________________
૩૭૬
આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ)
હું, બાવો, મંગળદાસ
૩૭૭
ગયું ! ત્રણસો પિસ્તાલીસથી ઉપર આવ્યો, એને “શુદ્ધાત્મા છું' બોલવું ના પડે. ત્યાર પછી આગળ જવાનું !
એટલે બાવાનું સ્વરૂપ ક્યાં જાય છે કે જે આત્માની સન્મુખ થયાને, જીવાત્માની દશાથી ખસીને આત્મસન્મુખ થયા છે, તે લોકો બાવાના સ્વરૂપમાં જાય છે. માટે તે પછી ઍબ્સોલ્યુટ સુધી જાય છે. એટલે આ વચલું, બાવાની સ્થિતિ આ છે.
પ્રશ્નકર્તા : બાવો જાણી શકે નહીં ?
દાદાશ્રી : જાણનાર જ છે, એ જાણે છે ખરો, પણ બાવો એવું જાણનાર છે કે આ આત્મા જાણે છે. બાવો જાણે તો પછી આત્મા રહી જાય. બધું કરે છે અને જાણે છે, એવું મિશૂર છે ત્યાં સુધી બાવો ને એકલું જાણે છે તે આત્મા. મૂળ જાણનાર આત્મા જ છે.
પ્રશ્નકર્તા: કયો આત્મા જાણે છે ?
જોનાર-જાણનાર બને છે. ખરેખર તો મૂળ આત્મા જ જોનાર-જાણનાર છે અને સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ કરનાર છે. વળી મંગળદાસ સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સના આધારે કરે છે. ત્યારે બાવો માને છે કે હું કરું છું. આમ કર્તા ને જ્ઞાતા બેઉ બાવો બને છે, માન્યાતાના આધારે. એમ સમજવું.)
હું, બાવો ને મંગળદાસ, ત્રણ વાત આવી તો બધું સમજી જાય કે મંગળદાસ કોણ ? હું કોણ ? અને બાવો કોણ ? હવે મંગળદાસ તો દીવા જેવી ચોખેચોખ્ખી વાત છે. બહાર દેખાય છે તે કોણ ? ત્યારે કહે, મંગળદાસ. હાડકાં દેખાય છે તે કોણ ? ત્યારે કહે, મંગળદાસ દેખાતો નથી એ બાવો.
પ્રશ્નકર્તા : આ ભૂખ લાગે, તરસ લાગે, જે જોઈ શકાય એવી વસ્તુ નથી. અંદર જે થાય છે એની મેળે જ. તો એ કોને થાય છે અને એ કોણ જોઈ શકે છે ? આપ એવું બોલેલા કે અમે ખોરાક ખાઈએ તો બધું જોઈ શકીએ. પચે તે પણ જોઈ શકીએ. બધું અમે જુદે જુદું જોઈ શકીએ. તો કે એ કેમનું દેખાય, કોણ જોઈ શકે ? એમાં જ્ઞાતા-દ્રષ્ટા કોણ ?
દાદાશ્રી : બળ્યો, આત્મા સિવાય કોઈ વસ્તુ જ્ઞાતા-દ્રષ્ટા હોય જ
દાદાશ્રી : જાણનાર આત્મા, શુદ્ધાત્મા. મૂળ આત્મા, ભગવાન જે છે તે જ.
નહીં.
પ્રશ્નકર્તા : બાવો અને મંગળદાસ એ બન્નેનો શુદ્ધાત્મા જ્ઞાતા-દ્રષ્ટા શુદ્ધાત્મા જ રહે છે ?
દાદાશ્રી : બન્ને શું ? બન્નેની અંદર જેટલા ભાગ હોય એ બધાને જુએ છે, જાણે છે.
પ્રશ્નકર્તા અને બાવો એકલો મંગળદાસનો જ જ્ઞાતા-દ્રષ્ટા રહે છે?
પ્રશ્નકર્તા : બાવાએ બાવાનું અસ્તિત્વ ખતમ કરવા શું કરવું?
દાદાશ્રી : અસ્તિત્વ ઉત્પન્ન થાય એવું છે જ નહીં હવે. જો બાવાના પક્ષમાં ના બેસીએ તો બાવાને છોકરા થવાના નથી. કોઈ ગાળ ભાંડે ‘તને તે ઘડીએ તું ઉપરાણું ના લઉ પોતાનું. એટલે ફરી થવાના જ નહીં.
મોક્ષ ખોળે છે તે : મોક્ષ સ્વરૂપ છે તે ! પ્રશ્નકર્તા : મોક્ષ કોને જવાનું? દાદાશ્રી : જે બંધાયેલો છે તેને. જેને દુઃખ થાય છે તેને. પ્રશ્નકર્તા : એટલે પુદ્ગલને ?
દાદાશ્રી : બાવો તો જ્ઞાતા-દ્રષ્ટા રહે જ નહીં. જ્ઞાતા-દ્રષ્ટા તો શુદ્ધાત્મા જ છે. એ સિવાય બીજું કોઈ જ્ઞાતા-દ્રષ્ટા છે જ નહીં. આમાંય બધું જુએ છે. આ બધી ચીજો, આંખે દેખાય છે તે બધું શુદ્ધાત્માને લીધે દેખાય છે. બાકી બાવાને તો એવું છે જ નહીં, શક્તિ જ નહીંને ! બાવા તો અંધા છે. (બાવો માત્ર માને છે કે હું જોઉં છું ને જાણું છું. એટલે એ રીતે એ