગળદાસ ! તે ભાવ મન એ પોતાની સત્તામાં છે. (અજ્ઞાન દશામાં) લીકેજ થતું હોય તો. આપણે એને (ક્રમિક માર્ગમાં આમ જ થાય છે.) બંધ કરી શકીએ. ભાવ મન એ ‘લીકેજ' છે, સંજોગોના આધારે. હવે ભાવ મનનો અર્થ શું ? ત્યારે કહે ‘હું કર્તા છું’ એ જ ભાવ મન શરૂ થઈ ગયું અને ‘હું અકર્તા છું’ એટલે ભાવ બંધ થઈ ગયો.
સ્થળ મન મંગળદાસમાં જાય અને સૂક્ષ્મ મન બાવામાં જાય. જે બીજા ફરી અવતાર કરાવડાવેને એ બાવાનું મન. આપણે બાવાનું એ મન કાઢી નાખ્યું. એટલે પેલું સ્થળ મન છે તે ફર્યા કરે, એને આપણે જોવાનું
કહ્યું.
પ્રશ્નકર્તા : સ્થળ મનને જોનારો તે હલુ બાવો જ ને ? દાદાશ્રી : જોનારો ખરોને બાવો. એ જે જોનારો બાવો ખરો, એને