Book Title: Aptavani 13 U
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 204
________________ ૩૩૨ આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ) નિરાલંબ ૩૩૩ દાદાશ્રી : એ બોલે તેથી કંઈ દહાડો વળી જાય કંઈ ? પ્રશ્નકર્તા તો શુદ્ધાત્મા’ બોલે કંઈ દહાડો વળે ? દાદાશ્રી : હા, વળેને પણ. દાદા ભગવાન જેવો હું શુદ્ધાત્મા ! પ્રશ્નકર્તા : તો પછી પરમાત્મા બોલે, કેમ ના વળે ? દાદાશ્રી : શું પણ વળે એમાં સમજણ વગર ? શુદ્ધાત્મા જે મેં આપ્યો છે એ બરોબર છે, એક્કેક્ટ છે. પણ એથી આગળ તો તમારે પોતે જ પુરુષાર્થથી જવું પડશે. આ બધાં અવલંબન તૂટ્યા, બધા સગાવહાલા, બીજા બધા, દેહના અવલંબન છૂટ્યા, ત્યારે આ શબ્દનું અવલંબન રહ્યું. પ્રશ્નકર્તા : તો પછી ‘હું દાદા ભગવાન જેવો શુદ્ધાત્મા છું’ બરોબર છે ? પ્રશ્નકર્તા : પણ એ તો કેવળજ્ઞાની થઈ ગયાને ? દાદાશ્રી : હા, એ ય શુદ્ધાત્મા જ પણ. એ શુદ્ધાત્મા પોતે માને નહીં. એ તો પોતાનું સ્વરૂપ નિરાલંબ સ્વરૂપને જ માને. પણ આમ કહેવા જાવ ત્યારે શુદ્ધાત્મા જ કહેવાય. - ચૌદમા ગુંઠાણે નિરપેક્ષ ! નિરાલંબ તો અમે એકલાં જ હોઈએ. અમે કોઈને કહીએ નહીં કે તમે ત્યાં સુધી આવો, આ જીંદગીમાં કોઈ આવી ના શકે. માટે આટલું કરે. નિર્પેક્ષ તમારું પોતાનું અવલંબન ‘હું શુદ્ધાત્મા છું' ત્યાં સુધી આવવાનું. પ્રશ્નકર્તા : નિર્પેક્ષ એટલે અપેક્ષા વગરનું ? દાદાશ્રી : કોઈ જાતની અપેક્ષા નહીં. પ્રશ્નકર્તા : દાદા, આ નિર્વિચાર, નિર્વિકલ્પ, નિરાકુળ આ બધા શબ્દો ને એને શું સંબંધ ? દાદાશ્રી : એ બધાથી આ નિરાલંબ જુદું. નિરાલંબ તો એવું કહેવા માંગે છે, શબ્દ નથી ત્યાં આગળ. પ્રશ્નકર્તા: આ સાપેક્ષતા જે કીધી, ક્યાં સુધી ? એટલે જીવ જે ઉપર જવાનો તે ક્રમે ક્રમે ઉપર જવાનો તે સાપેક્ષ ક્યાં સુધી ? દાદાશ્રી : ચૌદમું ગુંઠાણું નિરપેક્ષ થાય ત્યાં સુધી. જ્યાં સુધી સાપેક્ષ છે, જ્યાં સુધી દેહ છે. હા અને ચૌદમું ગુઠાણું એટલે શું ? દેહ સાથે નિરપેક્ષ. પગ ગાડીમાં છે, ઊભાં છે ગાડીમાં. બિસ્તરા બહાર છે પ્લેટફોર્મ ઉપર, પણ આપણે ગાડીમાં છીએ. ગાડી ઉપડે તો બિસ્તરા રહી જશે તો ય વાંધો નથી. એટલે ચૌદમા ગુંદાણામાં એ નિરપેક્ષ થાય છે, ત્યાં સુધી સાપેક્ષનો આધાર છે. હા, છતાંય બહારના લોકોને સાપેક્ષ લાગે. મને સાપેક્ષ નથી લાગતું. કારણ કે તમને હું સાપેક્ષ લાગું અને હું નિરાલંબ રહી શકું છું. કોઈ પણ પ્રકારનું અવલંબન નહીં, એ નિરપેક્ષ કહેવાય. નો રિલેટિવ ! દાદાશ્રી : એવું જ બોલાય. પ્રશ્નકર્તા : તો ‘મહાવીર ભગવાન જેવો શુદ્ધાત્મા છું’ એ કેમ ? દાદાશ્રી : હા, તે એવું ય બોલાય. કારણ કે એ શુદ્ધાત્મા જેવો હું શુદ્ધાત્મા છું. કંઈક ગણતરી છે આ બાજુ. બધાની ગણતરી છે, એ બાબતમાં મળતું આવે છે બધું ? પ્રશ્નકર્તા : પણ મહાવીર ભગવાન તો કેવળજ્ઞાની થઈ ગયા, તો આપણે શુદ્ધાત્મા કેમ એમને કહીએ છીએ ? દાદાશ્રી : ના, એ તો આપણે એમ કહીએ છીએ કે અમે મહાવીર ભગવાન જેવા શુદ્ધાત્મા છીએ. ભગવાન જેવા શુદ્ધાત્મા. એમનો જે શુદ્ધાત્મા હતો એવાં અમે શુદ્ધાત્મા છીએ.

Loading...

Page Navigation
1 ... 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258