________________
૩૪)
આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ)
નિરાલંબ
૩૪૧
પણ અવલંબન ના હોય.
દાદાશ્રી : અવલંબન હોય નહીં. દેખીતી રીતે બીજા લોકોને દેખાય. અવલંબન ઓછાં કરતાં કરતાં જવાનું છે ને !
પ્રશ્નકર્તા : અચ્છા ! એટલે મૂળ માર્ગ એવો છે. નિરાલંબ દશા પામવાનો માર્ગ એવો છે.
દાદાશ્રી : અવલંબન ઓછાં કરતાં કરતાં જવાનું. પ્રશ્નકર્તા: આમાં અવલંબનની જરૂર કેમ લાગે છે ?
આધાર ખસેડે તો આધારી છૂટે. આત્મામાં આધાર-આધારી સંબંધ નથી. આત્મામાં આધાર જેણે રાખ્યો છે તેને આધારી સંબંધ નથી. આધારઆધારી સંબંધવાળી આ દુનિયાદારીની ટેમ્પરરી વસ્તુઓ છે. આ દુનિયાદારીની ટેમ્પરરી વસ્તુઓ આધાર-આધારી હતી. ને પરમેનન્ટ વસ્તુનો આધાર-આધારી સંબંધ નથી.
ઑલ ધીસ રિલેટીવ આર ટેમ્પરરી એડજસ્ટમેન્ટ એન્ડ યુ આર પરમેનન્ટ. ચંદુભાઈ ટેમ્પરરી એડજસ્ટમેન્ટ, ફાધર ઓફ ધી સન ટેમ્પરરી એડજસ્ટમેન્ટ, હસબંડ ઑફ યોર વાઈફ ટેમ્પરરી એડજસ્ટમેન્ટસ. બધું ટેમ્પરરી એડજસ્ટમેન્ટ એન્ડ યુ આર પરમેનન્ટ. આ પાંચ ઈન્દ્રિયોથી દેખાય તે બધું આધાર-આધારી સંબંધથી છે, સાપેક્ષ, જેમાં જેણે અપેક્ષા રાખી છે. રિલેટિવ છે. સાપેક્ષ એટલે રિલેટિવ, એ બધું આધારી અને રિયલમાં નિરાલંબ. તે ઘડીએ આધાર-બાધાર નહીં.
એવું છે ને, મહીં બધા બહુ જાતના આધાર છે, એક-બે આધાર નથી, અનંત આધાર છે બધા. એટલે પ્રકૃતિ એ સામસામી આધારે કરીને બનેલી છે. વાયુના આધારે પિત્ત રહેલું છે ને પિત્તના આધારે કફ રહેલો છે. કફના આધારે આમ રહેલું છે. હાડકાંના આધારે આ શરીર રહેલું છે અને શરીરના આધારે આ હાડકાં રહેલાં છે. એટલે જાતજાતનું આ આધારી સંબંધ છે અને એને બહારે ય આધાર છે. પણ બહારનાં જોડે એને લેવાદેવા નથી, પણ એ તો ભ્રાંતિથી એમ માને છે કે મારે આ સંબંધ છે.
દાદાશ્રી : આ ભક્તિ કરી છે અવલંબનની તેથી.
પ્રશ્નકર્તા : પુદ્ગલની ભક્તિ કરી છે એટલે. એટલે એ પરિણામ સ્વરૂપે હૂંફ આવે છે ?
દાદાશ્રી : પરિણામે એની ધારેલી ઈચ્છા પૂરી થાય.
પ્રશ્નકર્તા : એટલે હૂંફને લીધે પેલી પૌદ્ગલિક ઈચ્છાઓ ઊભી થાય છે એ હૂંફને કારણે એવું કહો છો ?
દાદાશ્રી : ઈચ્છા પૂરી થઈ એટલે હૂંફ પૂરી થઈ ગઈ. તે પહેલાંની કરેલી ઈચ્છા તેનું પરિણામ આવે તેટલી હૂંફ હોય, ખરેખર ના હોય વાસ્તવિક.
તિરલંબ થવાય કઈ વાટે ?
પ્રશ્નકર્તા : આપણા જ્ઞાન પછી પોતે શુદ્ધાત્મા પદને પ્રાપ્ત થયો, એટલે દ્રષ્ટિ એની નિરાલંબની પ્રાપ્ત થઈ કહેવાય ને ?
દાદાશ્રી : નિરાલંબ જ હોય એની.
પ્રશ્નકર્તા : આ નિરાલંબ સ્થિતિની વ્યાખ્યા કઈ કહી શકાય ? નિરાલંબ દશા એની વ્યાખ્યા કોને કહેવાય ?
દાદાશ્રી : કોઈના પણ અવલંબન વગર રહેવું. જગત આખું અવલંબનવાળું. કંઈ ને કંઈ પુદ્ગલનો થોડો ટેકો હોય ને આ પુદ્ગલનો ટેકો ના હોય.
પ્રશ્નકર્તા : એટલે દેખીતી રીતે અવલંબન દેખાય પણ ખરેખર કોઈ
પ્રશ્નકર્તા : આ જ્ઞાન પછી. પણ પેલું અંદર ઊભું થાય અથવા તો અંદર રહેલાં પરિણામ હોય, એનો નિકાલ કેવી રીતે થાય ?
દાદાશ્રી : એ કડવું ઝેર જેવું લાગ્યા કરે એટલે છૂટ્યા કરે.