Book Title: Aptavani 13 U
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 209
________________ ૩૪ર આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ) નિરાલંબ ૩૪૩ દાદાશ્રી : નિરાલંબ થાય ત્યારથી એ પોતે પોતાને જોઈ શકે. જોઈ શકવું એ શબ્દરૂપ નથી. શબ્દ તો અવલંબન છે. પ્રશ્નકર્તા પોતાને ખબર પડે કે પોતે અવલંબનથી પ્રહાયેલો છે ? દાદાશ્રી : બધું ય ખબર પડે. પ્રશ્નકર્તા એટલે એનો ઉપાય શું છૂટવા માટે ? દાદાશ્રી : કડવું ઝેર જેવું લાગે છે, ના ખબર પડે કે આ મીઠું લાગે છે ને કડવું લાગે છે? પ્રશ્નકર્તા એટલે જ્યાં જ્યાં મીઠું લાગે છે અથવા કડવું લાગે છે એ અવલંબનો પડ્યા છે હજુ. દાદાશ્રી : સંયોગો માત્ર અવલંબન છે. પ્રશ્નકર્તા : એટલે જ્યાં જ્યાં હૂંફ લેવાતી હોય, જે જે અવલંબન લીધાં હોય અથવા લેવાતાં હોય, એ કડવા ઝેર જેવા લાગવા જોઈએ ? દાદાશ્રી : કડવું લાગે તો છૂટતું જ હોય. જેટલા સંયોગ એટલા અવલંબન. પ્રશ્નકર્તા : આમાં અવલંબન છૂટવા માટે એક બીજો પણ રસ્તો હોઈ શકે ને એટલે જ્ઞાનની જાગૃતિપૂર્વક પણ અવલંબન છૂટી શકે ને ? દાદાશ્રી : જ્ઞાન જાગૃતિ છે, તો અવલંબન છે જ નહીં ને ! પ્રશ્નકર્તા : ત્યાં અવલંબન જ નથી ? દાદાશ્રી : હજુ બીજામાં એને હેબિટ છે એટલે. પ્રશ્નકર્તા : મીઠું લાગે છે એ વસ્તુ. અવલંબનો કારણો કયા હોઈ શકે છે. વધારે ? દાદાશ્રી : ઈચ્છાઓને કારણે. પ્રશ્નકર્તા : એ બરોબર, પણ જે બાધક કર્તા અવલંબનો કયા કયા હોય ? એટલે આમ દાખલા તરીકે આ ઘરનું અવલંબન છે, બૈરીનું અવલંબન છે. દાદાશ્રી : અરે, એ તો ગણતરીમાં મૂકાય નહીં. પ્રશ્નકર્તા : એ નહીં, તો ? દાદાશ્રી : એ તો મોટું મોટું એક થઈ ગયું. આ તો એક સર્કલની વાત કરી કે પાંચ-સાત સંજોગો હોય, સ્ત્રી હોય, ઘર હોય, એવાં તો કરોડો સંજોગો હોય. આ તો સ્ત્રી નહીં, બધે આરપાર ગયેલો. ફકત પાંચ-સાત સંજોગો હોય. પણ ત્યાંથી નિરાલંબ કહેવાતો હોય, પાંચ-સાત સંજોગો હોય તો ય ! પ્રશ્નકર્તા : એટલે અમુક નિરાલંબ સ્થિતિ પ્રાપ્ત થઈ હોય ? પ્રશ્નકર્તા: પણ સંયોગોની તો આપનેય ભેગા થાય છે, છતાં આપની સ્થિતિ નિરાલંબ એ કેવી રીતે ? દાદાશ્રી : આ તો સંયોગોની અમારે જરૂર નથી અને બીજા આ ભેગા થાય છે તે અમે નિકાલ કરીએ છીએ. પ્રશ્નકર્તા: એટલે? અત્યારે સંયોગો ભેગા થાય છે એ પૂર્વેના કંઈક અવલંબનનું પરિણામ છે એવું કહો છો ? દાદાશ્રી : ઈચ્છાઓનું પરિણામ છે. પ્રશ્નકર્તા: પહેલાંની ? દાદાશ્રી : અત્યારે ઈચ્છા ના રહી હોય તે પહેલાની ઈચ્છાના પરિણામે હમણાં સંયોગો ભેગા થાય, પણ કડવાં ઝેર જેવા લાગે, ગમે નહીં. પ્રશ્નકર્તા ઃ એટલે આ નિકાલ થઈ જશે, એમ નિરાલંબ સ્થિતિ વધારે ઉત્પન્ન થશે ?

Loading...

Page Navigation
1 ... 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258