Book Title: Aho Ashcharyam
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 32
________________ થઈ જા.' રાજાએ રાણીને જવાબ આપ્યો. રાજાનો આ જવાબ સાંભળીને હર્ષિત થઈ ગયેલ ગુણમંજરી ત્યાંથી સીધી જ પુત્રી રત્નવતી પાસે આવી અને રાજાએ એને જે વાત કહી હતી એ વાત કહી સંભળાવી. રત્નવતીના આનંદનો પાર ન રહ્યો. “શું વાત કરો છો ?” ‘બિલકુલ સાચી વાત છે.' ‘પણ તેણીએ મને ક્યાંય જોયો તો નથી.’ ‘એની મને ભલે જાણ નથી પણ અનુમાનથી હું એટલું જરૂર કહી શકું કે આપના પરાક્રમની, આપના શરીરસૌષ્ઠવની, આપના કમનીય રૂપની ક્યાંયથી પણ એને જાણ થઈ ગઈ જ હશે. આમેય પોતાની સુવાસની જાણ પુષ્પને પોતાને ક્યાં કરવી પડતી હોય છે ? પોતાના પ્રકાશની જાણ સૂર્યને પોતાને ક્યાં કરવી પડતી હોય છે ? “હું અહીં છું” એવી જાહેરાત વીજળીને પોતાને ક્યાં કરવી પડતી હોય છે ? બસ, મેં મૂકેલ આ પ્રસ્તાવ પર આપ ‘હા’ પાડી દો એટલે હું શીધ્ર મંગિપત્તન પહોંચી જાઉં અને સમસ્ત રાજ પરિવારને આ આનંદદાયક સમાચાર આપીને પ્રસન્ન પ્રસન્ન કરી દઉં.' મંત્રીની આ વાત સાંભળીને માનતુંગ સ્તબ્ધ પણ થઈ ગયો અને મૌન પણ થઈ ગયો. વિચારણામાં ડૂબી ગયેલા તેણે પોતાની દૃષ્ટિ નીચી નાખી દીધી. રાજન ! આપ નિરુત્તર કેમ થઈ ગયા ?' ના. એવું નથી.' ‘તો ?' ‘મંત્રીશ્વર !' ‘જી હજૂર’ ‘તમે વહેલી તકે અહીંથી નીકળીને દેવાંશી રૂપના ધારક રાજવી માનતુંગ પાસે પહોંચી જાઓ અને એના ચરણે ભટણું ધરીને વિનંતિ કરો કે અમારા રાજવી દલસ્તંભનની પુત્રી રત્નવતી આપની સાથે લગ્નસંબંધે જોડાવા માગે છે. અમારા રાજવી ખુદ આ સંબંધ બંધાય એમાં રાજી છે, તો આપ પ્રસન્ન થઈને એમાં સંમતિ આપી અમને સહુને પણ પ્રસન્ન કરો.' ‘આપની આજ્ઞા શિરોધાર્ય છે. જરૂરી તૈયારી કરીને હું વહેલામાં વહેલી તકે રાજવી માનતુંગ પાસે જવા નીકળી જાઉં છું' મંત્રીશ્વરે રાજાને જવાબ આપ્યો. અને એક શુભ દિવસે... મંત્રીશ્વર રાજવી માનતુંગના રાજ દરબારમાં હાજર થઈ ગયા. ક્યાંથી પધારવાનું થયું?' ‘મંગિપત્તનથી” ‘આપની ઓળખ ?” ‘રાજવી દલસ્તંભનનો હું મંત્રી છું' ‘અહીં આવવાનું પ્રયોજન?' ‘આપના ચરણમાં એક વિનંતિ મૂકવાની છે" બોલો’ ‘રાજન્ ! એ વિનંતિ હું આપને એકાંતમાં કરવા માગું છું અને સંધ્યાકાળે રાજવી માનતુંગ સમક્ષ મંત્રીશ્વરે વાતની રજૂઆત કરી. ‘રૂપરૂપના અંબાર સમી અમારા રાજવીની પુત્રી કે જેનું નામ રત્નાવતી છે એણે કઠોર પ્રતિજ્ઞા કરી છે કે પરણું તો હું રાજવી માનતુંગને જ અન્યથા અગ્નિ એ જ મારે શરણ છે.' ‘તમારો આ પ્રસ્તાવ મને માન્ય તો છે પણ..' ‘પણ શું?” “એક વિચાર મુંઝવે છે? ‘કહો, શું છે ?' ‘દલતંભન અહીંથી ખાસું એવું દૂર છે અને મારે અહીં રહેવું પણ એટલું જ જરૂરી છે.” શું શત્રુરાજાના આક્રમણનો ભય છે ?” ‘ના’ શું આપનું સ્વાથ્ય પ્રતિકૂળ છે ?' ‘શું પ્રજાજનોની કોઈ સમસ્યા છે?' ૩ ૬૬

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50