Book Title: Aptavani 13 U
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 206
________________ ૩૩૬ આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ) નિરાલંબ ૩૩૩ જ સત્સંગમાં રહેવું. બીજાં કોઈની જરૂર ના પડે. એ સિવાય બીજું તો અવલંબિત થયું. બીજાની જરૂર પડી કે અવલંબિત થયું અને એટલે પરતંત્ર થયું અને પરતંત્ર થયું એટલે આપણને પૂરું સુખ ના હોય ! સુખ નિરાલંબ હોવું જોઈએ ! કોઈ અવલંબન ના જોઈએ. ફેર, આધાર તે આલંબતમાં ! પ્રશ્નકર્તા: આધાર અને અવલંબન વિશે વધારે સમજવું છે. દેહ એ અધ્યાત્મવિદ્યાનો આધાર છે. મોક્ષ તો જ થઈ શકે. પણ આત્માને દેહનું અવલંબન ખરું કે નહીં ? દાદાશ્રી : અજ્ઞાન દશામાં આત્માને (વ્યવહાર આત્માને) દેહનો આધાર કહ્યો છે ને ! દેહ હોય તો બંધન છે. જો બંધન છે તો મોક્ષ ખોળી કાઢે. અવલંબન વસ્તુ જુદી છે અને આધારને નિરાધાર કરવો એ બન્ને વસ્તુ જુદી છે. આધાર, નિરાધાર થઈ શકે છે. પણ અવલંબન નિરાલંબ થવું એ જરા વાર લાગે. પ્રશ્નકર્તા : નિરાલંબ થવા પ્રયત્ન કરીએ છીએ પણ તોય ઘણી વખત થવાતું નથી. દાદાશ્રી : ના થવાય. હજુ તો એ કંઈ એવી સ્થિતિ નથી કે તરત પ્રાપ્ત થાય. આ તો જાણવા માટે કહીએ છીએ કે આમ થઈ શકાય એવી સ્થિતિ છે. એ છે તો મારા કેટલાં કેટલાં અવતારોનું આ ભેગું કરેલું ફળ છે આ તો. આ વિજ્ઞાન એવું છે કે આમ થઈ શકે એમ છે. પોતે નિશ્ચય કરીને એની પાછળ પડે, તો થઈ શકે એમ છે. પહેલાં સ્થળમાં નિરાલંબ થાય, પછી સૂક્ષ્મમાં નિરાલંબ થાય. પછી સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ. નિરાલંબ એટલે શું? ‘શુદ્ધાત્મા છું' એ અવલંબન શબ્દનું ય ના જોઈએ. મૂળરૂપ જેણે જોયું હોય તેને છે તે અવલંબન હોય ? પ્રશ્નકર્તા : એટલે એ ત્રણ વસ્તુ થઈને, દાદા. સૂક્ષ્મ, સૂક્ષ્મતર, સૂક્ષ્મતમ. એ આખી વસ્તુ. દાદાશ્રી : એટલે એ ક્યારે બને ? આ માથે આવી પડેલું ખાય, આવી પડેલાં કપડાં પહેરે, આવી પડેલું બધું વાપરે તો એ કામ થાય. પથારી ય આવી પડેલી. અમારે આજે રીક્ષા આવી પડી તો રીક્ષામાં આવ્યા નિરાંતે. અમારે એવું નથી કે આજ જોઈએ. શું આવી પડ્યું એ જોવાનું. રીક્ષા ના હોત તો ધીમે ધીમે ચાલતા આવીએ, નહીં તો પેલી ખુરશીમાં બેસીને આવીએ પણ આવીએ, તોય સત્સંગ બંધ ના રાખીએ કદી, કેડીલેક(ગાડી) ના હોય ત્યારે કેડીલેક મોટી કે સત્સંગ મોટો ! અંતે સત્સંગે ય આલંબત ! છતાં અમારે તો આ સત્સંગે ય થતો નથી. આ સત્સંગ અમને બોજાવાળો લાગે છે. પ્રશ્નકર્તા: પણ અમને તો આ સત્સંગથી પ્રેરણા મળે છે ને ! દાદાશ્રી : હા, તમારા માટે આ સત્સંગની જરૂર છે પણ મારે માટે આ સત્સંગ બોજાવાળો છે ! આ સત્સંગ કરીએ છીએ પણ તમારે એવો ધ્યેય રાખવો કે આપણે એવા સત્સંગ ઉપર જવું છે કે જ્યાં આપણે પોતે પોતાના પ્રશ્નકર્તા : પહેલાં અવલંબન ને આધાર એટલે શું ? એ કોને કહો છો તમે ? આ સમજાવો. દાદાશ્રી : હંઅ. એ વાતચીત કરીએ આપણે. આધારમાં લોડ પડે. અવલંબનમાં તો લોડ ના પડે અને અવલંબન હોય તો જ છે તે રેગ્યુલર થઈ શકે. અવલંબનના હિસાબે રેગ્યુલર રહી શકે. એને ય આપણી દેશી ભાષામાં કહું તો અવલંબન એટલે ઓળંબો. આપણે આ દિવાલ ઊભી કરવી હોય તો એ ઓળંબો મૂકીએ તો સીધી થાય. અને આધાર એ વેઈટ, લોડવાળું હોય. આધાર છે એ વસ્તુ જુદી છે ને અવલંબન એ વસ્તુ જુદી છે. અવલંબન એટલે ઓળંબો, એ ઓળંબામાં એક જ વસ્તુ છે કે શુદ્ધાત્મા એકલો જ ઓળંબો છે. બીજું કોઈ અવલંબન છે નહીં. બીજું અવલંબન આપણી ભાષામાં બોલીએ તેને હૂંફ કહે છે. એટલે કડિયાને કહીએ કે, “તેં આ ભીંત કેમ વાંકી કરી નાખી ?” ત્યારે કહે, ‘સાહેબ આલંબન નહોતું. તે પાછો આલંબન બોલતાં ના

Loading...

Page Navigation
1 ... 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258