Book Title: Aptavani 02
Author(s): Dada Bhagwan
Publisher: Mahavideh Foundation

View full book text
Previous | Next

Page 13
________________ - યોગ બે પ્રકારનાં : એક જ્ઞાનયોગ એટલે કે આત્મયોગ અને બીજો અજ્ઞાનયોગ એટલે કે અનાત્મયોગ. અનાત્મયોગમાં મનોયોગ, દેહયોગ ને વાણીયોગ સમાવિષ્ટ થાય. યોગ શેનો થાય ? જેને જાણ્યો હોય તેનો કે જે અજાણ છે તેનો ? જ્યાં સુધી આત્મા જાણ્યો ના હોય ત્યાં સુધી આત્મયોગ શી રીતે થાય ? એ તો દેહને જાણ્યો તેથી દેહયોગ જ કહેવાય, અને નિર્વિકલ્પ સમાધિ દેહયોગથી ક્યારેય પણ પ્રાપ્ત ના થઇ શકે. વિકલ્પી નિર્વિકલ્પી ક્યારેય પણ ના થઇ શકે, એ તો આત્મજ્ઞાની સર્વજ્ઞપુરુષ નિર્વિકલ્પ દશાએ પહોંચાડી આપે ત્યારે જ નિર્વિકલ્પ થાય. પ્રગટ દીવો જ અન્ય દીવાને પ્રગટાવી શકે. n ‘એકાગ્રતા’ શું છે ? શા માટે કરવી પડે છે ? જેને વ્યગ્રતાનો રોગ હોય તે જ એકાગ્રતા કરે, એમાં આત્મા ઉપર શો ઉપકાર ? આ મજૂરોને એકાગ્રતા કરવાની ક્યાં જરૂર છે ? તેમજ ‘જ્ઞાની પુરુષ' પણ એકાગ્રતા ના કરે. જે વ્યગ્રતાના રોગ ઉપર એકાગ્રતાની દવા ચોપડે છે તેનાથી આત્માને શો ફાયદો ? ધ્યાન કરે તો શેનું કરવાનું ? ધ્યેયને જાણ્યા વગર શેનું ધ્યાન કરવાનું? પોતાની કલ્પનાથી ધ્યેય નક્કી કરી ધ્યાન કર્યાથી દહાડો શી રીતે વળે ? સમાધિ કોને કહેવાય ? નાક દબાવીને કે હઠયોગથી સમાધિ કરે તેને? ના, એ તો હેન્ડલ સમાધિ કહેવાય. જ્યાં સુધી હેન્ડલ માર્યું ત્યાં સુધી ચાલ્યું, પછી એ સમાધિ ઊતરી જાય, એવી સમાધિથી શું મોક્ષ થાય ? સમાધિ તો તેને કહેવાય કે, હાલતાં ચાલતાં, અરે લઢતાં-ઝઘડતાંય સમાધિ ના જાય તેનું નામ યથાર્થ-સમાધિ’. આધિ, વ્યાધિ, ઉપાધિ ના થાય તે ‘યથાર્થ સમાધિ' કહેવાય. n મન શું છે ? મનને તો એક ‘જ્ઞાની પુરુષ’ જ ઓળખી શકે. જે મનથી નિરંતર પર રહીને તેના જ્ઞાતા-દ્રષ્ટા રહે છે એવા પૂજ્ય દાદાશ્રીએ મનોવિજ્ઞાન યથાર્થ બહાર પાડ્યું છે. મન એ ગાંઠોનું બનેલું છે. જ્યારે બાળા તેમજ આંતરસંયોગો પ્રાપ્ત થાય ત્યારે મનની ગાંઠ ફૂટે. જે કૂંપણ ફૂટે છે, રૂપકમાં આવે છે તે વિચાર અવસ્થા કહેવાય; વિચાર આવે ને જાય; આત્મા પોતે તેનો જ્ઞાતા-દ્રષ્ટા છે. મન એ જ્ઞેય છે ને આત્મા જ્ઞાતા 23 છે. કેટલાક કહે છે કે, ‘મારું મન કાઢી લો.' મન કાઢી લે તો એબસંટ માઇન્ડેડ થઇ જવાય. મોક્ષે જવા માટે મન જરૂરનું છે. મન એ તો નાવડું છે. મનરૂપી નાવડા વગર સંસાર-સાગરમાંથી મોક્ષરૂપી કિનારે શી રીતે જવાય ? કેટલાક કહે છે મન ભટકે છે. મન આ શરીરની બહાર ક્યારેય પણ ભટકતું નથી, ભટકે છે તે ચિત્ત છે. બુદ્ધિ એ પરપ્રકાશ છે, ઇન્ડિરેક્ટ પ્રકાશ છે. આત્માનો ડિરેક્ટ પ્રકાશ છે. આત્મા સ્વ-પર પ્રકાશક છે. બુદ્ધિની વ્યાખ્યા શી છે ? ‘આખા જગતના બધા જ સબ્જેક્ટસ જાણે તે પણ બુદ્ધિમાં સમાય, કારણ કે તે અહંકારી જ્ઞાન છે અને નિરઅહંકારી જ્ઞાન એ જ્ઞાન છે.’ - દાદાશ્રી જ્યાં જ્ઞાનસૂર્ય ઝળહળતો હોય ત્યાં બુદ્ધિરૂપી કોડિયાની શી જરૂર ? બુદ્ધિનો સ્વભાવ બળાપો કરાવવાનો છે. જ્ઞાની અબુધ હોય, બુદ્ધિ નામેય ના હોય. સંપૂર્ણ બુદ્ધિ ખલાસ થાય ત્યારે સામે સર્વજ્ઞપદ હારતોરા સહિત હાજર થાય ! વગર ટિકિટે ભટકે છે તે ચિત્ત, અહીં બેઠા બેઠા ગમે ત્યાંનો હૂબહૂ ફોટો દેખાડે તે ચિત્ત. શુદ્ધ જ્ઞાન + શુદ્ધ દર્શન= શુદ્ધ ચિત્ત એટલે શુદ્ધાત્મા પોતે. અશુદ્ધ જ્ઞાન + અશુદ્ધ દર્શન = અશુદ્ધ ચિત્ત. જગત ‘અનંત ચિત્ત’માં પડ્યું છે. સાધુઓ અનેક ચિત્તમાં આવ્યા છે અને ‘જ્ઞાની પુરુષ’ અને સત્પુરુષ ‘એકચિત્ત’માં હોય. અશુદ્ધ ચિત્ત શાથી અશુદ્ધ છે ? ‘સ્વ’ને જોઇ શકતું નથી, માત્ર પરને જ જોઇ શકે છે; જ્યારે શુદ્ધ ચિત્ત ‘સ્વ’ અને ‘પર’- બન્નેને જોઇ શકે છે. - દાદાશ્રી ચિત્તની હાજરીમાં જે જમી શકતા નથી તેમને હાર્ટ ફેઇલ, બ્લડ પ્રેશર વગેરે રોગ થાય છે. ચિત્તની હાજરીમાં જમી શકાય તો કોઇ રોગ જ ના થાય એવું છે ! અનાહત નાદ, કુંડલિની એ બધા ચિત્તચમત્કાર છે ને પૌદ્ગલિક છે. કેટલાક કહે છે કે, “મને કૃષ્ણ ભગવાન મહીં દેખાય છે. આ આત્મા ન હોય, એ તો ચિત્તચમત્કાર છે. એ કૃષ્ણને જોનાર આત્મા છે. 24

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 249