________________
આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ)
કહેવાઉં ? એનું કંઈ કારણ હોયને ? કોઈ કહે કે ખેડૂત. અલ્યા ભઈ, ખેડૂત શાથી પણ ? ત્યારે કહે, મારે જમીન છે, બળદ છે, તો ખેડૂત. આ છે તે ફોજદાર હોય, તે ખેડૂત ગણાય નહીં ને ફોજદારી જે કરે તે બાવો. આ એપ્રોપ્રીએટ દાખલો છે ?
૩૭૦
પ્રશ્નકર્તા : એક્ઝેક્ટ છે, દાદા.
દાદાશ્રી : આ શરીર એ અંબાલાલ. બાવો કોણ ? આ એ જ જ્ઞાની છે તે. અને હું કોણ ? તે આત્મા ! એટલે આ જ્ઞાની બાવા જ કહેવાયને ! હું, બાવો, મંગળદાસ ! કોઈ કહેશે, અલ્યા, ત્રણેય પાછો એક. ત્યારે કહે, એકનો એક. જો આ ત્રણેય મૂઆ ભેગા છેને ! બોલે છેને ? હું ચંદુભાઈ લોખંડ બજારવાળો. તું એક જ કે બે જુદા તમે ? સમજે નહીં જુદા ! એ ખાનારો છે મંગળદાસ. પોતે ને એ બે જુદા, પણ ભાન જ નહીંને ! અમે એક શબ્દ પર કેવા ત્રણ જણ સમજી ગયેલા. હું, બાવો ને મંગળદાસ. બાવો એટલે એની કામગીરી, આ જે ડિઝાઈન એ મંગળદાસ.
આ બધા ખેલ કોતા ?
સંસારની ખટપટ કરે તે બાવો અગર મોક્ષની ખટપટ કરે, પણ એ બાવો અને ‘હું’ શુદ્ધાત્મા છું. સમજણ પડે એવી વાત છેને ?
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : એકના એક પાછાં કે હું, બાવો, મંગળદાસ. મંગળદાસ એ ચંદુભાઈ નામ અને આ સંસારી એ બાવો અને આત્મા એ હું ! હું શુદ્ધાત્મા. બાવો આ બધા. આણે મને ગાળ દીધી, તે ગાળ દેનારો ય બાવો અને ગાળ સાંભળનારો ય બાવો. આ બધા ખેલ, બધાં જાતજાતનાં રોમાન્સ. એ બાવો અને ચંદુભાઈ એ મંગળદાસ. બાવો એટલે જે જે ખેલ કરતો હોય, જ્યાં જાય ત્યાં ખેલ તો હોય જ ને ?
પ્રશ્નકર્તા : એ બાવો જ બધા ખેલ કરાવે છે ?
દાદાશ્રી : હા, બાવો કરાવે.
હું, બાવો, મંગળદાસ
પ્રશ્નકર્તા : અને એ જ બાવો પાછો જ્યારે કહે કે હું શુદ્ધાત્મા તો પાછો શુદ્ધાત્મા ય થઈ જાય.
દાદાશ્રી : હું. થઈ જાય.
૩૭૧
પ્રશ્નકર્તા : જેવો ચિંતવે તેવો થઈ જાય, એવો આત્મા છે. તો એ આ બાવાની વાત છે ? બાવો એવો થઈ જાય ?
દાદાશ્રી : હા. જેવું પોતે ચિતરે, ‘આપણે રોમાન્સ જ કરવો છે' તો તેવો થઈ જાય. ‘આપણે મોક્ષે જવું છે’ તો તેવો થતો જાય. નક્કી કરવું જોઈએ. તેં શું નક્કી કર્યું ?
પ્રશ્નકર્તા : મોક્ષે જવાનું !
દાદાશ્રી : હવે બાવો કયા ભાગને કહે છે તે સમજી ગયાને તમે ?
આ સાઠ વર્ષની, આ એંસી વર્ષની, આ નેવું વર્ષની, આ સિત્તેર વર્ષની, થૈડી, ભણેલી, અભણ, રાંડેલી, માંડેલી, એ બધું બાવામાં. ઠેકાણા વગરના છે, બરકત નથી, બધું બાવામાં. બરકતવાળો છે તે ય બાવામાં. બધું બાવો. અવસ્થા બદલાયા કરે એ બધું બાવો. ઠેઠ સુધી, મોક્ષે જતાં સુધી, હું, બાવો અને મંગળદાસ. હું આત્મા, હું જાણે કે બાવો કેવો છે ને કેવો નહીં, ના જાણે ?
પ્રશ્નકર્તા : જાણે બધું.
દાદાશ્રી : મંગળદાસને પછી મંગળી મળે એને. મંગળદાસ ને મંગળીનું લગ્ન થાય. મંગળદાસને ઓળખ્યો કે ?! મંગળદાસ ને મંગળી પણ બેઉ મંગળદાસ ! બાવો કોણ ? ત્યારે કહે, મંગળદાસના રૂપને (બુદ્ધિ) જુએ તે. એટલે મંગળદાસ જોડે સંબંધ બેઠો. લેવા-દેવાય નહીં કશું. અને મંગળદાસનો ઉશ્કેરાટ બાવામાં પેસી જાય. ઉશ્કેરાટ મંગળદાસમાં હોય, બાવો માની લે.
રાતે પછી એની વાઇફ જોડે વઢવાડ થઈને સૂઈ ગયો, એટલે મનમાં એમ થાય કે હવે ક્યારે મારા લાગમાં આવે ?! જો બાવો શું શું કરે !?