SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ર આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ) નિરાલંબ ૩૪૩ દાદાશ્રી : નિરાલંબ થાય ત્યારથી એ પોતે પોતાને જોઈ શકે. જોઈ શકવું એ શબ્દરૂપ નથી. શબ્દ તો અવલંબન છે. પ્રશ્નકર્તા પોતાને ખબર પડે કે પોતે અવલંબનથી પ્રહાયેલો છે ? દાદાશ્રી : બધું ય ખબર પડે. પ્રશ્નકર્તા એટલે એનો ઉપાય શું છૂટવા માટે ? દાદાશ્રી : કડવું ઝેર જેવું લાગે છે, ના ખબર પડે કે આ મીઠું લાગે છે ને કડવું લાગે છે? પ્રશ્નકર્તા એટલે જ્યાં જ્યાં મીઠું લાગે છે અથવા કડવું લાગે છે એ અવલંબનો પડ્યા છે હજુ. દાદાશ્રી : સંયોગો માત્ર અવલંબન છે. પ્રશ્નકર્તા : એટલે જ્યાં જ્યાં હૂંફ લેવાતી હોય, જે જે અવલંબન લીધાં હોય અથવા લેવાતાં હોય, એ કડવા ઝેર જેવા લાગવા જોઈએ ? દાદાશ્રી : કડવું લાગે તો છૂટતું જ હોય. જેટલા સંયોગ એટલા અવલંબન. પ્રશ્નકર્તા : આમાં અવલંબન છૂટવા માટે એક બીજો પણ રસ્તો હોઈ શકે ને એટલે જ્ઞાનની જાગૃતિપૂર્વક પણ અવલંબન છૂટી શકે ને ? દાદાશ્રી : જ્ઞાન જાગૃતિ છે, તો અવલંબન છે જ નહીં ને ! પ્રશ્નકર્તા : ત્યાં અવલંબન જ નથી ? દાદાશ્રી : હજુ બીજામાં એને હેબિટ છે એટલે. પ્રશ્નકર્તા : મીઠું લાગે છે એ વસ્તુ. અવલંબનો કારણો કયા હોઈ શકે છે. વધારે ? દાદાશ્રી : ઈચ્છાઓને કારણે. પ્રશ્નકર્તા : એ બરોબર, પણ જે બાધક કર્તા અવલંબનો કયા કયા હોય ? એટલે આમ દાખલા તરીકે આ ઘરનું અવલંબન છે, બૈરીનું અવલંબન છે. દાદાશ્રી : અરે, એ તો ગણતરીમાં મૂકાય નહીં. પ્રશ્નકર્તા : એ નહીં, તો ? દાદાશ્રી : એ તો મોટું મોટું એક થઈ ગયું. આ તો એક સર્કલની વાત કરી કે પાંચ-સાત સંજોગો હોય, સ્ત્રી હોય, ઘર હોય, એવાં તો કરોડો સંજોગો હોય. આ તો સ્ત્રી નહીં, બધે આરપાર ગયેલો. ફકત પાંચ-સાત સંજોગો હોય. પણ ત્યાંથી નિરાલંબ કહેવાતો હોય, પાંચ-સાત સંજોગો હોય તો ય ! પ્રશ્નકર્તા : એટલે અમુક નિરાલંબ સ્થિતિ પ્રાપ્ત થઈ હોય ? પ્રશ્નકર્તા: પણ સંયોગોની તો આપનેય ભેગા થાય છે, છતાં આપની સ્થિતિ નિરાલંબ એ કેવી રીતે ? દાદાશ્રી : આ તો સંયોગોની અમારે જરૂર નથી અને બીજા આ ભેગા થાય છે તે અમે નિકાલ કરીએ છીએ. પ્રશ્નકર્તા: એટલે? અત્યારે સંયોગો ભેગા થાય છે એ પૂર્વેના કંઈક અવલંબનનું પરિણામ છે એવું કહો છો ? દાદાશ્રી : ઈચ્છાઓનું પરિણામ છે. પ્રશ્નકર્તા: પહેલાંની ? દાદાશ્રી : અત્યારે ઈચ્છા ના રહી હોય તે પહેલાની ઈચ્છાના પરિણામે હમણાં સંયોગો ભેગા થાય, પણ કડવાં ઝેર જેવા લાગે, ગમે નહીં. પ્રશ્નકર્તા ઃ એટલે આ નિકાલ થઈ જશે, એમ નિરાલંબ સ્થિતિ વધારે ઉત્પન્ન થશે ?
SR No.008839
Book TitleAptavani 13 U
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year2002
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size71 KB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy