________________
આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ)
આવડે. તે એ શું કહે, ‘ઓળંબો નહોતો, સાહેબ.’ ‘અલ્યા મૂઆ, ઓળંબો તે જ આલંબન !’ ત્યારે કહે, એ અમને બોલતાં નથી આવડતું એટલે ઓળંબો કહીએ. ઓળંબો છે તો ય ખસી ગયું. આ ભીંત જુદી થઈ સમજ્યા ! એમને ઓળંબાવાળાને આપણે પૂછીએ કે તમે અવલંબન લઈ આવો. ત્યારે કહે, ના, અવલંબન તો અમારે જરૂર નહીં. અમારે તો ઓળંબાની જરૂર. ભાષા જ એ થઈ ગઈ છે ઓળંબાની. એમ આ આલંબનથી પીડાય છે આ લોકો. જો મસ્તીથી જીવે છે ને ! પાછો રડે છે, કૂટાય છે, હસે છે, કરે છે. રાગ-દ્વેષ કરે પણ મૂળ પોતે સનાતન છે એટલે એને પોતાને જરાપણ ‘હું પણું’ જતું નથી. થૈડો થાય તો ય કહેશે, ‘હું છું’. અલ્યા મૂઆ, પૈંડો તો ય ? દેહ પૈડો થયેલો છે, હું તો છું જ ને તે. તો ય પણ આ જુદાપણું સમજતો નથી એ ય અજાયબી છે ને ! આ બહુ તાળા કાઢવા જેવો, સમજવા જેવા છે.
૩૩૮
એ શુદ્ધાત્મા એકલું જ અવલંબન છે, એ શબ્દ. એ શબ્દ એકલો જ ખાલી એ ઓળંબો છે. અને એ ઓળંબાથી આત્મા એક્યુરેટ રહી શકે છે અને પછી એ ઓળંબાની ય પણ જરૂર નથી. નિરાલંબ સ્થિતિ રહે છે. એટલે આ અવલંબન એટલે એને પ્યૉર ગુજરાતી ભાષામાં કહેવું હોય તો ઓળંબો કહીએ તો ચાલે, તો સમજણ પડે, નહીં તો સમજણ ના પડે અને આધાર-આધારી એ વસ્તુ લોડવાળી છે. તમે કર્મને આધાર આપો કે ‘આ મેં કર્યું’ એ તમે આધાર આપો છો. એટલે પડી ના જાય અને ‘મેં નથી કર્યું.’ એ આધાર પડી ગયો એટલે નિરાધાર થઈને પડી જાય. કર્મ પડી જાય ક્યારે ? નિરાધાર થાય ત્યારે. આધાર ના આપીએ તો પણ આધાર આપે છે ખરો ? જગત આખું આધાર આપે જ. ‘હા, હા, મેં જ કર્યું.’ આપણે કહીએ, ‘તમે થોડું અમથું હાથ જ અડાડ્યો છે.’ ‘તો પણ કર્યું મેં આ’ કહેશે. કર્તાપણું છૂટ્યું એટલે જાણવું કે હવે સૌ બંધન તૂટ્યા.
પ્રશ્નકર્તા : આત્માનો આધાર નહીં, પણ આત્માનું અવલંબન શરીર ખરું કે નહીં ?
દાદાશ્રી : અવલંબન નહીં. આત્મામાં કોઈ આધાર-આધારી સંબંધ નથી. આત્મા રિયલ છે, અવિનાશી છે. દેહ રિલેટિવ છે, વિનાશી છે.
નિરાલંબ
રિલેટિવ બધું આધાર-આધારી સંબંધવાળું છે. ‘તમે’ પોતે કર્મને આધાર આપો કે ‘મેં કર્યું,’ એટલે કર્મ ઊભા રહ્યા. કર્મના આધારે પ્રકૃતિ, એમ આધાર એના એક-એક પકડાતાં જાય છે. તે ઠેઠ દેહ સુધી આવે. આ આને આનો આધાર, આને આનો આધાર, આને આનો.
૩૩૯
જ્યારે તમે શુદ્ધાત્મા છો તે ભેદજ્ઞાનના અવલંબને. ભેદજ્ઞાન શેને અવલંબન ? એ જ્ઞાની પુરુષના અવલંબન. એટલે આ બધા અવલંબન થતાં થતાં આવે. પણ એમાં લોડ ના થાય અને આધાર-આધારીમાં લોડ હોય.
શુદ્ધાત્મા જે છે એ આધાર-આધા૨ી ભાવનો એનો સ્વભાવ જ નથી. જો આધારી ભાવ હોય તો નિરાધારપણું લાવે. એટલે આ દેહ જોડે અવલંબિત
નથી.
હું
તમારે અવલંબન ઊભું રહ્યું કે હું શુદ્ધાત્મા બોલું છું. તે કહે છે કે ભઈ, આ ખરેખર ભગવાન ભેગા થઈ ગયા ? ત્યારે કહે, ના, અવલંબન ભેગું થયું છે. શુદ્ધાત્મા શબ્દનું અવલંબન છે. એ શબ્દનું અવલંબન પછી છૂટી જાય એટલે ત્યાં પરમાત્મા છે, એ નિરાલંબ દશા !
આધાર-આધારીતી સમજ !
બે વસ્તુના આધારે આ જગતમાં મનુષ્ય જીવે છે. કયા કયા આધાર ? તો એ કહે છે, સ્વરૂપનો આધાર. તમે બધા સ્વરૂપના આધારે જીવો છો અને બીજા છે તે અહંકારના આધારે. ‘હું ચંદુલાલ જ છું’ .‘હું જ છું’. મી. મી... મી... અરે, મી તર ચાલલો (હું તો ચાલ્યો), કહેશે !
આધાર-આધા૨ીના સંબંધના આધારે જ આ જગત ઊભું રહ્યું છે. આ આધાર, સ્વરૂપના સંબંધને લઈને રહ્યો છે. પેલો આધાર અહંકારના સંબંધને લઈને રહ્યું છે. એ ના હોય, અહંકાર ના હોય તો પછી એ આધાર ઊડી જાય. કર્મનો કર્તા ના થાય પછી. અમારી આજ્ઞામાં રહીશ તો કર્મ બંધાશે નહીં એય અને અહીં કર્મ કરીશ ખરો બધા પણ કર્મ બંધાય નહીં. કર્મ કરે પણ છતાં અકર્મ, એ જે કૃષ્ણ ભગવાને કહ્યુંને એ દશા.