Book Title: Aptavani 13 U
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 199
________________ ૩૨૨ આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ) નિરાલંબ ૩૨૩ દાદાશ્રી : એવું છે ને, કેવું હોય એ પૂછે છે જ બુદ્ધિ. પણ બુદ્ધિથી એ દેખાય નહીં, એવું છે. દરવાજામાં પેસી ગયા. એને કોઈ પાછો ના કાઢી શકે. જાણી-જોઈને કોઈ લઢવાડ ના કરે તો. મહીં પેસીને જો લઢવાડ કરે તો પાછો કાઢી મૂકે. એ કાયદેસર રહે તો વાંધો નહીં. પ્રશ્નકર્તા : આ શબ્દ અવલંબન પછી સુક્ષ્મ દાદાની કેટલી હેલ્પ થાય ? પ્રશ્નકર્તા : એટલે નિરાલંબ સ્વરૂપ જોયું કોણે એવી રીતે ? આમાં મૂળ સ્વરૂપે દાદા રહેલા છે, આ અનુભવ કરવા જુદા રહ્યાને ? મૂળ સ્વરૂપને જોનારા જુદા રહ્યાને અત્યારે ? દાદાશ્રી : એ પ્રજ્ઞા જ. પ્રજ્ઞાથી, બધું પ્રજ્ઞાનું કામ. આ તમારા શુદ્ધાત્મા સ્વરૂપને જોનારી પ્રજ્ઞા. એ પ્રજ્ઞા જુએ છે. જ્યાં સુધી કેવળજ્ઞાન સમજમાં હોય ત્યાં સુધી પ્રજ્ઞા બહાર હોય. કેવળજ્ઞાન જ્ઞાનમાં હોય, ત્યારે પ્રજ્ઞા ફીટ થઈ જાય, બસ. બીજું શું ? પછી જોનારો ય કોણ છે ? બાકી જગતમાં નિરાલંબ શબ્દ જ ન હોય. અવલંબન વગર રહે શી રીતે ? નિરાલંબ થાય ત્યારે જ સર્વસ્વ દુઃખો જાય. અવલંબનવાળાને તો પકડે, કે શુદ્ધાત્માવાળા બધાને પકડી લાવો. પ્રશ્નકર્તા : શ્રીમદ્ રાજચંદ્ર એક વાક્ય કહેલું કે જ્ઞાની પુરુષની વાણી કેવળજ્ઞાન થવાના પહેલાના સમય સુધી અવલંબન સ્વરૂપે છે. અને આ વાણીનું માધ્યમ જ નિરાલંબ બનાવી શકે તેવું છે સાધન. દાદાશ્રી : પેલી બાજુ લઈ જાય. નિરાલંબમાં લઈ જાય. પ્રશ્નકર્તા: આ દૈહિક નિદિધ્યાસન નિરાલંબમાં લઈ જાય ? દાદાશ્રી : એમણે જે જોયું છે ત્યાં સુધી લઈ જાય. પ્રશ્નકર્તા: પણ એમાં દૈહિક નિદિધ્યાસન વધારે હેલ્પ કરે છે કે વાણીનું નિદિધ્યાસન વધારે હેલ્પ કરે ? દાદાશ્રી : બધા ભેગા થઈને હેલ્પ કરે. હા..એ જ્યાં સુધી જોયું છે ત્યાં સુધી લઈ જાય. પ્રશ્નકર્તા ઃ આપને નિરાલંબ દાદા ભગવાન એટલે જે મૂળ સ્વરૂપ દેખાયું તે એ કેવું સ્વરૂપ ? દાદાશ્રી : અહીં હોય નહીં કોઈ, શેના આધારે ઓળખાવીએ ? પ્રશ્નકર્તા : એ કેવળજ્ઞાન સ્વરૂપ કહેવાય ? દાદાશ્રી : પણ સમજરૂપે, જ્ઞાનરૂપે નહીં. ઍબ્સોલ્યુટ, જેમાં કોઈ મિલ્ચર નહીં એ સ્વરૂપમાં. તમારું તો મિલ્ચરવાળું. શુદ્ધાત્માની બાટલી સાથે, બુચ સાથે. આત્મા એ બાટલી, શુદ્ધ એ બૂચ. નહીં તો ઢળી જાય તમારું બધું તો. જ્ઞાતીની વાણી જ અંતિમ આલંબત ! પ્રશ્નકર્તા એ જે નિરાલંબ સ્વરૂપ આપે જોયુંને એ કેવું હોય ? એનું કંઈક કહોને. દાદાશ્રી : એ બધું થઈ શકે. નિરાલંબ થયેલા હોય એમની વાણીથી નિરાલંબ થાય. જ્ઞાતીને ભગવાત વશ ! જ્ઞાની પુરુષ તો અજાયબી કહેવાય વર્લ્ડની. ભગવાનનાં ઉપરી કહેવાય. પ્રશ્નકર્તા: પણ એ ભગવાનનાં ઉપરી એ કેવી રીતે કહેવાય ? કયા અર્થમાં ? દાદાશ્રી : ભગવાન એમને વશ થયા છે, માટે એ ભગવાનનાં ઉપરી છે. એમના કહ્યા પ્રમાણે ભગવાન ચાલે.

Loading...

Page Navigation
1 ... 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258